હિન્દ ન્યૂઝ, સુઈગામ
સરહદી તાલુકાના સુઈગામ મથકે વાલ્મીકી સમાજની દિકરીને કરિયાવર ભેટ સ્વરૂપે આપવામાં આવી
સરહદી તાલુકાના સુઈગામ મથકે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન સુઈગામ એકમ દ્વારા સુઈગામમાં રહેતી મા-બાપ વિનાની અનાથ દિકરીનાં લગ્ન લેવામાં આવ્યા હતાં ત્યારે વાલ્મીકી દિકરીના મા -બાપની ખોટ બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન સુઈગામ એકમના પદાધિકારીઓ દ્વારા (ઉપ-પ્રમુખ -બાબુ ભાઈ પરમાર, સેક્રેટરી -અર્જુન ભાઈ વાઘેલા, પ્રભુ ભાઈ પરમાર, તથા સંગઠનના કાર્યકરો ની ઉપસ્થિતિ માં વાલ્મીકી સમાજના રીતરિવાજ મુજબ સમાજના અગ્રણી સાથે બેસીને દિકરીને યથાશક્તિ પ્રમાણે (રુ.5100/-) ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા અને તમામે સમાજ સાથે ચા -પાણી ભોજન લીધું હતું .
અહેવાલ : વેરસીભાઈ રાઠોડ, સુઈગામ