શ્રાવણ કૃષ્ણ એકમ પર શ્રી સોમનાથ મહાદેવને દ્વાદશ જ્યોતિર્લિંગ શ્રૃંગાર

હિન્દ ન્યુઝ, સોમનાથ

     શ્રાવણ કૃષ્ણ એકમ પર સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં દ્વાદશ જ્યોતિર્લિંગ શૃંગાર કરવામાં આવ્યો હતો. જેમાં ભક્તો શ્રી સોમનાથ મહાદેવ સહિત તમામ દ્વાદશ જ્યોતિર્લિંગના એક સાથે દર્શન કરી ધન્ય થયા હતા. ભક્તોને દેશભરમાં પ્રવાસ વગર બધા જ્યોતિર્લિંગના દર્શન કરવાનો અવસર મળ્યો હતો. અંદાજિત 12,500 થી વધુ કિલોમીટરના પ્રવાસ બાદ થનાર દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન એકીસાથે સોમનાથમાં થતાં ભાવિકો ભાવવિભોર થયા હતા. સનાતન સંસ્કૃતિમાં કહેવાયું છે કે દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરનાર ભક્તને મોક્ષ પ્રાપ્ત થાય છે. ત્યારે સોમનાથ મહાદેવને દ્વાદશ જ્યોતિર્લિંગ શણગાર કરીને શિવજી પાસે સમગ્ર વિશ્વના કલ્યાણની કામના કરવામાં આવી હતી.


Related posts

Leave a Comment