કેશોદ,
પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અરજનભાઈ ડાંગર વય મર્યાદાના કારણે નિવૃત થતાં કેશોદ પોલીસ સ્ટેશનમાં સ્ટાફ દ્વારા શ્રીફળ સાકરનો પળો આપી પુષ્પગુચ્છ દ્વારા વિદાયમાન કરાયા. કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અરજનભાઈ ડાંગર વય મર્યાદાના કારણે નિવૃત થતા પોલીસ સ્ટાફ દ્વારા લોક ડાઉનની પરિસ્થિતિને દયાનમાંં રાખી સોશ્યલ ડીસ્ટન્સ સાથે શ્રીફળ સાકરનો પળો આપી ફુલહાર પુષ્પગુચ્છથી વિદાયમાન કરી દીર્ઘાયુષય અને તંદુરસ્ત જીવન પસાર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. અરજનભાઈ ડાંગરે ૧૯૮૬ થી પોલીસ ડીપાર્ટમેન્ટમાં ભરતી થયા હતા. વધુ પડતો સમય ગીર સોમનાથ જીલ્લામાં ફરજ બજાવી કેશોદ ખાતે ફરજ બજાવી રહ્યા હોય વય મર્યાદાના કારણે નિવૃત થતા વિદાયમાન કરવામા આવ્યા હતા.
રિપોર્ટર : જગદીશ યાદવ, જુનાગઢ