હિન્દ ન્યુઝ, જામનગર ૮૦ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી કાર્યક્રમમાં ૯ પ્લાટૂન પરેડ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો બન્યા આકર્ષણનું કેન્દ્ર સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું તથા વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિઓ મેળવેલ વ્યક્તિઓ/સંસ્થાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું જિલ્લાના વિકાસ માટે મંત્રીએ રૂ.૨૫ લાખની રકમનો ચેક કલેક્ટર પી.બી.પંડયાને અર્પણ કર્યો -: મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા:- જામનગર–અમૃતસર કોરિડોરથી વિકાસને ગતિ મળશે* સમગ્ર વિશ્વના ઔદ્યોગિક નકશા પર જામનગરનું આગવું સ્થાન ૨૪ મી કોમનવેલ્થ ગેમ્સનું ગુજરાતમાં આયોજન થશે તે દેશ માટે ગૌરવની વાત વિકસિત ભારત માત્ર સરકારનો કાર્યક્રમ નહીં પરંતુ ૧૪૦ કરોડ…
Read MoreMonth: August 2026
સ્વાતંત્ર્ય પર્વના રંગે રંગાયું જામનગર, રોશનીથી શોભી ઊઠી શહેર-જિલ્લાની ઇમારતો
હિન્દ ન્યુઝ, જામનગર ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને જામનગર દેશભક્તિના રંગે રંગાયું છે. જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી માટે શહેર-જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ, જાહેર ઇમારતો, સ્મારકો તેમજ મુખ્ય માર્ગો પર તિરંગાના રંગોથી આકર્ષક રોશનીના શણગાર કરવામાં આવ્યા છે. શહેરની ઇમારતો પર ઝળહળતી રોશની દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને વધુ ઉજાગર કરી રહી છે. તિરંગાના કેસરી, સફેદ અને લીલા રંગોથી શોભિત થયેલી ઇમારતો નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. જામનગરની શાન લખોટા તળાવ, ભુજિયો કોઠો, કલેક્ટર કચેરી, ટાઉનહોલ, જિલ્લા સેવા સદન, જિલ્લા ન્યાય મંદિર, તેમજ સ્વાતંત્ર્ય પર્વની…
Read Moreદેશભક્તિના રંગે રંગાયું જામનગર
હિન્દ ન્યુઝ, જામનગર રણમલ તળાવથી રણજીતનગર સુધી યોજાયેલ ‘તિરંગા યાત્રા’માં સાત હજારથી વધુ જામનગરવાસીઓ ઉત્સાહભેર જોડાયા પ્રભારી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી યાત્રામાં ‘વંદે માતરમ્’ની ગુંજ સાથે રાષ્ટ્રભક્તિનો માહોલ છવાયો તિરંગા યાત્રામાં પોલીસ અશ્વ દળ, પોલીસ બેન્ડ, ડોગ સ્ક્વોડ, આર્મી, એરફોર્સ, નેવી ના પ્લાટુન તથા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ બની આકર્ષણનું કેન્દ્ર તિરંગા યાત્રામાં મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર દિપેશ કેડીયા, જિલ્લા વિકાસ અધિકારી સુ નિશા, પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની સહિતના મહાનુભાવો જોડાયા
Read Moreદાહોદ પંડિત દીનદયાળ ઓડિટરીયમ હોલ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા સહ પ્રભારી મંત્રી પી. સી. બરંડાના અધ્યક્ષસ્થાને આજરોજ દાહોદ ખાતે આવેલ પંડિત દીનદયાળ ઓડિટરીયમ હોલ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ કાર્યક્રમ યોજાયો હતો. આપણે આઝાદીના અમૃત વર્ષ ૭૫ વર્ષમાં પ્રવેશ્યા ત્યારે ૧૪૦ કરોડ ભારતીયોના માનસપટ પર આઝાદી મળતા પહેલા વિભાજન પીડિતોની સ્મૃતિ હંમેશા યાદ રહે તે માટે ૧૪ ઑગસ્ટ, ૨૦૨૧ના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવાનું નક્કી કરેલ છે. વિભાજન માત્ર પીડાની સ્મૃતિ નથી, પણ ફરી વસેલા લોકોની મહેનત અને દેશ પ્રત્યેની લાગણીની સ્મૃતિઓ છે. ભાગલા પડ્યા ત્યારે દોઢ કરોડ વિસ્થાપિતો અને શરણાર્થીઓને પુનઃસ્થાપિત…
Read Moreસાબરકાંઠાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં આજે હિંમતનગર ખાતે જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસ લક્ષી કામો અને જનકલ્યાણકારી યોજનાઓની સર્વાંગી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં કાર્યરત વિવિધ પ્રોજેક્ટ્સની વર્તમાન સ્થિતિનું આકલન કરી તેને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો છે. મંત્રીશ્રીએ પ્રત્યેક વિભાગની કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવીને પ્રજાલક્ષી કાર્યોમાં ગતિ લાવવા માટે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. બેઠક દરમિયાન પ્રભારી મંત્રીએ વિવિધ વિભાગોના વડાઓ પાસેથી ચાલી રહેલા વિકાસ કામો, પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સ અને આગામી આયોજન અંગે વિગતવાર અહેવાલ મેળવ્યો…
Read Moreરાજ્યમાં કાયદો-વ્યવસ્થાનું સુદૃઢ માળખું અને પોલીસ કલ્યાણ સર્વોચ્ચ પ્રાથમિકતા !
હિન્દ ન્યુઝ, આણંદ ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોની સુરક્ષા અને કાયદાના શાસનને વધુ સુદૃઢ બનાવવા માટે સતત કાર્યરત છે. આ જ દિશામાં આગળ વધતા આજે આણંદ જિલ્લાના બાકરોલ ખાતે નવનિર્મિત આધુનિક જિલ્લા જેલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે રાજ્યના જેલ પ્રશાસનને વધુ કાર્યક્ષમ બનાવશે. આ સાથે નડિયાદ જિલ્લા જેલ, બિલોદરા (ખેડા) ખાતે આપણી રક્ષામાં ખડેપગે રહેતા પોલીસ જવાનો અને તેમના પરિવારો માટે નવનિર્મિત સી-૦૮ તથા બી-૧૬ (P+૬) કક્ષાના સુવિધાયુક્ત પોલીસ આવાસનું ઇ-લોકાર્પણ કર્યું. આપણા પોલીસ જવાનો નિશ્ચિંત થઈને પોતાની ફરજ બજાવી શકે તે માટે તેમના પરિવારોને શ્રેષ્ઠ રહેણાંક અને…
Read Moreસરળ, સાહજિક વ્યક્તિત્વ, આત્મીયતાનો અભિગમ
હિન્દ ન્યુઝ, અમરેલી 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે અમરેલી જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાવરકુંડલા રોડ સ્થિત શેલ્ટર હાઉસના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ જ્યારે અન્ય કાર્યક્રમ માટે રવાના થયા ત્યારે કારમાં બેસી ગયા બાદ તેમણે બહાર ઉપસ્થિત સ્થાનિક અગ્રણીઓને જોયા… તેમને મળવાની સહજ ઇચ્છાથી મુખ્યમંત્રીએ પોતાની કાર થોભાવી અને બહાર નીકળીને અગ્રણીઓ સાથે આત્મીયતાપૂર્ણ મુલાકાત કરી. મુખ્યમંત્રીશ્રીની આ સહજ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિકો સાથે હળવાશભર્યો સંવાદ કર્યો. મુખ્યમંત્રીનો આ સરળ અને લાગણીસભર અભિગમ ઉપસ્થિત સૌ માટે યાદગાર બની રહ્યો. મુખ્યમંત્રીની સામાન્ય વ્યક્તિ અને સ્થાનિક…
Read Moreનાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વડોદરા ખાતે નિર્માણધીન ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારક’ની મુલાકાત લઈ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી
હિન્દ ન્યુઝ, વડોદરા કલ્યાણનગર ખાતે આકાર પામી રહેલા આધુનિક સ્મારકના મ્યુઝિયમ, લાઈબ્રેરી અને મલ્ટીમીડિયા પ્રકલ્પની કામગીરી આખરી તબક્કામાં: પ્રકલ્પ સમયમર્યાદામાં પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વડોદરાના કમાટીબાગ (સયાજીબાગ) – કલ્યાણનગર ખાતે નિર્માણ પામી રહેલા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર “સંકલ્પભૂમિ સ્મારક” પ્રોજેક્ટની સ્થળ મુલાકાત લઈને કામગીરીની પ્રગતિ અંગે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. ડૉ. બાબાસાહેબ આંબેડકરે સામાજિક વિષમતા અને કુરિવાજો દૂર કરી સામાજિક સમરસતા લાવવા માટે વડોદરાના કમાટીબાગ ખાતે વડના વૃક્ષ નીચે બેસીને જે ઐતિહાસિક સંકલ્પ લીધો હતો, તે પવિત્ર સ્થળને સ્મારક તરીકે વિકસાવવા માટે રાજ્ય…
Read Moreહરિયાળું અમરેલી… સ્વચ્છ અમરેલી!
હિન્દ ન્યુઝ, અમરેલી! 🇮🇳 ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થવા અમરેલી પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાવરકુંડલા રોડ સ્થિત અમરેલી નગરપાલિકા સંચાલિત શેલ્ટર હાઉસના પટાંગણમાં વૃક્ષારોપણ કરી પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ પ્રસરાવ્યો. રૂ. ૪ કરોડના ખર્ચે ‘ગ્રીન અમરેલી, ક્લિન અમરેલી’ની નેમ સાકાર થશે ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન યોજના હેઠળ શરૂ થયેલા આ મહાઅભિયાન અંતર્ગત અમરેલી શહેરમાં પ્રસ્તાવિત ઓક્સિજન પાર્ક સહિત વિવિધ મુખ્ય માર્ગોની બંને બાજુએ આશરે ૧૩ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ હરિયાળી પહેલથી અમરેલી શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવાની સાથે આગામી સમયમાં શહેર માટે ‘ગ્રીન લંગ્સ’ સમાન પર્યાવરણીય…
Read Moreમાંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં સ્વતંત્રતા દિનની ઉજવણીનું ફૂલ ડ્રેસ રિહર્સલ
હિન્દ ન્યુઝ, વડોદરા ૮૦માં સ્વતંત્રતા દિનની ઉજવણીમાં વડોદરામાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીના હસ્તે ધ્વજવંદન થવાનું છે, તે પૂર્વે આજે સવારે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર અને કલેક્ટર ડો. અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં ફૂલ ડ્રેસ રિહર્સલ યોજાયું હતું. રિયલ ટાઇમ ફૂલ ડ્રેસ રિહર્સલમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને બાદમાં તેમણે પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. વડોદરા શહેર પોલીસની વિવિધ શાખાઓ ઉપરાંત અશ્વદળ, એનસીસી, ગૃહ રક્ષક દળ, ટ્રાફિક અને પોલીસ બેન્ડની ટૂકડીઓ આ પરેડમાં જોડાવાની છે. બાદમાં તેમણે સંયુક્ત પોલીસ કમિશનર…
Read More