કાંકરેજ તાલુકા ના ભલગામ ગામે સાતમો સેવાસેતુ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા

માન્ય.ગુજરાત સરકાર રાજ્ય શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા ની અધ્યક્ષસ્થાને અને બનાસડેરીના નવનિયુક્ત ચેરમેન અણદાભાઈ આર.પટેલ સાહેબની વિષેશ ઉપસ્થિતિ માં દીપ પ્રગટીય કરી અને પધારેલ મહેમાનો અને અધિકારીઓનું શાળા ની વિદ્યાર્થીનીઓ દ્વારા પુષ્પવર્ષા કરી ને સ્વાગત કરવામાં આવ્યું. ગુજરાત સરકાર દ્વારા વિવિધ લાભો જેવાકે રેશનકાર્ડ, આધારકાર્ડ, આયુષ્યમાન ભારતકાર્ડ, કોરોના મૃત્યુ સહાય, વૃદ્ધ સહાય, જાતિ આવકના દાખલા, વિધવા સહાય યોજના, વયવંદના યોજના, આરોગ્યલક્ષી, કૃષિલક્ષીના વિવિધ લાભો અને આવા 57 જેવા લાભો લોકોને ઘરઆંગણે એજ દિવસે મળી રહે તે હેતુસર ભલગામ ગામે સેવાસેતુ કાર્યક્રમ માં વિવિધ લાભો જનતા ને મળી રહે. ભલગામ, રાણકપુર, ઉણ, પાદર, સવપુરા, કરશનપુરા, ટેંબી, નેકારીયા, શિરવાડા, જાખેલ, માંડલા, ચાંગા, અધગામ, રતનપુર (ઉણ), માનપુરા (ઉણ), તાંતિયાણા અને વાલપુરા જેવા ગામડાઓના લાભાર્થીઓને વિવિધ લાભો ભલગામ ગામે સેવાસેતુ કાર્યક્રમ દ્વારા તમામ લાભો આપવામાં આવ્યા.

સેવાસેતુ કાર્યક્રમમાં શિહોરી તાલુકા મામલતદાર એમ ટી રાજપૂત, ટીડીઓ રમીલાબેન પરમાર, બનાસકાંઠા જિલ્લા પ્રભારી સુરેશભાઇ શાહ, જિલ્લા ભાજપ મહામંત્રી ડાયાભાઇ પીલિયાતર, જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા, પૂર્વ જિલ્લા પ્રમુખ સુખદેવસિંહ સોઢા.કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રીઓ ઈશુભા વાઘેલા અને અમીભાઈ દેસાઈ, ભરતસિંહ વાઘેલા અને ડેલીકેટ, આગેવાનો, સરપંચો તેમજ સરકારના અધિકારીઓ ઉપસ્થિત રહી લાભાર્થીઓને વિવિધ લાભો આપવામાં આવ્યા.

અહેવાલ : ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા

Related posts

Leave a Comment