માધવપુરના મેળામાં ગીર સોમનાથ વાસીઓ થશે સહભાગી

યાત્રીકોના પરિવહનની  માટે જિલ્લા વહીવટી તંત્રએ કરી વ્યવસ્થા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

આગામી તા.૩૦/૦૩/૨૦૨૩ થી તા.૦૩/૦૪/૨૦૨૩ દરમ્યાન માધવપુર ઘેડ ખાતે માધવપુરના મેળાનુ ભવ્ય આયોજન થનાર છે. જેમાં ખાસ કરીને ઉત્તર પૂર્વના લોકો અને મહાનુભાવો સામેલ થનાર છે. આ માધવપુર ઘેડ મહોત્સવ-૨૦૨૩ નિહાળવા માટે ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓમાંથી યાત્રિકોને લઈ જવા માટે ૭૦ બસની ફાળવણી કરવામાં આવી છે.

આ મેળામાં ગીર સોમનાથ વાસીઓ પણ સહભાગી થનાર છે ત્યારે તેમના માટે પરિવહનની વ્યવસ્થા માટે વહીવટ તંત્રએ ૭૦ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમા વેરાવળ શહેરમાં -૧૫ બસવેરાવળ ગ્રામ્યમાથી ૧૫ બસ,કોડીનારથી- ૧૦ બસ,સુત્રાપાડાથી- ૧૦ બસતાલાલાથી -૧૦ બસઉનાથી -૫ બસગીર ગઢડામાંથી- ૫ બસની વ્યવસ્થા કરવામાં આવી છે.

Related posts

Leave a Comment