હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર નીતિન સાંગવાન અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે જિલ્લાના નાગરિકોને સુરક્ષિત સ્થળે રહેવા તેમજ કોઈપણ કારણ વગર ઘરથી બહાર ન નીકળવા અપીલ કરી છે. વરસાદ દરમિયાન ઘણા લોકો પાણી જોવા અથવા પરિસ્થિતિ નિહાળવાના બહાને બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળતા હોય છે. જેના કારણે રસ્તાઓ પર ટ્રાફિક થવાના કારણે બચાવ તેમજ રાહત કામગીરીમાં તંત્રને મુશ્કેલી ઉભી થાય છે. કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ નાગરિકોને જનહિતમાં અનુરોધ કર્યો…
Read MoreDay: July 23, 2026
વલસાડ જિલ્લા કલેકટર નીતિન સાંગવાને ઔરંગા નદીની વિઝિટ લીધી
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લામાં રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે જિલ્લા કલેકટર નીતિન સાંગવાને ગુરૂવારે સવારે ઔરંગા નદીના કાંઠે વિઝિટ લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ દરમિયાન જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને જણાવ્યું કે, છેલ્લા ૧૨ કલાક દરમિયાન અપેક્ષા કરતાં વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં (ઓવરટોપિંગ) તેમને સલામતીના કારણોસર બંધ કરવામાં આવ્યા છે. પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફની વધારાની ટીમો તેમજ અધિકારીઓ મોકલવામાં આવી રહ્યા છે. સમગ્ર વહીવટી તંત્ર સતત ફિલ્ડમાં રહીને રાહત અને બચાવની કામગીરીમાં વ્યસ્ત છે.…
Read Moreવલસાડ જિલ્લામાં પૂરની સ્થિતિને પગલે જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે આવી પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ અને પૂરની સ્થિતિને પગલે જિલ્લા પ્રભારી મંત્રી તેમજ આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ વલસાડ આવી પહોંચ્યા હતા અને પૂર નિયંત્રણ કક્ષની મુલાકાત લઈ જિલ્લામાં ચાલી રહેલી રાહત, બચાવ અને સેવાકીય પ્રવૃતિની માહિતી મેળવી હતી. આ મુલાકાત વેળા મંત્રીએ જણાવ્યું કે, વલસાડ જિલ્લાના દરેક તાલુકામાં ધોધમાર વરસાદ છે, મે મારા અત્યાર સુધીના જાહેર જીવનમાં પ્રથમવાર આટલો વરસાદ જોયો છે. આવા સંજોગોમાં આપણા જિલ્લામાં આવેલી નદીઓમાં પણ ઘોડાપૂર વહી રહ્યા છે. જેના કારણે…
Read Moreકપરાડાના તિસ્કરીજંગલમાં ડુંગરની માટી ધસી પડતા એક મહિલાનું મોત, એક ઘાયલ
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક ઠેકાણે માટી ધસી પડવાના બનાવ બન્યા હતા. જેમાં કપરાડા તાલુકાના તિસ્તરી જંગલ ગામમાં ડુંગર પરથી માટી ધસી પડવાને કારણે એક મહિલાનું મોત થયું હતું જયારે એક મહિલાને ઈજા થતા વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વલસાડ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ પાસેથી મળતી વિગત મુજબ, કપરાડા તાલુકાના તિસ્કરી જંગલ ગામે કોસીમપાડા ફળિયામાં ડુંગર પરથી માટી ધસી પડતા ૫૫ વર્ષીય લાડકીબેન સીતાભાઈ થોટગા દબાઈ જવાને કારણે મોતને ભેટ્યા હતા. જ્યારે તેમની સાથે ફૂલીબેન દિનેશભાઈ બાતરીને પગમાં ઈજા થતા સારવાર અર્થે…
Read Moreવલસાડ જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે પૂર અસરગ્રસ્ત વિસ્તારોનું નિરિક્ષણ કર્યુ
હિન્દ ન્યુઝ, વલસાડ અસરગ્રસ્તોને સમયસર શેલ્ટર હોમમાં રહેવા, જમવા સહિત આરોગ્યલક્ષી સેવા મળી રહે તે માટે સૂચન કર્યુ વલસાડ જિલ્લામાં પૂર જેવી સ્થિતને પગલે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી તેમજ આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ વલસાડ આવી પહોંચ્યા હતા અને ટીમ સાથે છીપવાડ ગરનાળાના પુલ ઉપરથી છીપવાડ દાણાબજારની માહિતી મેળવી હતી. ત્યારબાદ ઔરંગા નદીના મોટા પુલ પાસે પહોંચી બંને કાંઠે વહેતી ઔરંગા નદીના પગલે નીચાણવાળા ક્યાં ક્યાં વિસ્તારમાં પાણી ભરાયા અને કેટલા લોકોનું સ્થાળંતર કરવામાં આવ્યું તે અંગેની માહિતી મેળવી અસરગ્રસ્તોને રહેવા, જમવા અને આરોગ્યને…
Read More