હિન્દ ન્યુઝ, રાધનપુર
રાધનપુર ખાતે ઠાકોર શૈલેષભાઈ ભાવાભાઈ તેમના દિકરા વેદાંશ નાં જન્મદિવસ પર 35મી વાર બ્લડ ડોનેટ કર્યું હતું. ગૌસ્વામી મંજુલાબેન સાદપુરા ને ઇમરજન્સી બ્લડ ની જરૂર પડતાં ભણસાલી AB+પોઝિટિવ સ્ટોક ન હોવાથી તાત્કાલિક બ્લડ ડોનેટ કર્યું હતું.તેઓ છેલ્લા 11 વર્ષથી રક્તદાન કરે છે અત્યાર સુધી અસંખ્ય જરૂરિયાતમંદ લોકોને લોહીની સગવડ કરી આપી છે. શૈલેષભાઇ ની વિચારધારા ઉમદા પ્રકારની છે. તેઓ ખૂબ સામાન્ય ગરીબ પરિવારમાં રહેતા હોવા છતાં સામાજિક અને લોક સેવાનાં ખૂબ સારા કામો કરે છે. કોઈપણ સમાજની વ્યક્તિને રક્ત ની જરૂર પડે ત્યારે તેઓ પોતાની કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર મદદ કરે છે. હાલમાં તેઓએ 35મી વખત રક્ત દાન કરી માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સહજ સ્વભાવ સૌની સાથે હળી મળીને રહેનાર અને લોકસેવાના કામમાં ખડે પગે રહેનાર શૈલેષભાઇ હર હંમેશ સેવાકીય પ્રવૃતિઓ માં અગ્રેસર રહ્યાં છે. સમાજના લોકો એ તેમનામાંથી પ્રેરણા લઈને આવા ભગીરથ કામો કરવા જોઈએ.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર