ગોંડલનાં રાજવી પરિવારે કોરોના સામે લડી, આજે રાજકોટ હોસ્પિટલમાંથી અપાઈ રજા

ગોંડલ,

રાજકોટ શહેર તા.૧/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ-ગોંડલના મહારાજા જ્યોતીન્દ્રસિંહ જાડેજા અને મહારાણી કુમુદકુમારીબાએ આજે કોરોનાને હરાવ્યો છે. સારવાર દરમિયાન સાજા થતા આજે તેમને રાજકોટની હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. મહારાજા જ્યોતીન્દ્રસિંહ અને મહારાણી કુમુદકુમારીબાને ૧૩ ઓગસ્ટના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ડોકટર અને હોસ્પિટલ સ્ટાફની અથાગ મહેનત બાદ આજે તેઓ સાજા થયા છે. અને તેમને આજે હોસ્પિટલમાંથી રજા આપી છે. યુવરાજ હિમાંશુસિંહજીએ પત્રકાર પરિસદ બોલાવી હતી. તેમાં તેમને આ માહિતી આપી હતી. સંતો મહંતો સહિતના લોકોની પ્રાર્થના અને આશીર્વાદથી રાજવી પરિવારે કોરોનાને હરાવી આજે પેલેસ પર પહોચ્યા હતા.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment