હિન્દ ન્યુઝ, કચ્છ
મુન્દ્રા તાલુકા ના રામાણીયા ગામ મધ્યે જૈન ધર્મ ના પરમ પૂજ્ય આ.ભ.વિજય રાજ તિલક સુરીશ્વરજી મહારાજ આદી ઠાણા ૨ રાજસ્થાન થી વિહાર કરી ને સૌ પ્રથમ વખત કચ્છ ના મુન્દ્રા તાલુકા ના રામાણીયા ગામ મધ્યે આગમન કર્યા હતા. આ આગમન રામાણીયા ગામ ના પાદર લિજ્જત પાપડ કેન્દ્ર થી કરી ને તેમની શોભાયાત્રા કરવામાં આવી હતી.
આ પ્રસંગે રામાણીયા ગામ ના સર્વ જ્ઞાતિ બંધુઓ અને જૈન સમાજ ના મોગેરા યજમાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પરમ પૂજ્ય આ. ભ. વિજય રાજ તિલક સુરીશ્વરજી મહારાજ જી રાજસ્થાન થી વિહાર કરી ને સૌપ્રથમ કચ્છ ના રામાણીયા ગામ મધ્યે પધાર્યા હતા આ શુભ અવસર ને સર્વ લોકો કે વધાવી લીધા હતા અને સુરીશ્વરજી મહારાજ જી નો વાજતેગાજતે ભવ્ય કાર્યક્રમ નો આયોજન કરવામાં આવ્યો હતો એવું જૈન સમાજ ના સામાજિક અગ્રણી વિશાલભાઈ સાવલા એ એમની યાદી મા જણાવ્યું હતું.
અહેવાલ : વિશાલ સાવલા કચ્છ