કોડિનાર “તાલુકા સ્વાગત” કાર્યક્રમમાં ૧૦ પ્રશ્નોનું હકારાત્મક નિકાલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

કોડિનાર તાલુકા કક્ષાનાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન જિલ્લા પુરવઠા અધિકારીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી કોડિનાર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

    ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનું નિવારણ ન્યાયિક તેમજ અસરકારક તાલુકા મથકેથી જ કરવામાં આવે તે માટે તાલુકા કક્ષાએ ” સ્વાગત ફરિયાદ” નિવારણ કાર્યક્રમ મુખ્યમંત્રી દ્વારા યોજવામાં આવે છે. જે અંતર્ગત કોડિનાર ખાતે કાર્યક્રમમાં વિવિધ  કુલ ૧૦ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment