ગીર સોમનાથમાં દિવ્યાંગ મતદાતાઓ, ૮૦ વર્ષ ઉપરના વરિષ્ઠ નાગરિકો અને કોવિડ-૧૯થી પ્રભાવિત મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથતા.૮: ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેમાં જિલ્લાના તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેની દરકાર ભારતનું ચૂંટણી પંચ રાખી રહ્યું છે. જે મતદારો ચૂંટણી કામગીરીમાં રોકાયેલા હોવાના કારણે મતદાન મથકે જઈ મતદાન કરી શકતા નથી તેમના માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા વિધાનસભાની ચૂંટણીમાં પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં ફરજ પરના કર્મીઓની સાથે સાથે ૮૦ વર્ષ ઉપરના વરિષ્ઠ નાગરિકોદિવ્યાંગ મતદાતાઓ અને કોવિડ-૧૯ થી પ્રભાવિત અથવા કોવિડ શંકાસ્પદ મતદારોજેમને મતદાન મથકના સ્થળે જવામાં મુશ્કેલી હોય પણ તેઓ તેમના મતદાનના અધિકારથી વંચિત ન રહે અને યોગ્ય રીતે તેનો ઉપયોગ કરી શકે તે હેતુથી તેમના માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

જેના ભાગરૂપે દરેક વિધાનસભા મતદાર વિભાગમાં મતદાન મથકના બુથ લેવલ ઓફિસરો (BLO) દ્વારા તેમના વિસ્તારમાં આવા મતદારો માટે અરજીનો નિયત નમૂનો ફોર્મ-૧૨ ડી નું વિતરણ કરવામાં આવી રહ્યું છે . બુથ લેવલ ઓફિસર (BLO) દ્વારા ફોર્મ-૧૨ ડી મળ્યેથી તેમાં સંપૂર્ણ વિગતો ભરી જરૂરી આધાર પુરાવા સાથે તા.૧૪/૧૧/૨૦૨૨ સુધીમાં સબંધિત ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીને મોકલી આપવાના રહેશે ત્યારબાદ ચકાસણીના અંતે મંજુર થયેલ ફોર્મ-૧૨ ડી વાળા મતદારોને પોસ્ટલ બેલેટ ફાળવવામાં આવશે. આવા મતદારો પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે.

Related posts

Leave a Comment