હિન્દ ન્યુઝ, જૂનાગઢ
જુનાગઢથી મુંબઈ લાલબાગ ચા રાજા (ગણપતિ બાપ્પા)ના દર્શન કરવા પગપાળા યાત્રા પૂર્ણ કરીને પરત આવેલા સમીરભાઈ દતાણીનુ જુનાગઢના જલારામ ભક્તિધામ ખાતે શાનદાર સન્માન કરવામાં આવ્યું આવ્યું હતું, આ પ્રસંગે ટ્સ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પી.બી. ઉનડકટે સમીરભાઈની કોરોના કાળ દરમ્યાનની કઠિન માનવ સેવા અને અન્ય સમાજ સેવાને બિરદાવી હતી. વિરબાઈમા મહિલા મંડળના બહેનોએ મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કર્યા હતા
રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ