યાત્રીકોના પરિવહનની માટે જિલ્લા વહીવટી તંત્રએ કરી વ્યવસ્થા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
આગામી તા.૩૦/૦૩/૨૦૨૩ થી તા.૦૩/૦૪/૨૦૨૩ દરમ્યાન માધવપુર ઘેડ ખાતે માધવપુરના મેળાનુ ભવ્ય આયોજન થનાર છે. જેમાં ખાસ કરીને ઉત્તર પૂર્વના લોકો અને મહાનુભાવો સામેલ થનાર છે. આ માધવપુર ઘેડ મહોત્સવ-૨૦૨૩ નિહાળવા માટે ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓમાંથી યાત્રિકોને લઈ જવા માટે ૭૦ બસની ફાળવણી કરવામાં આવી છે.
આ મેળામાં ગીર સોમનાથ વાસીઓ પણ સહભાગી થનાર છે ત્યારે તેમના માટે પરિવહનની વ્યવસ્થા માટે વહીવટ તંત્રએ ૭૦ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમા વેરાવળ શહેરમાં -૧૫ બસ, વેરાવળ ગ્રામ્યમાથી ૧૫ બસ,કોડીનારથી- ૧૦ બસ,સુત્રાપાડાથી- ૧૦ બસ, તાલાલાથી -૧૦ બસ, ઉનાથી -૫ બસ, ગીર ગઢડામાંથી- ૫ બસની વ્યવસ્થા કરવામાં આવી છે.