થરાદ ખાતે થરાદ શહેર ભાજપ દ્વારા મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતિ ની અનોખી રીતે ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, થરાદ

થરાદ ખાતે મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે યજ્ઞ કરી કરી ઉજવણી જેમાં વાલ્મીકિ સમાજ ના પરિવાર તેમજ ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો અને કાર્યકર્તા ઓ વાલ્મીકિ પરિવાર સાથે બેસી મંત્રો ચાર સાથે યજ્ઞ મા જોડાયા, આ યજ્ઞ ઇન્ચાર્જ ગાયત્રી પરિવાર ના જેહાભાઈ હડીયલ હતાં, યજ્ઞ બાદ ગાંધીજી ને પુષ્પાંજલિ કરી વાલ્મીકિ સમાજ ના ભૂવાઓ તેમજ વાલ્મીકિ સમાજ મા વધુ અભ્યાસ કરનાર દિકરી તેમજ દીકરાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું. યજ્ઞ સ્થળે વ્યસન મુક્તિ ના પોસ્ટર ના માધ્યમ થી વ્યસન મુક્તિ નો સંદેશો આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ ના અંતે પ્રસાદી વિતરણ કરાયું હતું, અનોખી રીતે ગાંધી જયંતિ નિ ઉજવણી કરવામાં આવી. આખા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન નો કાર્યક્રમ થરાદ નગરપાલિકા ના સહયોગથી કરાયો હતો. આ કાર્યક્રમ મા પ્રભારી નાગજીભાઈ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ ચંદ્રિકાબેન પટેલ,મહામંત્રી પ્રકાશભાઈ સોની, મહામંત્રી જેહાભાઈ હડીયલ,પૂર્વ પ્રમુખ લવજીભાઈ વાણિયા, મહેશભાઈ વાણિયા, ચુનીલાલ પંડ્યા, મહિલા મોરચા પ્રમુખ કલાવતીબેન રાઠોડ, મહામંત્રી શારદાબેન ભાટી, યુવા પ્રમુખ હિતેશભાઇ વાણિયા, મંત્રી હેતલબેન પંચાલ, મંત્રી કપિલાબેન દવે, ઉપપ્રમુખ દેસાઈ રમેશભાઇ, બક્ષીમોરચા પ્રમુખ કિસનભાઇ પ્રજાપતિ, મહિલા મોરચા ઉપપ્રમુખ અલકાબેન ત્રિવેદી, ઉપપ્રમુખ ભરતભાઈ પ્રજાપતિ , ભરતભાઇ પટેલ, યુવા ઉપપ્રમુખ મિહિરભાઈ ત્રિવેદી જયરામભાઇ મનવર, સેવા વસ્તી ના ભાઈઓ, બહેનો અને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment