૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર મોહંમદ જુબેર અલી હાશમીની ઉપસ્થિતિમાં માઈક્રો ઓબ્ઝર્વરનું સેકન્ડ રેન્ડમાઈઝેશન યોજાયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    સમગ્ર ગુજરાત રાજ્યની સાથે ૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તાર અંતર્ગતના ગીર સોમનાથ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ આગામી તા. ૭ મેના રોજ યોજાનાર છે.

જે અંતર્ગત આજે ઇણાજ ખાતે આવેલ કલેક્ટર કચેરી ખાતે ૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર મોહંમદ જુબેર અલી હાશમીની ઉપસ્થિતિમાં માઈક્રો ઓબ્ઝર્વરનું સેકન્ડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું.

ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં સમાવિષ્ટ ૯૦- સોમનાથ, ૯૧-તાલાલા, ૯૨-કોડિનાર અને ૯૩-ઉના એક કુલ ૪ વિધાનસભા વિસ્તાર માટે સોફ્ટવેર દ્વારા માઈક્રો ઓબ્ઝર્વરની સેકન્ડ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ રેન્ડમાઇઝેશનને આધારે કયા માઈક્રો ઓબ્ઝર્વર કયા મતવિભાગમાં કઇ જગ્યાએ કાર્ય કરશે તે નક્કી થાય છે.

આ રેન્ડમાઇઝેશન વખતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, અધિક નિવાસી કલેક્ટર આર.જી.આલ, નાયબ ચૂંટણી અધિકારી પલ્લવીબહેન બારૈયા અને ચૂંટણી સાથે સંકળાયેલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Related posts

Leave a Comment