સુરતની વનિતા વિશ્રામ કન્યા મહાવિદ્યાલયના ૩૬ એન.સી.સી. કેડેટ્સ ‘૬-ગુજરાત ગર્લ્સ બટાલિયન’માં સામેલ

હિન્દ ન્યુઝ, સુરત         ‘વિશ્વ સ્કાઉટ દિન’ રૂપે ઉજવવામાં આવે છે. NCC (નેશનલ કેડેટ કોર)એ ‘એકતા અને અનુશાસન’ના ધ્યેયવાક્ય સાથે દેશમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. સ્વૈચ્છિક સંસ્થા NCCનો વ્યાપ દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ વધ્યો છે, જેના થકી વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થીકાળથી જ શિસ્ત અને રાષ્ટ્રરક્ષાની ભાવના મજબૂત બની રહી છે, ત્યારે ડિરેક્ટર જનરલ (દિલ્હી) અને ગુજરાત સરકારના સહયોગથી સુરતના અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ કન્યા વાણિજ્ય મહાવિદ્યાલયના ૩૬ ગર્લ્સ કેડેટ્સને ‘૬-ગુજરાત ગર્લ્સ બટાલિયન’માં સામેલ કરવામાં આવ્યાં છે. હાલમાં આર્મી યુનિટ અંતર્ગત કુલ ૩૬ કેડેટ્સ આ કોલેજમાં…

Read More

ડિફેન્સ એક્સ્પો -૨૦૨૨ના આયોજન માટેની એપેક્સ કમિટીની બેઠક ગાંધીનગરમાં સંપન્ન – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રક્ષા રાજ્યમંત્રીએ એક્સ્પોના આયોજનની તલ્સ્પર્શી સમીક્ષા હાથ ધરી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર   પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાદર્શનથી રક્ષા ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’નું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં ‘ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨’ અગત્યનું સોપાન સિદ્ધ થશે એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સ્પોનું આયોજન સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ ઘટના ગુજરાત સરકારના સંપૂર્ણ સહયોહગની ભૂપેન્દ્ર પટેલની ખાતરી રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટ • ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ મેજર ફોરેન ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEMs) ને ભારતીય સંરક્ષણ ઉદ્યોગ સાથે સહયોગ કરવાની તક પૂરી પાડશે • ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ની થીમ ‘પાથ ટુ પ્રાઈડ’ • ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ માટે અત્યાર સુધીમાં ૬૩ દેશોના ૧૨૧ વિદેશી પ્રદર્શકો સહિત કુલ ૯૭૩ પ્રદર્શકો નોંધાયા • હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર (HEC) ખાતે…

Read More

૧૦મો ખેલમહાકુંભ-૨૦૨૨, રાજ્યના યુવાધનમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા ખેલમહાકુંભ એક મહત્વનુ માધ્યમ

હિન્દ ન્યુઝ, સુરત           રમતગમત ક્ષેત્રે છૂપાયેલી પ્રતિભાઓ બહાર આવે અને દેશને સારા ખેલાડીઓ મળે તે ઉદ્દેશ્યથી ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષે ખેલમહાકુંભ યોજવામાં આવે છે, પરંતુ કોરોનાના ગ્રહણથી અગાઉના ખેલમહાકુંભને સ્થગિત કરવો પડ્યો હતો. કોરોના સંક્રમણથી રાહત મળતાં રાજ્યસરકારે ફરી એક વાર આ ખેલ પરંપરાને આગળ ધપાવતા ‘૧૫મો ખેલમહાકુંભ-૨૦૨૨’ નું ભવ્ય આયોજન કર્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રજિસ્ટ્રેશન ‘કર્ટેન રેઈઝર’ કાર્યક્રમનો શુભારંભ કરાવતાં ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ ખુલ્લું મૂક્યું છે. જેમાં રજિસ્ટ્રેશન કરી ભાગ લેવા…

Read More

તા.૨પ ફેબ્રુઆરીના રોજ ભરૂચ ખાતે પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદી અને નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ભરૂચ        આગામી તા. ૨પ ફેબ્રુઆરી-૨૦૨૨ના રોજ ભરૂચમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો કે.જે.પોલીટેકનીક ખાતે જિલ્લા પ્રભારી મંત્રી અને રાજયના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદી અને નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાશે. જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાના સુચારુ અને યોગ્ય આયોજન અંગે ભરૂચ કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. બેઠકમાં ગરીબ કલ્યાણ મેળા-૨૦૨૨ના અધ્યક્ષ અને કલેક્ટર તુષાર સુમેરાએ અધિકારીઓને સુચના આપતા જણાવ્યું કે, ગરીબોને મળતા લાભો એકમંચ પરથી તેમને સીધા જ મળી રહે તે…

Read More

આહવા ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળાને અપાયો આખરી ઓપ

હિન્દ ન્યુઝ, આહવા            આહવા ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળાને અપાયો આખરી ઓપ રાજ્યના ગરીબ પરિવારોને આર્થિક રીતે પગભર કરવા તથા સહાયરૂપ બનવા માટે રાજ્યભરમા આયોજિત કરાયેલા ૧૨મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળા પૈકીના ડાંગ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળાને જિલ્લા વહીવટી તંત્રે આખરી ઓપ આપી દીધો છે. ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવા ખાતે આગામી તા.૨૪મી ફેબ્રુઆરી એ ડાંગ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો યોજાઇ રહયો છે. જેના અનુસંધાને જિલ્લાના સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓએ તેમના હસ્તકની કામગીરીને આખરી ઓપ આપી દીધો છે. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ રહેલી…

Read More

જરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષે ખેલમહાકુંભ

હિન્દ ન્યુઝ, અમદાવાદ  રમતગમત ક્ષેત્રે છૂપાયેલી પ્રતિભાઓ બહાર આવે અને દેશને સારા ખેલાડીઓ મળે તે ઉદ્દેશ્યથી ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષે ખેલમહાકુંભ યોજવામાં આવે છે, પરંતુ કોરોનાના ગ્રહણથી અગાઉના ખેલમહાકુંભને સ્થગિત કરવો પડ્યો હતો. કોરોના સંક્રમણથી રાહત મળતાં રાજ્યસરકારે ફરી એક વાર આ ખેલ પરંપરાને આગળ ધપાવતા ‘ખેલમહાકુંભ-૨૦૨૨’ નું ભવ્ય આયોજન કર્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રજિસ્ટ્રેશન ‘કર્ટેન રેઈઝર’ કાર્યક્રમનો શુભારંભ કરાવતાં ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ ખુલ્લું મૂક્યું છે વર્ષ ૨૦૧૯માં આયોજિત ખેલમહાકુંભમાં ૩૬ રમતો હતી, જ્યારે આ વર્ષે ૨૯…

Read More

વિકાસના રોલ મોડેલ ગુજરાતે ક્લાયમેટ ચેન્જના પડકારો સામે પર્યાવરણીય સુરક્ષા-સજ્જતા સાથે વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, અમદાવાદ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘બિલ્ડિંગ અ કલાયમેટ રેઝિલીયન્ટ ગુજરાત’ અન્વયે રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ આયોજીત કાર્યક્રમમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, વિકાસના રોલ મોડેલ ગુજરાતે કલાયમેટ ચેન્જના પડકારો સામે પણ સુરક્ષિતતા, સજ્જતા સાથે વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે ૨૦૦૯માં એશિયાભરમાં પ્રથમવાર કલાયમેટ ચેન્જનો અલાયદો વિભાગ શરૂ કરી દેશ અને દુનિયાને આગવી દિશા દર્શાવી છે તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે આ કલાયમેટ ચેન્જ વિભાગના બજેટમાં છેલ્લાં ૧૨ વર્ષમાં ઉત્તરોતર વધારો કર્યો છે. આ વર્ષે બજેટમાં ૯૧૦…

Read More

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ‘વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે’ વિષય પર ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજીત ‘વિજ્ઞાન પ્રદર્શન’ને ખૂલ્લૂ મૂકતા શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી

હિન્દ ન્યુઝ, અમદાવાદ  શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ‘વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે’ વિષય ગુજરાત યુનિવર્સિટી ખાતે 22 થી 28 ફેબ્રઆરી સુધી ચાલનારા ‘વિજ્ઞાન પ્રદર્શન’ને ખૂલ્લૂ મૂક્તા જણાવ્યું કે, ગુજરાત સાયન્સ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં વધુને વધુ અવિરત વિકાસ કરી રહ્યું છે. સાયન્સ અને ટેક્નોલેજી ક્ષેત્રમાં યુવાનો ઉપર ગુજરાત સહિત સમગ્ર દેશની આશાઓ અને અપેક્ષાઓ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવામાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી ક્ષેત્રનું ખૂબ મહત્વનું યોગદાન રહેવાનું છે એમ તેમણે ઉમેર્યું હતું.  જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, આઝાદીનો અમૃત મહોત્સવ હેઠળ દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોની ઉજવણી…

Read More

ધી ન્યુ વિરમગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે ટેકાના ભાવથી તુવેરની ખરીદી માટે કેન્દ્ર શરૂ કરાયુ

હિન્દ ન્યુઝ, વિરમગામ             ભારત સરકારની પી.એસ.એસ યોજના હેઠળ ટેકાના ભાવથી તુવેરની ખરીદી માટે વિરમગામ એપીએમસીમાં ધી ન્યુ વિરમગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. મંગળવારે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવેલ ખેડુતોની તુવેરની ખરીદી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધી ન્યુ વિરમગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન નવદિપભાઇ ડોડીયા, પુર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડીયા, વિરમગામ એપીએમસી ચેરમેન લખુભા ચાવડા, વાઇસ ચેરમેન રમેશભાઇ કોળી પટેલ, ખરીદ વેચાણ સંઘના ડિટેક્ટરો, ભાજપના કાર્યકર્તાઓ, ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા. ધી ન્યુ વિરમગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન…

Read More

વૈજ્ઞાનિક ઢબે પશુપાલનના વ્યવસાય થકી પશુપાલકોને  આર્થિક રીતે  વધુ સદ્ધર બનાવવા રાજ્ય સરકારનો નિર્ધાર : કૃષિ, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર         કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે પશુઓના પોષણ, સંવર્ધન, આરોગ્ય અને વૈજ્ઞાનિક ઢબે પશુપાલનના વ્યવસાય થકી પશુપાલકોને આર્થિક રીતે વધુ સદ્ધર બનાવવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે જેના પરિણામે આજે પશુપાલકો પશુપાલનને શ્રેષ્ઠ વ્યવસાય તરીકે પસંદ કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ગોંડલના ગો દર્શન ટ્રસ્ટ તથા રાજ્યના પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે તૈયાર થયેલ ‘‘ગોદર્શન ગાઇડ’’ વિશેષાંકનું વિમોચન કરતાં મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉમેર્યું કે ‘‘ગોદર્શન ગાઇડ’’ નું માસિક છેલ્લા 35 વર્ષથી પ્રસિદ્ધ કરવામાં આવે છે. જેના…

Read More