મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને એમના ધર્મ પત્નિ શ્રી સોમનાથ મહાદેવ નાં દર્શને

હિન્દ ન્યુઝ, 

માન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શ્રીમતી અંજલીબેન રૂપાણીએ પવિત્ર શ્રાવણ માસમાં આજે સોમનાથ મહાદેવ ના દર્શન, ધ્વજાપૂજા અર્ચના કરી શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. સાથે પ્રવાસન અને મત્સ્યોદ્યોગ માન મંત્રી જવાહરભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઈ પરમાર, નગરપાલિકા પ્રમુખ પિયુષભાઇ ફોફંડી, નિતીનભાઇ ભારદ્વાજ પૂજા અર્ચનામાં સહભાગી થયા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી, કોર્ડીનેટર કુંતલભાઇ સંઘવી, એક્ઝિક્યુટીવ ઓફીસર દિલિપ ભાઇ ચાવડા પણ ઉપસ્થિત રહેલ. શ્રી સોમનાથ ટ્રસ્ટ ના માન. ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી દ્વારા માન. મુખ્યમંત્રી ને શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવેલ.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment