હિન્દ ન્યુઝ, ભુજ વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ માં ઘેર બેઠાં હસ્ત શિલ્પીઓ અને કારીગરોએ કરેલાં ઉત્પાદનને ગ્રાહક સાથે સીધુ બજાર આપવા તેમજ કલાગીરીને પ્રોત્સાહિત કરવાના પ્રયાસોરૂપે કેન્દ્ર સરકારના વસ્ત મંત્રાલય દિલ્હી ઓફીસ ઓફ ધી ડેવલોપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફટ અને હસ્તકલા ઔધોગિક સહકારી મંડળ લિ. દ્વારા હાલે ભુજહાટ ખાતે ગાંધી શિલ્પ બજારમાં દેશના ૧૨ રાજયોના કારીગરો રોજગારી મેળવી રહયા છે. ભુજ હાટ ખાતે ૫૦ કારીગરો કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, જમ્મુ કાશ્મીર, પં.બંગાળ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, ઉતરપ્રદેશ, કર્ણાટક સાથે કચ્છ અને…
Read MoreMonth: February 2022
હિંમતનગર ખાતે સાબરકાંઠા-અરવલ્લીની સંયુક્ત દિવ્યાંગ મોબાઈલ કોર્ટની સુનાવણી હાથ ધરાઇ
હિન્દ ન્યુઝ, હિંમતનગર હિંમતનગર ખાતે સાબરકાંઠા-અરવલ્લીની સંયુક્ત દિવ્યાંગ મોબાઈલ કોર્ટની સુનાવણી હાથ ધરાઇ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કલેકટર કચેરી સભાખંડમાં દિવ્યાંગ વ્યક્તિ ઓ માટેના કમિશ્નર વી. જે. રાજપૂતના અધ્યક્ષસ્થાને સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની સંયુક્ત દિવ્યાંગ મોબાઈલ કોર્ટની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને જિલ્લાના દિવ્યાંગજનોની વિવિધ રજૂઆતો/ફરિયાદોના નિરાકરણ અર્થે આ દિવ્યાંગ મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોબાઈલ કોર્ટમાં દિવ્યાંગજનો દ્વારા વિવિધ ૪૫ જેટલા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. આ દિવ્યાંગ કોર્ટ સુનાવણીમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુકત શિક્ષણ મેળવવામાં પડતી મુશ્કેલીઓ, શારીરિક દિવ્યાંગતા ધરાવતા કર્મચારીની સમસ્યા, દિવ્યાંગ બાળકોને થતા અન્યાય, દિવ્યાંગોને અંત્યોદય કાર્ડ…
Read Moreઆદિજાતિ વિકાસ વિભાગના મંત્રી નરેશભાઇ પટેલે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માતાજીના દર્શન કરી કુંભારીયા આશ્રમ શાળાની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, પાલનપુર આદિજાતિ, અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઇ પટેલે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માતાજીના દર્શન કરી કુંભારીયા આશ્રમશાળાની મુલાકાત લીધી હતી. શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા યાત્રાધામ અંબાજી ખાતે મંત્રીશ્રી નરેશભાઇ પટેલનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ મંત્રીએ માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજા- અર્ચના કર્યા હતા. અંબાજી મંદિરના પુજારી દ્વારા તેમનું માતાજીની ચુંદડી ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ. મંત્રીશ્રીએ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ પણ મેળવ્યા હતા. અંબાજી મંદિરમાં માતાજીના દર્શન બાદ મંત્રી…
Read More“મારો મત એ મારું ભવિષ્ય છે – એક મતની તાકાત” વિષય પર ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ સ્પર્ધાનું આયોજન
હિન્દ ન્યુઝ, બોટાદ ભારતના ચૂંટણી પંચે રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૨ના અવસરે સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા દરેક મતના મહત્વને ભારપૂર્વક સમજાવવા માટે રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ સ્પર્ધા માટે “મારો મત મારૂં ભવિષ્ય – એક મતની તાકાત” શરૂ કરેલ છે. “મારો મત એ મારું ભવિષ્ય છે એક મતની તાકાત” થીમ પર રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં પાંચ શ્રેણીઓ છે જેમાં ક્વિઝ સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા, ગીત સ્પર્ધા, વિડિયો બનાવવાની સ્પર્ધા અને પોસ્ટર ડિઝાઇન સ્પર્ધાનો સમાવેશ થાય છે. ગીત સ્પર્ધા, વિડિયો બનાવવાની સ્પર્ધા અને પોસ્ટર ડિઝાઇન સ્પર્ધાને ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે. સંસ્થાકીય, વ્યવસાયિક અને કલાપ્રેમી. દરેક…
Read Moreસુરત જિલ્લામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ જાન્યુ-ફેબ્રુઆરીની રૂ.૧૬.૪૪ કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે
હિન્દ ન્યૂઝ, સુરત સુરત જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપા બહેનો માટે ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત મહિલાઓ આર્થિક રીતે પગભર બની શકે તે માટે દર મહિને રૂ.૧૨૫૦ ની સહાય ચૂકવવામાં આવે છે. સુરત શહેર-જિલ્લામાં ૬૨,૨૬૫ જેટલી બહેનોને સહાયનો લાભ આપીને તેમને આર્થિક સધિયારો આપવામાં આવી રહ્યો છે. આ સહાય તેમને ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર (DBT) થી તેમના ખાતામાં જમા કરવામાં આવે છે. જાન્યુ.અને ફેબ્રુ.-૨૦૨૨ બે મહિનાની રૂા.૧૬.૪૪ કરોડની પેન્શન સહાય તેમના ખાતામાં જમા કરવામાં આવી છે. આમ, રાજય સરકાર દ્વારા ગરીબવર્ગની બહેનોને આજીવન પેન્શનરૂપી સહાય કરીને તેમના…
Read Moreમહુવા તાલુકામાં મનરેગા યોજના હેઠળ ૩ આંગણવાડીનું બાંધકામ પૂર્ણ
હિન્દ ન્યુઝ, મહુવા આઇ.સી.ડી.એસ. શાખાની તાબા હેઠળની આંગણવાડીઓમાં “મનરેગા યોજના” હેઠળ મહુવા તાલુકામાં કુલ ૩ (ત્રણ) આંગણવાડીનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યો છે. “આધાર યોજના” હેઠળ ૧૦૦ દિવસની કામગીરી અંતર્ગત સુરત ગ્રામ્ય વિસ્તારના તમામ ઘટક કચેરી તથા આંગણવાડીમાં કુલ ૨૬,૫૨૮ આધાર રજિસ્ટ્રેશન કરી ૧૦૬.૧૧% સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કોવિડ-૧૯ ની પરિસ્થિતિને ધ્યાને લેતા આંગણવાડીમાં નોંધાયેલ લાભાર્થીઓ પૈકી ૬૬૫૭ સગર્ભા,૬૧૦૩ ધાત્રી, ૬ માસથી ૩ વર્ષના ૩૨,૫૨૨ બાળકો, ૩ થી ૬ વર્ષના ૩૪,૫૭૩ બાળકો તેમજ ૨૦,૦૬૪ કિશોરીઓને (પૂરક પોષણ) નો લાભ તેમના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. આઇ.સી.ડી.એસ. કચેરીના તાબા હેઠળની આંગણવાડીઓમાં નોંધાયેલી અને…
Read Moreનવસારી જિલ્લામાં ગુજરાત સરકારના મહેસુલ વિભાગની પ્રથમવાર મહેસુલ મેળાની શરૂઆત….
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લામાં ગુજરાત સરકારના મહેસુલ વિભાગની પ્રથમવાર મહેસુલ મેળાની શરૂઆત કરવામાં આવી હતી. સૌપ્રથમ મેળાનું આયોજન નવસારી જિલ્લા ખાતે કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લા ખાતે પ્રથમ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહેસુલી વિભાગ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત કરતા પ્રથમ મહેસુલ મંત્રીએ પોતાના માન્ય અધિકાર નો પરિચય આપ્યો હતો ને તેમણે સ્ટેજ ઉપરથી નીચે આવીને અરજદારોને તેમના હક પત્ર આપ્યા હતા. તો બીજી તરફ હવે મંત્રીઓ કાર્યક્રમમાં વહેલા આવી લોકોની રાહ જોઈએ એવું નિવેદન તેમણે સ્ટેજ ઉપરથી આપ્યું હતું ત્યાર બાદ કાર્યક્રમમાં હાજર…
Read Moreભાવનગર શહેરકક્ષા/ગ્રામ્યકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, ભાવનગર સંચાલિત ભાવનગર શહેર કક્ષા અને ગ્રામ્યકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધા તા.૧૨/૦૨/૨૦૨૨ના રોજ લોકનૃત્ય, સમૂહગીત, લગ્નગીત, લોકગીત, ભજન, શિશુવિહાર સંસ્થા, શિશુવિહાર સર્કલ પાસે ભાવનગર ખાતે સવારે ૯ કલાકથી ક્રમશ: શરૂ કરવામાં આવશે તથા એકપાત્રીય અભિનય, વકતૃત્વ, લોકવાર્તા, લોકવાદ્ય, નિબંધ, દોહા છંદ ચોપાઈ, સર્જનાત્મક કારીગરીની સ્પર્ધાઓ યશવંતરાય નાટ્યગૃહ ભાવનગર ખાતે સવારે ૯ કલાકથી ક્રમશ: શરૂ કરવામાં આવશે. શહેરકક્ષા/ગ્રામ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવનાર સૌરાષ્ટ્ર ઝોનમાં ભાવનગર…
Read Moreહોટલ- ગેસ્ટહાઉસ, પેટ્રોલ પમ્પ, બેંકીંગ સંસ્થાઓ વિગેરે જેવા સ્થળોએ સી.સી. ટી.વી. કેમેરા મુકવા બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં નજીકના ભુતકાળમાં સગીરવયની બાળા પર દુષકર્મના પ્રયાસની ઘટના બનવા પામેલ તથા બહારના રાજ્યોમાંથી તથા દેશ બહારથી આંતકવાદ અને સમાજ વિરોધી તત્વો ખાસ કરીને ભીડભાડવાળા તથા લોકોની મોટી સંખ્યામાં અવર – જવરવાળા વિસ્તારોમાં સ્થાનિક વિસ્તારોથી માહિતગાર થઈને તેઓની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. જેથી માનવ જીંદગીની ખુંવારી ન થાય અને લોકોની માલ મિલ્કતને નુકશાન ન થાય તે માટે તકેદારીના પગલાં રૂપે તમામ બેંકીંગ સંસ્થાઓ, સોના – ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાત વેચનાર તથા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ, થિયેટર, શોપીંગ સેન્ટરો, કોમર્શીયલ સેન્ટરો, હોટલ/ગેસ્ટ હાઉસ/, લોજીંગ –…
Read Moreહોટલ/લોજ/ગેસ્ટ હાઉસ/ધર્મશાળામાં રોકાણ કરનારની માહિતી રાખવા બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, બોટાદ અસામાજિક / ત્રાસવાદી તત્વો શહેરોમાં તેમજ હોટલ, લોજ, બોડીંગમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે તેમજ માનવ જીદગીની ખુવારી થાય અને જાહેરમાં લોકોની સંપત્તિને નુકશાન પહોંચાડવાની કોશીષ કરે છે. જેથી બહારના રાજ્યોમાંથી અગર દેશ બહારથી આવતા આવા તત્વો હોટલ, લોજ, બોંડીગ, ગેસ્ટ હાઉસ વિગેરે જગ્યાઓ સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહીતગાર થઈને તેઓ ત્રાસવાદી/લુંટ/ચોરી જેવી પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. જેથી હોટલ, લોજ, બોડીંગમાં આશરો આપતા માલિકો ઉપર થોડાક નિયત્રંણો મુકવા, દેશની સુરક્ષાના પરીપ્રેક્ષ્યમાં જરૂરી જણાતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારએ જાહેરનામું પ્રસિધ્ધ…
Read More