કાલાવડ શહેર મુકામે “સંત શિરોમણી ‌રોહીદાસજી” ની જન્મ જયંતી ની ઉજવણી

હિન્દ ન્યુઝ, કાલાવડ

         ભાજપ અનુસૂચિત જાતિ મોરચા કાલાવડ શહેર/તાલુકા નાં સંયુક્તતા માં કાલાવડ શહેર મુકામે “સંત શિરોમણી ‌રોહીદાસજી” ની જન્મ જયંતી ની ઉજવણી મહંત શ્રી અમરદાસ બાપુ કબીર આશ્રમ રણુજા વાળા ના અધ્યક્ષ સ્થાને ઊજવણી કરવામાં આવી હતી. જેમા દિપ પ્રાગટિય અને સંત શિરોમણી ‌રોહીદાસજી ના તૈલી ચિત્ર ને ફુલમાળા સહ પુષ્પ અપર્ણ કરવામાં આવેલ તથા અમરદાસ બાપુ ને શાલ ઓઢાડી અ.જા.મોરચા ના બન્ને પ્રમુખો નરેશભાઈ સિંગલ અને મનહરભાઈ મકવાણા એ સન્માનિત કરેલ. ત્યાર બાદ ભાજપ કાલાવડ શહેર પ્રમુખ હસમુખભાઇ વોરાએ સંત શિરોમણી ‌રોહીદાસજી ના જીવન કવન વિષે સર્વેને માહિતગાર કર્યા હતા.

આ કાર્યક્રમમાં અભિષેક પટવા, પુર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જીલ્લા ભાજપ અ.જા.પ્રમુખ ભીમજીભાઈ મકવાણા, જેન્તિ કમાણી, મગન વઘોરા, એમ.ડી.મકવાણા, કેશુભાઈ સોલંકી, તરૂણ ચૌહાણ, મનોજ પરમાર, વિજય ચદ્રપાલ, ભરત ધમ્મર, મનોજ શુક્લ, મહેશ મકવાણા, જીવણભાઈ, સુરેશ શુકલ, મુર્તઝા સાદીકોટ તેમજ બહેનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

Leave a Comment