ગીર સોમનાથમાં દિવ્યાંગ મતદાતાઓ, ૮૦ વર્ષ ઉપરના વરિષ્ઠ નાગરિકો અને કોવિડ-૧૯થી પ્રભાવિત મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ, તા.૮: ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેમાં જિલ્લાના તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેની દરકાર ભારતનું ચૂંટણી પંચ રાખી રહ્યું છે. જે મતદારો ચૂંટણી કામગીરીમાં રોકાયેલા હોવાના કારણે મતદાન મથકે જઈ મતદાન કરી શકતા નથી તેમના માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા વિધાનસભાની ચૂંટણીમાં પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં ફરજ પરના કર્મીઓની સાથે સાથે ૮૦ વર્ષ ઉપરના વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ મતદાતાઓ અને કોવિડ-૧૯ થી પ્રભાવિત અથવા કોવિડ શંકાસ્પદ મતદારો, જેમને મતદાન મથકના સ્થળે જવામાં મુશ્કેલી હોય…

Read More