‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત મહુવાનાં ગ્રામ નિર્માણ સમાજ ખાતે રાષ્ટ્રધ્વજ મળી શકશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

દેશભરમાં આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી થઈ રહી છે. જેનાં ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ ભારત દેશના દરેક નાગરીકમાં રાષ્ટ્રીય ભાવનાનું સિંચન થાય અને તિરંગા પ્રત્યે સન્માનની ભાવના કેળવાઈ તેવા આશય સાથે ઉજવણી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

જેનાં ભાગરૂપે મહુવાનાં ગ્રામ નિર્માણ સમાજ ખાતે રાષ્ટ્રધ્વજ લોકોને સરળતાથી ઉપલબ્ધ થઇ શકશે. ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન, મહુવા ખાતે સવારે ૯:૩૦ થી ૧:૧૫ અને ૩:૩૦ થી ૭:૪૫ સુધી વિવિધ સાઇઝનાં રાષ્ટ્રધ્વજ નાગરિકોને સરળતાથી મળી રહેશે.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment