દિયોદર માનવતા ગ્રુપ દ્વારા જરૂરિયાત મંદો ને દિવાળી નિમિતે મીઠાઈ નું વિતરણ

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર માનવતા ગ્રુપ દ્વારા લોક ડાઉન માં જરૂરિયાત મંદો ને બે ટાઈમ ભોજન ની વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી. જેમાં દિવાળી નિમિતે દિયોદર પુનમિયા હનુમાન દાદા ના મંદિર પાસે આવો સાથે મળી ને દિવાળી નો પ્રવ ઉજવીએ ના ભાગરૂપે માનવતા ગ્રુપ દ્વારા જરૂરિયાત મંદો ને મીઠાઈ નું વિતરણ કરવામાં આવ્યું હતું. દિયોદર ના રાજવી ગિરિરાજસિંહ વાઘેલા તેમજ નાયબ કલેકટર એમ કે દેસાઈ અને મામલતદાર કે કે ઠાકોર ની હાજરી માં લીલીઝંડી આપી મીઠાઈ વિતરણ નો કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં ગરીબ લોકો ના ઘરે ઘરે મીઠાઈ નું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે અમરતભાઈ ભાટી, ભરતજી ઠાકોર(વકીલ), મુકેશજી ઠાકોર, ભદ્રસિંહ રાઠોડ, તલાટી કર્મ મંત્રી પી એન ચૌધરી, ભારત વિકાસ પરિષદ પ્રમુખ જામાભાઈ પટેલ, પ્રદીપભાઈ શાહ, રોહિતભાઈ સોની વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર : પ્રદિપ સિંહ વાઘેલા,  દિયોદર

Related posts

Leave a Comment