મત્સ્યોદ્યોગ અને પશુપાલન ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી પરસોતમભાઈ સોલંકી મહુવા ખાતે વીર વચ્છરાજ દાદાના મંદિરે દર્શન કરવા પધાર્યા

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર જિલ્લાના મહુવામા આજરોજ મત્સ્યોદ્યોગ અને પશુપાલન ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી પરસોતમભાઈ સોલંકી મહુવા ખાતે વીર વચ્છરાજ દાદાના મંદિરે દર્શન કરવા પધાર્યા

પરસોતમભાઈ સોલંકી ને કોળી સેના મહુવા તાલુકા, મહુવા શહેર, અને ગ્રામ્ય ની સમગ્ર ટીમ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

આ અવસર પર ઉપસ્થિત મહુવા ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, ભાવનગર જીલ્લા કોળી સેના મંત્રી રમેશભાઇ જોળીયા, મહુવા તાલુકા કોળી સેના પ્રમુખ રાજુભાઈ ચૌહાણ, મહુવા તાલુકા મંત્રી રાજુભાઈ સાંખટ, કોળી સેના મહુવા શહેર પ્રમુખ મુકેશભાઇ ઢાપા, તેમજ તાલુકા, શહેર અને ગ્રામ્ય ની સમગ્ર ટીમ હાજર રહી હતી તેમજ સમસ્ત કોળી સમાજ ના આગેવાન અને યુવાનો હાજર રહ્યા હતા.

રિપોર્ટર : અશ્વિન ચાવડા- મોટા ખુંટવડા (ભાવનગર)

Related posts

Leave a Comment