હિન્દ ન્યુઝ, વિરમગામ વિરમગામ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ૨ જી ઓક્ટોમ્બર ગાંધીજીની ૧૫૧ મી જન્મ જયંતિના દિને આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે રહેમલપુર ગામે કાનૂની જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી. જેમાં સમિતિના વકીલ મોહનલાલ સિંધવ સહિત કિરીટ રાઠોડ, અશ્વિન કો.પટેલ પેરાલીગલ સહાયકો તેમજ રેવાભાઈ પરમાર (સરપંચ) જોડાયા હતા અને ગ્રામજનોને મફત કાનૂની મદદ માર્ગદર્શન સાથે બંધારણના મૂળભૂત અધિકારો, આર.ટી.આઈ, આર.ટી.ઇ, અન્ન અધિકાર વિશે માહિતી પુરી પાડવામાં આવી હતી. રિપોર્ટર : કિરીટ રાઠોડ, વિરમગામ
Read MoreMonth: October 2021
ગારિયાધાર ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ દ્રારા મામલતદાર તેમજ તાલુકા પંચાયતે આવેદન પત્ર આપવામા આવ્યું
હિન્દ ન્યુઝ, જાફરાબાદ ગારિયાધાર ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ દ્રારા મામલતદાર તેમજ તાલુકા પંચાયતે આવેદન પત્ર આપવામા આવ્યુ સાથો સાથ વિરોધ પણ દર્શાવેલ કે જો માંગ નહીં સંતોષાય તો ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ દ્રારા 5 તારીખે કાળી પટ્ટી બાંધી ને ઉગ્ર વિરોધ કરવા મા આવશે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ દ્વારા પોતાની કેટલીક જૂની માંગો લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ તકે ઉપસ્થિત રહેલા તમામ સાહસિક મંડળ ના સભ્યોએ ગુજરાત સરકારની ઘોર ટીકા કરી હતી. જેમાં ૨૦૦૬ થી આજદિન સુધી સતત કામગીરી કરતા હોય તેને તેની…
Read Moreરવિવારે ચોટીલામાં નવરંગ નેચર ક્લબ રાજકોટ રામ-રહીમ ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે રાહતદરે કલમી રોપા વિતરણ
હિન્દ ન્યુઝ, જશદણ નવરંગ નેચર કલબ રાજકોટ અને રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા ના સંયુક્ત ઉપક્રમે કેસર કલમી આંબા, કલમી ચીકુ ના રોપા, મધુનાશી અને ફૂલછોડ અને ફુલસ્કેપ ચોપડા નું રાહત દરે વિતરણ. જેમાં વિવિધ જાત ના ફૂલછોડ, ગાય આધારિત વિવિધ ચીજવસ્તુઓ, એલોવેરા જેલ,અળસીયા અને કોકોપીટ નું ખાતર,પ્યોર મધ,પ્લાસ્ટિક ના ચબુતરા, દેસી ઓસડીયા, પંચામૃત, લીંબુ, લીંબુ આદું, ઠંડાઈ, આંબડા વગેરે ના પાવડર હર્બલ ટી, બાજરા ના ખાખરા, હાથે ખાંડેલા દેસી ઓસડિયા અને સફેદ ડાઘ ની આયુર્વેદિક દવા મળશે. નાગરવેલ, મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનીયા, જાસૂદ, મરી, એરિકા પામ, લાલ અને મિક્સ કાશ્મીરી ગુલાબ,…
Read Moreપાલનપુર તલાટી કમ મંત્રી મંડળ દ્વારા માસ સી એલ ધારણા પ્રદર્શન
હિન્દ ન્યુઝ, પાલનપુર ગુજરાત રાજ્ય તલાટી- મંત્રી મહા મંડળ દ્વારા તલાટી કમ મંત્રી ઓ ના કેડર પ્રશ્નો લયી સરકાર સામે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. જેમાં બનાસકાંઠા ના પાલનપુર માં પાલનપુર તાલુકા પંચાયત પર તલાટી કમ મંત્રી ઓ કેડર પ્રશ્નો લયી એમની માંગો પૂરી કરવા પેન ડાઉન કાળી પટ્ટી જેવી હડતાળ પર ઉતર્યા હતા. જેમાં એક દિવસ માસ સી એલ ધારણા પ્રદર્શન પર સંપૂર્ણ રજા પર ઉતરી સરકાર સામે પ્રશ્નો અંગે વિવિધ માંગ પૂરી કરવામાં આવે. જેમાં ૨૦૦૪-૫-૬ ના કર્મચારી ને સેવા સળંગ ગણવા ઉચ્ચ પગાર ધોરણ નાણાં વિભાગ…
Read Moreથરાદ ખાતે થરાદ શહેર ભાજપ દ્વારા મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતિ ની અનોખી રીતે ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, થરાદ થરાદ ખાતે મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે યજ્ઞ કરી કરી ઉજવણી જેમાં વાલ્મીકિ સમાજ ના પરિવાર તેમજ ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો અને કાર્યકર્તા ઓ વાલ્મીકિ પરિવાર સાથે બેસી મંત્રો ચાર સાથે યજ્ઞ મા જોડાયા, આ યજ્ઞ ઇન્ચાર્જ ગાયત્રી પરિવાર ના જેહાભાઈ હડીયલ હતાં, યજ્ઞ બાદ ગાંધીજી ને પુષ્પાંજલિ કરી વાલ્મીકિ સમાજ ના ભૂવાઓ તેમજ વાલ્મીકિ સમાજ મા વધુ અભ્યાસ કરનાર દિકરી તેમજ દીકરાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું. યજ્ઞ સ્થળે વ્યસન મુક્તિ ના પોસ્ટર ના માધ્યમ થી વ્યસન મુક્તિ નો સંદેશો આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ ના…
Read Moreલઘુતમ ટેકાના ભાવે મગફળી ખરીદી વર્ષ-૨૦૨૧-૨૨ અંતર્ગત ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર વર્ષ-૨૦૨૧-૨૨ અંતર્ગત લઘુતમ ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન તા.૩૧/૧૦/૨૦૨૧ સુધીમાં ખેડુતોએ પોતાના ગામની ગ્રામપંચાયત ખાતે “વિલેજ કોમ્પયુટર એન્ટરપ્રીન્યોર” (V.C.E) પાસે અથવા નજીક્ના APMC કેન્દ્ર ખાતે પણ ખેડુતો નોધણી કરાવી શકાશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત રહેશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ (ફરજીયાત), ૭/૧૨, ૮-અ નકલ (અદ્યતન), ફોર્મ નંબર-૧૨ માં વાવેતરની નોંધ ના હોઇ તો મગફળીનો પાક જે તે સર્વે નંબરમાં વાવેતરકર્યાનો તલાટીનો દાખલો, બેન્ક પાસબુક અને IFSC કોડ અથવા કેન્સલ ચેક મુજબનાં ડોક્યુમેન્ટ આપવાનાં રહેશે. વધુ માહિતી માટે જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ નં ૦૨૭૮-૨૪૨૮૯૦૮ પર સંપર્ક કરવાનો રહેશે…
Read Moreપૂ.બાપૂની ૧૫૨ મી જન્મ જયંતિ નિમિત્તે ‘’જલ જીવન મિશન’’ અંતર્ગત ભાવનગર જિલ્લામાં ખાસ ગ્રામસભાઓનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતના રાષ્ટ્રપિતા અને આપણાં સૌના પૂ. ગાંધી બાપુની ૧૫૨ મી જન્મ જયંતિના અવસરે સમગ્ર ભાવનગર જિલ્લામાં ગામેગામ ગ્રામસભાઓનો આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ કરદેજ ગામ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પ્રશાંત જિલોવાએ ઘોઘા તાલુકાના વાળુકડ ગામે તેમજ જિલ્લાના વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓએ વિવિધ ગામોમાં ગ્રામસભામાં ગ્રામોદય માટે સહભાગી થયાં હતાં. મહાત્મા ગાંધી જયંતિ – ૨૦૨૧ નિમિત્તે ‘’જલ જીવન મિશન’’ અંતર્ગત ભાવનગર જિલ્લામાં ખાસ ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કરદેજ ગામ ખાતે વિશેષ રૂપે ઉપસ્થિત રહેલા જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ ગ્રામસભામાં ગ્રામજનોને જણાવ્યું કે, આજે પૂ.…
Read Moreકાલાવડ ખાતે “સમાજની વહારે સમાજ” સુત્રને સાર્થક કરતો ભરવાડ સમાજ પૂરહોનારતમાં ભરવાડ સમાજને થયેલ નુકશાનીમાં મદદ કરવા માટે કાલાવડના રણુંજાધામે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, કાલાવડ કાલાવડ તાલુકાના રણુંજાધામમાં રામદેવપીરના મંદિરમાં ભરવાડ સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતુ. હાલમાં જ અતિવૃષ્ટિને પરીણામે જામનગર જિલ્લામાં તબાહી સર્જાઈ હતી જેમા ખાસ કરીને ભરવાડ સમાજના અસંખ્ય પશુઓનું મોત થયુ છે. જેને પરિણામે રોજીરોટી છીનવાઈ ગઈ છે અને સાથો સાથ રહેણાંક મકાન સહિત ઘરવખરી પણ પૂર પ્રકોપમાં તણાઈ ગઈ છે. ભરવાડ સમાજના અસરગ્રસ્ત પરિવારોને આર્થિક સહાય કરવા માટે આ મિટિંગ યોજીને “સમાજની વહારે સમાજ” સુત્રને સાર્થક કરેલ. આ મિટિંગમાં સમસ્ત ભરવાડ સમાજના ધર્મગુરુ…
Read More