વિરમગામના રહેમલપુર ગામે કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, વિરમગામ

વિરમગામ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ૨ જી ઓક્ટોમ્બર ગાંધીજીની ૧૫૧ મી જન્મ જયંતિના દિને આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે રહેમલપુર ગામે કાનૂની જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી. જેમાં સમિતિના વકીલ મોહનલાલ સિંધવ સહિત કિરીટ રાઠોડ, અશ્વિન કો.પટેલ પેરાલીગલ સહાયકો તેમજ રેવાભાઈ પરમાર (સરપંચ) જોડાયા હતા અને ગ્રામજનોને મફત કાનૂની મદદ માર્ગદર્શન સાથે બંધારણના મૂળભૂત અધિકારો, આર.ટી.આઈ, આર.ટી.ઇ, અન્ન અધિકાર વિશે માહિતી પુરી પાડવામાં આવી હતી.

રિપોર્ટર : કિરીટ રાઠોડ, વિરમગામ

Related posts

Leave a Comment