હિન્દ ન્યુઝ, જશદણ જસદણમાં ગત રાત્રી દરમિયાન જસદણ વીછીયા બાયપાસ રોડ પર એક બિનવારસી ખૂંટ ને કોઈ અજાણ્યા વાહને ઠોકર મારતાં ખૂંટ ને પેટના ભાગે ગંભીર ઇજા થઇ હતી, આ વાત ની જાણ થતાં જસદણ ના જીવદયા પ્રેમી પ્રફુલભાઈ મકવાણા, વિક્રમભાઈ રાઠોડ, સાગરભાઈ રાઠોડ, રોહિત ભૂવા, મનીષભાઈ શાસ્ત્રી, વિરાજભાઈ ભૂવા તથા કિશન ભાઈ અને મેહુલભાઈ રબારી ની ટીમ સ્થળ પર પહોંચી સરકારી પશુ ડોકટર ની મદદ થી પ્રાથમિક સારવાર આપી હતી. સવારે વધુ સારવાર ની જરૂર પડતાં એ ખૂંટ ને સરદાર પટેલ એનિમલ કેર સેન્ટર રાજકોટની મદદ થી દીપકભાઈ તથા…
Read MoreDay: October 14, 2021
શ્રી ઊણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઉણમા
હિન્દ ન્યુઝ, દિયોદર તા-૧૪/૧૦/૨૦૨૧ ને ગુરૂવાર ના રોજ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ગમાનસિહ વાઘેલા, કોલેજના પ્રાધ્યાપક ભરતભાઈ ઠાકોર, રવિભાઈ માધુ, ભાવુભા વાઘેલા, ભરતભાઈ રાઠોડ, વિનોદભાઈ ચૌધરી, ડોલીબેન શાહ, રામી ઈશાનીબેન, કિર્તીભાઈ ઘાઘોસ, કિરણબેન પટેલ, સહાયક જહાભાઈ દેસાઈ, વિષ્ણુભાઈ દેસાઈ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થી જસાલિયા મનોજભાઈએ કર્યું હતું. આ કાર્યક્રમના અંતે નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમની આભારવિધિ ક્લાર્ક વિષ્ણુભાઈ પ્રજાપતિએ કરી હતી. શ્રી ઊણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઉણમા તા-૧૪/૧૦/૨૦૨૧ ને ગુરૂવાર ના…
Read Moreલાખણી તાલુકાના ગણતા ગામે ગોગા મહારાજની મુર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધુમથી ઉજવાયો
હિન્દ ન્યુઝ, લાખણી રાજપૂત (જોજા) કુળની રક્ષા કરનાર ઈષ્ટ દેવ શ્રી ગોગા મહારાજ (રૂપાબાપુના ગોગા) અને ભુવાજી રામાજી બાપુની જુબાનના ટીચવે વાત માંડનાર દેવની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. જેમાં ૧૦૧ થી વધુ સ્કોર્પિયો ગાડી અને ૧૦૦ થી વધુ બાઈક- બુલેટના કાફલા દ્વારા ગોગા મહારાજની મુર્તિ લેવા વાવ તાલુકાના ઢિમા ધામે ગયા હતા. જ્યાંથી ડીજે અને વાગતા ઢોલે ગણતા ગોગા મહારાજ મંદિર સુધી હજારોની જન મેદની ઉમટી પડી હતી.કોરોનાની ગાઈડ લાઈનના ચુસ્ત પાલન સાથે રસ્તામાં અન્ય ગામોના લોકો દ્વારા પણ બાપુના ઠેર-ઠેર સામૈયા અને ફુલહારથી વધાવી ઉમળકાભેર સ્વાગત…
Read Moreનવરાત્રીના પાવન પર્વે ૧૦૯ દિકરીઓને શ્રૃંગારનો શણગાર આપી જગદંબા સ્વરૂપા નારીશક્તિની આરાધના કરતો ભાવનગરનો નિજાનંદ પરિવાર
હિન્દ ન્યુઝ, ભાવનગર નવરાત્રી એટલે માં જગદંબાની આરાધના કરવાનો અવસર, કાલાવાલા કરવાનો તહેવાર. ભારત દેશમાં નારીને શક્તિ તરીકે પૂજવામાં આવતી હોય, નારીશક્તિનું પૂજન- અર્ચન કરવામાં આવતું હોય ત્યાં તેનું મહિમામંડન ન થાય તો જ નવાઇ….. ભાવનગરની નિજાનંદ પરિવાર સંસ્થા પણ એક આવી જ સંસ્થા છે. જે સમાજના વિવિધ ક્ષેત્રમાં સામાજિક પ્રદાન દ્વારા સમાજોત્થાનનું કાર્ય કરી રહી છે. અત્યારે નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે જગદંબા સ્વરૂપા દિકરીઓને શ્રૃંગારનો શણગાર આપીને આ પરિવારે ‘બેટી વધાવો – બેટી પઢાવો – બેટી બચાવો’ ને સાર્થક કરવાનો પ્રયાસ કર્યો છે. નગદુર્ગા સમાન દિકરીઓને રાજી…
Read Moreઉખરલાં ગામની મુલાકાત લઇને છેલ્લાં એક વર્ષ દરમિયાન જન્મેલ દિકરીના ઘરની મુલાકાત લઇ દીકરી જન્મના વધામણાં કર્યા
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર કલેક્ટરએ ઘોઘા તાલુકાના ઉખરલાં ગામની મુલાકાત લઇને છેલ્લાં એક વર્ષ દરમિયાન જન્મેલ દિકરીના ઘરની મુલાકાત લઇ દીકરી જન્મના વધામણાં કર્યા હતાં. તેમની સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ પણ જોડાયાં હતાં. ભાવનગર કલેક્ટરએ નવરાત્રીના નવલાં દિવસો દરમિયાન તેમની રૂટીન મુલાકાત દરમિયાન ઉખરલાં ગામમાં જન્મેલ દિકરીઓના ઘરે ઢોલ- નગારાં સાથે ગામના આગેવાનો સાથે પહોચ્યાં હતાં. કલેક્ટરએ આ રીતે રાજ્ય સરકાર દ્વારા ‘બેટી બચાવો- બેટી પઢાવો’ના અભિયાનમાં સૂર પૂરાવ્યો હતો. સમાજમાં દિકરો- દીકરી એક સમાન છે તેનો સંદેશ પણ કલેક્ટરએ આ રીતે આપ્યો હતો. કલેક્ટરએ ‘બેટી બચાવો- બેટી…
Read Moreસમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી ઓક્ટોબર/૨૦૨૧ – નવેમ્બર/૨૦૨૧નાં માસ દરમિયાન તા.૨૪/૧૦/૨૦૨૧ નાં રોજ સંકટ ચતુર્થી, તા.૩૧/૧૦/૨૦૨૧ નાં રોજ રાષ્ટ્રીય એકતા દિન, તા.૦૨/૧૧/૨૦૨૧ નાં રોજ ધનતેરસ, તા.૦૩/૧૧/૨૦૨૧ નાં રોજ કાળીચૌદશ, તા.૦૪/૧૧/૨૦૨૧ નાં રોજ દિવાળી, તા.૦૫/૧૧/૨૦૨૧ નાં રોજ બેસતુ વર્ષ, તા.૦૬/૧૧/૨૦૨૧ નાં રોજ ભાઇબીજ તથા તા.૦૯/૧૧/૨૦૨૧ નાં રોજ લાભ પાંચમ વગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી…
Read Moreઉખરલાં ગામની મુલાકાત લઇને છેલ્લાં એક વર્ષ દરમિયાન જન્મેલ દિકરીના ઘરની મુલાકાત લઇ દીકરી જન્મના વધામણાં કર્યા
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર કલેક્ટર યોગેશ નિરગુડેએ ઘોઘા તાલુકાના ઉખરલાં ગામની મુલાકાત લઇને છેલ્લાં એક વર્ષ દરમિયાન જન્મેલ દિકરીના ઘરની મુલાકાત લઇ દીકરી જન્મના વધામણાં કર્યા હતાં. તેમની સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ પણ જોડાયાં હતાં. ભાવનગર કલેક્ટરએ નવરાત્રીના નવલાં દિવસો દરમિયાન તેમની રૂટીન મુલાકાત દરમિયાન ઉખરલાં ગામમાં જન્મેલ દિકરીઓના ઘરે ઢોલ- નગારાં સાથે ગામના આગેવાનો સાથે પહોચ્યાં હતાં. કલેક્ટરએ આ રીતે રાજ્ય સરકાર દ્વારા ‘બેટી બચાવો- બેટી પઢાવો’ના અભિયાનમાં સૂર પૂરાવ્યો હતો. સમાજમાં દિકરો- દીકરી એક સમાન છે તેનો સંદેશ પણ કલેક્ટરએ આ રીતે આપ્યો હતો. કલેક્ટરએ ‘બેટી…
Read More