હિન્દ ન્યુઝ, રાજકોટ • વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના સહકાર સોસાયટી મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૪૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન વાસી પ્રિપેર્ડ ફૂડ, ચટણી, વાસી કાપેલ બાફેલ શાકભાજી, મળી અંદાજે કુલ ૦૩ kg અખાધ વાસી ખોરાકનો નાશ કરેલ તથા ૧૯ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ. • નમુનાની કામગીરી – વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના સહકાર મેઇન રોડ વિસ્તારમાં ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ ૨ નમૂના લેવામાં આવેલ :- (૧) દાળ-પકવાનની દાળ (પ્રિપર્ડ-લુઝ): સ્થળ-ચંદુભાઈ રગડાવાળા…
Read MoreMonth: February 2022
રેલડી ખાતે આશાપુરા પ્રાકૃતિક ખેતી આધારિત મોડેલ ફાર્મ તેમજ કુકમા ખાતે ચિંતન પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લેતા માન.રાજયપાલ આચાર્ય દેવવ્રતજી
હિન્દ ન્યુઝ, ભુજ ભુજ તાલુકાના રેલડી ગામે આવેલ આશાપુરા પ્રાકૃતિક ખેતી આધારિત મોડેલ ફાર્મની માન.રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી હતી. તેમણે આશાપુરા ફાર્મ ખાતે ૫૦ ગાયોનો સમાવેશ થઇ શકે તેવી અત્યાધુનિક ગૌશાળાનું ખાતમૂહુર્ત કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ માન.રાજયપાલએ જીવામૃત બનાવવા માટેનો પ્લાન્ટ તેમજ વિવિધ અર્કો જેવા કે કેલ્શિયમ, પોટાશના પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. ત્યારબાદ માન.રાજયપાલએ આશાપુરા ફાર્મમાં સ્ટ્રોબેરી, ખારેક, ડ્રેગન ફૂટ (કમલમ ફૂટ) ના વાવેતરની મુલાકાત લઇને નિરીક્ષણ કર્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફાર્મ ખાતે આશરે ૨૫ હજાર લીટર જીવામૃત એક…
Read Moreભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજિત મતદાર જાગૃતિ સ્પર્ધા મારો મત એ મારું ભવિષ્ય છે – એક મતની તાકાત
હિન્દ ન્યુઝ, ભુજ ભારતના ચૂંટણી પંચે રાષ્ટ્રીય મતદાતા દિવસ 2022ના અવસરે સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા દરેક મતના મહત્વને ભારપૂર્વક સમજાવવા માટે રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ સ્પર્ધા. મારો મત મારૂં ભવિષ્ય એક મતની તાકાત શરૂ કરેલ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા SVEEP (સિસ્ટમેટિક વોટર એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેન્શન) પ્રોગ્રામ દ્વારા રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ સ્પર્ધા લોકોની પ્રતિભા અને સર્જનાત્મકતાને બહાર લાવવા અને લોકોની સક્રિય ભાગીદારી દ્વારા લોકશાહીને પણ મજબૂત બનાવવા માટે છે. તમામ વય જૂથો માટે સુલભ આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય ક્રાઉડસોર્સિંગ દ્વારા લોકશાહીમાં દરેક મતના મહત્વના વિષય પર પસંદ…
Read Moreભાવનગર જિલ્લામાં ગંગા સ્વરૂપા બહેનોને રૂ. ૬.૩૦ કરોડની પેન્શન સહાયની ચૂકવણી
હિન્દ ન્યુઝ, ભાવનગર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણની અનેક યોજનાઓ ચલાવે છે. તેમાની જ એક યોજના ગંગા સ્વરૂપા યોજના છે. જેમાં મહિલાઓ આર્થિક રીતે પગભર બની પોતાનું જીવન વ્યતિત કરી શકે તે માટે તેમજ સ્વમાનભેર પોતાનું જીવન જીવી શકે તે માટે દર મહિને તેમને પેન્શનરૂપે તેમને રૂા. ૧,૨૫૦ ની આર્થિક સહાય કરવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં આ રીતે આ યોજનાનો લાભ મહિલાઓને આપવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત ચાલું વર્ષના ફેબ્રુઆરી મહિનામાં તેઓના ખાતામાં રૂા. ૬.૩૦ કરોડ જમા કરાવવામાં આવ્યાં છે. આ યોજનામાં આ રકમ…
Read Moreવાહનોની લે-વેચ કરતા વેપારીઓએ વાહનની તથા વાહન વેંચનાર અને ખરીદનારની તમામ વિગતો સાથેનું રજીસ્ટર ફરજિયાત નિભાવવું પડશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારએ એક જાહેરનામા દ્વારા રજિસ્ટર્ડ ન થતા હોય તેવા સાઈકલ/મોપેડ/ વિદ્યુતથી ચાલતા વાહનો તથા જુના વાહનો તમામ પ્રકારના ફોર વ્હીલર, થ્રી વ્હીલર, ટુ વ્હીલરના વ્હીકલ વેચાણ કરનાર તેમજ આવા વાહનોની લે-વેચ કરનાર તથા આવા વાહનો ભાડે આપનાર વેપારીઓ ઉપર કેટલાક નિયંત્રણ મૂક્યા છે. આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે દેશમાં આતંકવાદી ભાંગફોડ કરતાં તત્વો આતંક ફેલાવવાના હેતુથી ઉપયોગ કરવા માટે રજીસ્ટર્ડ ન થતા હોય તેવા સાઈકલ / મોપેડ / વિદ્યુતથી ચાલતા વાહનોનો ઉપયોગ કરતા હોય છે. આતંકિત કૃત્યમાં આવા વાહનોનો ઉપયોગ થયા બાદ આવા…
Read Moreબોટાદ જિલ્લાના જુના / નવા મોબાઇલ ફોન અને સીમકાર્ડના વિક્રેતાઓએ મોબાઇલ ફોન અને સીમકાર્ડના ખરીદ – વેંચાણનું રજીસ્ટર નિભાવવુ જરૂરી
હિન્દ ન્યુઝ બોટાદ રાજ્યમાં બનતા ગુનાઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ થતાં હોય તેમજ મોબાઇલ ચોરીનાં ગુનાને ધ્યાને લઈ, ગુનાઓમાં વપરાયેલ અથવા ચોરાઈ ગયેલ મોબાઇલ ફોનના આઇ.એમ.ઇ.આઇ. (IMEI) નંબરનું ટ્રેકીંગ કરીને ગુનાના મુળ સુધી પહોંચવાનાં પ્રયાસો કરવામાં આવે છે. ઘણી વખત મોબાઇલ ફોનનાં વપરાશકર્તાઓ સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે, અજાણ્યા માણસ પાસેથી મોબાઇલ ખરીદેલ છે, જે મોબાઇલ વેચનાર/ખરીદનારને ચોરાયેલ અથવા ગુનામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી. જેથી ગુનાઓની તપાસમાં કોઇ ફળદાયી હકીકત મળતી નથી. જેને ધ્યાને લઈ આરોપીને પકડવા તેમજ મોબાઇલ ચોરીના ગુનાઓને અટકાવી શકાય અને ગુનાઓના મુળ સુધી…
Read Moreમકાન/દુકાન/ઓફીસ ભાડે આપવા તથા લેબર રજીસ્ટ્રેશન અંગે માહિતી રાખવા બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, બોટાદ આંતકવાદ / ત્રાસવાદી તત્વો બહારના રાજ્યો કે દેશ બહારથી આવતા હોય છે અને રહેણાંક, વાડી, ખેતરના રહેણાંક, ઔદ્યોગિક વિસ્તારોમાં મકાન, દુકાન, ઓફીસ, એકમો ભાડે રાખી રહેતા હોય છે. તેમજ વિસ્તારનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈને ત્રાસવાદી પ્રવૃતિઓને અંજામ આપતા હોય છે. જેથી ઔદ્યોગિક વિસ્તારમાં મકાન, એકમો ભાડે આપતા માલિકો તથા ગ્રામ્ય શહેરી વિસ્તારમાં રહેણાંક, વાડી, ખેતરના રહેણાંક ઉપર થોડાક નિયત્રંણો મુકવા, દેશની સુરક્ષા તથા સ્થાનિક લોકોની જાન માલની સુરક્ષા પરીપ્રેક્ષ્યમાં જરૂરી જણાતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામાં જણાવ્યાઅ પ્રમાણે…
Read Moreબોટાદ ખાતે રાજ્યમાં ફોજદારી કાયદાની જાણકારી માટે તાજેતરમાં વેબીનારનું આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, બોટાદ નામ.ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવીંદ કુમાર તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના એકઝીક્યુટિવ ચેરમેન આર.એમ.છાયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં સેશન્સ કેસો ચલાવતા પેનલ વકીલો ને ફોજદારી કાયદાની જાણકારી માટે તાજેતરમાં વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબીનારમાં ગુજરાત હાઇકોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી જે.એમ.પંચાલ દ્વારા વિષયને અનુરૂપ કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું. વેબીનારના અંતમાં પ્રશ્નોત્તરી રાખવામા આવેલ હતી જેમાં પેનલ વકીલો દ્વારા કાયદાકીય પ્રશ્નો પૂછવામાં આવેલ હતા અને સિનિયર ધારાશાસ્ત્રી જે.એમ. પંચાલ દ્વારા તેઓના પ્રશ્નો અંગે કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ વેબીનારમાં ગરીબ, અભણ…
Read Moreજિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલ યુવા અને ઉત્સાહી રોજગારવાંચ્છુઓએ નોંધણી તાજી(RENEWAL) કરાવવાની રહેશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા રોજગાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલ યુવા અને ઉત્સાહી રોજગારવાંચ્છુઓ કે જેમની નામ નોંધણી તા.૦૧/૦૩/૨૦૨૨ ના રોજ રોજગાર કચેરીના લાઈવ રજીસ્ટર પરથી નોંધણી તાજી(RENEWAL) ન કરાવવા બદલ કમી થનાર હોઈ સબંધિત રોજગારવાંચ્છુએ નામ નોંધણી તાજી(RENEWAL) કરાવવા માટે રોજગાર કચેરી ખાતે નામ નોંધણી થયા તારીખથી ત્રણ વર્ષ પૂર્ણ થતા હોય તે પછીના ત્રણ મહિનામાં નોંધણી તાજી(RENEWAL) કરાવવા માટે વેબ પોર્ટલ www.employment.gujarat.gov.in પર JOB SEEKER LOGIN મેનુ પર ક્લિક કરી E-Mail સામેના ખાનામાં નોંધણી કાર્ડમાં દર્શાવેલ E-Mail એડ્રેસ લખવું તથા…
Read Moreબોટાદ જિલ્લામાં અંદાજિત ૬૮,૮૯૦ લાભાર્થીઓને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં આયુર્વેદિક શાખા જિલ્લા પંચાયત બોટાદ દ્વારા અંદાજિત ૬૯,૦૨૦ લાભાર્થીઓને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આર્સેનિક આલ્બમ, સંશમની વટી તેમજ આર્શેનીક આલ્બમ હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લામાં બરવાળા, ગઢડા, રાણપુર ખાતેની તાલુકા પંચાયતની ઓફિસોમાં ૪૫૦ જેટલા કર્મચારી અને લાભાર્થીઓને, બરવાળા નગરપાલિકા, મામલતદાર કચેરી ખાતે ૬૦ લાભાર્થીઓને, દીનદયાળ ચોક બોટાદ ખાતે તેમજ સોનાવાલા જનરલ હોસ્પિટલ ખાતે ૨૫૦૦૦ જેટલા લાભાર્થીઓને, બોટાદ રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન ખાતે ૧૨૦ કર્મચારી તેમજ લાભાર્થીઓને, રેલ્વે કોલોની ખાતે ૧૫૦૦ લાભાર્થીઓને, એમ.એમ. હાઇસ્કૂલ ગઢડા ખાતે ૧૦૦૦૦ લાભાર્થીઓને,…
Read More