મહેસાણા ખાતે નવનિર્મિત રૂ 23.05 કરોડના ખર્ચે તૈયાર ભવનમાં સ્પીપા એલોટેડ સ્પર્ધાત્મક પરીક્ષા યુ.પી.એસ.સી પ્રથમ બેચનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, મહેસાણા

1962માં ભારતના લોખંડી પૂરૂષ સરદાર વલ્લભભાઇ પટેલના નામ ઉપરથી સ્થાપવામાં આવેલી સંસ્થાનું હેડ ક્વાટર્સ અમદાવાદ સ્પીપા છે. આ સંસ્થાના કુલ 06 પ્રાદશિક તાલીમ કેન્દ્રો આવેલા છે. તે પૈકીના ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાના અધિકારી-કર્મચારીઓને તાલીમ આપવા માટે મહેસાણા ખાતે 1974માં પ્રાદેશિક તાલીમ કેન્દ્ર બહુમાળી ભવન મહેસાણા ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. જેને રૂ 23.05 કરોડના ખર્ચે અધતન બનાવવામાં આવ્યું છે. આર.ટી.ઓ કચેરી પાછળ પાલાવાસણા મહેસાણા હાઇવે ખાતે કાર્યરત સેન્ટરનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે તારીખ 09 ઓક્ટોબર,2022ના રોજ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું 500 વિધાર્થીઓ એક સાથે તાલીમ મેળવી શકે તેવા અધતન સ્માર્ટ ક્લાસ સાથે ભાઇઓ, બહેનો માટે 80ની કેપીસીટી વાળી અધતન હોસ્ટેલ, 06 ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, રીડીંગ રૂમ, લાઇબ્રેરી, ઇ-લાઇબ્રેરી અને વાઇ-ફાઇ સુવિધા સાથે આર્કષક અને સુંદર વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું છે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા સ્પીપા અમદાવાદ મહાનિર્દેશક આર.સી.મીણા,IASના અધ્યક્ષ સ્થાને તેમના માર્ગદર્શન તળે યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2022-23ના તાલીમ વર્ગોનો 06 કેન્દ્રો પર પ્રારંભ કરવામાં આવ્યો છે તે પૈકી મહેસાણા પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ખાતે સ્પીપાની પ્રવેશ પરીક્ષા પાસ કરેલા 53 વિધાર્થીઓએ તેમની સ્પર્ધાત્મક કારકિર્દીના શ્રી ગણેશ કર્યા છે. જેમને મહેસાણા પ્રાદેશિક તાલીમ કેન્દ્રની ટીમ દ્વારા આવકારી શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને તાલીમ અંગે જરૂરી સૂચનાઓ આપી હતી અને ટીમ મહેસાણા દ્વારા સહર્ષ આવકાર્યા હતા અને રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અમદાવાદ ખાતે યોજાયેલા શુભારંભ કાર્યક્રમમાં સ્પીપાના મહાનિર્દેશક આર.સી.મીણા, IAS, ડેપ્યુટી ડી.જી, પ્રભવ જોષી,IAS, લલીત નારાયણ, IAS, અનએકેડમિના વાઈસ પ્રેસિડેન્ટ મૃણાલ પટેલ, સ્પીપાના કોર ફેકલ્ટી બ્રિજેશ પટેલ, સંયુક્ત નિયામક જયમીન પટેલ દ્નારા વિધાર્થીઓને પ્રોત્સાહન, મોટીવેશન આપી સફળતા અંગે ચાવીરૂપ પ્રવચન કરી સૌને શુભેચ્છા પાઠવી સફળતાના શિખરો સર કરવા શીખ આપી હતી.

Related posts

Leave a Comment