આણંદના બાકરોલ ખાતે ₹ ૬૭.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક જિલ્લા જેલનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે લોકાર્પણ

હિન્દ ન્યુઝ, આણંદ કેદીઓના સર્વાંગી સુધારા અને સુરક્ષા સુવિધાથી સજ્જ : બાકરોલ ખાતે ૩૭૦ ની ક્ષમતા ધરાવતી નવીન જિલ્લા જેલનું લોકાર્પણ કરાયું ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા આણંદ જેલ અને નડિયાદ જેલ ખાતેના કક્ષા સી-૦૮ તથા બી-૧૬ પોલીસ આવાસોનું ઇ-લોકાર્પણ

Read More

ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં ગાંધીધામ ખાતે ‘ખેડૂત જાગૃતિ વર્કશોપ’ યોજાયો

હિન્દ ન્યુઝ, ભુજ આજરોજ સામાજિક વનીકરણ વિભાગ, કચ્છ દ્વારા ગાંધીધામના કંડલા ટિમ્બર એસોસિએશન હોલ ખાતે “ખેડૂત જાગૃતિ વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ “ખેડૂત જાગૃતિ વર્કશોપ”ને ખુલ્લો મૂકતાં જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમ એ ત્રિવેણી કાર્યક્રમ છે જેના કેન્દ્રમાં ખેડૂતનું કલ્યાણ અને પર્યાવરણનું સંરક્ષણ છે. કંડલા ટીમ્બર એસોસિએશનને અભિનંદન આપતાં રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, એસોસિએશન પોતાની ફરજ સમજીને ખેડૂતોના વિકાસ માટે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યું છે. ખેડૂતોને માત્ર પરંપરાગત ખેતી આધાર ન રાખીને કચ્છ સામાજિક વનવિભાગના નવી એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો લાભ લેવાનું આહ્વાન કરીને…

Read More

સિવિલ હોસ્પિટલ ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી : કર્મચારીઓએ આદિવાસી પરિધાનમાં સજ્જ થઈને પાઠવી શુભેચ્છાઓ

હિન્દ ન્યુઝ, સુરત     સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની અનોખી ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ છેલ્લા કેટલાક વર્ષોની પરંપરા મુજબ આદિવાસી તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને તેમના પરિવારજનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવ્યો હતો.  આદિવાસી તબીબો- નર્સિંગ સ્ટાફ, કર્મચારીઓ દ્વારા પરંપરાગત આદિવાસી પરિધાનમાં સજ્જ થઈને આગામી ૧૫મી ઓગસ્ટ (સ્વાતંત્ર્ય દિન)ના સંદર્ભમાં રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે ભારત માતા કી જય, વંદે માતરમ ના જયઘોષ તેમજ આદિવાસી સંસ્કૃતિના ગૌરવસમા “જય જોહાર”ના નારાઓથી સિવિલ હોસ્પિટલ પરિસર ગુંજી ઉઠ્યું…

Read More

કચ્છમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી: એનાલોગ પનીર અને ચીઝના ઉત્પાદન-વેચાણ સામે તપાસ ઝુંબેશ

હિન્દ ન્યુઝ, કચ્છ  ગુજરાત સરકાર દ્વારા પનીર અને ચીઝ જેવા મૂળ ખાદ્યપદાર્થોના નામે વેચાતા કૃત્રિમ તથા ભળતા પદાર્થો—જેવાં કે ‘એનાલોગ પનીર’ અને ‘ચીઝ એનાલોગ’—ના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સરકારી હુકમનું અમલીકરણ સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ભુજ-કચ્છના ફૂડ સેફ્ટી ઑફિસર એસ બી.પટેલ, એમ.એમ.પટેલ, વી.એમ. બરંડા દ્વારા સમગ્ર જિલ્લામાં વ્યાપક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ ખાસ ઝુંબેશ દરમિયાન કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ તેમજ પનીરનું ઉત્પાદન અને વેચાણ કરતી…

Read More

વિશ્વ આદિવાસી દિવસે નવી સિવિલ હોસ્પિટલમાં એક સાથે બે બ્રેઈનડેડ દર્દીઓના અંગદાન

હિન્દ ન્યુઝ, નવસારી     વિશ્વ આદિવાસી દિવસે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે એકસાથે બે સફળ અંગદાન થયા છે. ગુજરાતમાં આ પ્રથમ એવી ઐતિહાસિક ઘટના બની છે કે જ્યાં એકસાથે બે અલગ-અલગ ઓપરેશન થિયેટરમાં બે બ્રેઈનડેડ દર્દીઓના અંગદાન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે અને અંગોને એકસાથે જ પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા છે. બંને અંગદાતા નવસારી જિલ્લામાં વસતા હતા, જેમાં એક મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા, જ્યારે અન્ય એક નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સ્થાનિક હળપતિ સમાજના યુવાન હતા. જેમના અંગદાનથી કુલ ૬ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. નવી સિવિલના તબીબી અધિક્ષક ડો.…

Read More

તા.૯ થી ૧૪ ઓગસ્ટ સુધી જિલ્લા અને તાલુકા કક્ષાએ ‘હર ઘર તિરંગા’ અભિયાન: તિરંગા યાત્રા તથા શાળા-કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ અને દેશભક્તિસભર કાર્યક્રમો યોજાશે

હિન્દ ન્યુઝ, સુરત  સુરત જિલ્લામાં આગામી તા.૯ થી ૧૪મી ઓગસ્ટ સુધી વિવિધ વિભાગના કાર્યક્રમો, સ્પર્ધાઓ અને એક્ટીવિટીઝ દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન યોજાશે, જે સંદર્ભે મેયરશ્રી માયાબેન માવાણીની ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટર શ્રી તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.               નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની ભાવનાને વધુ પ્રબળ બનાવવાના હેતુ સાથે યોજાનાર હર ઘર તિરંગા અભિયાન હેઠળ શહેર-જિલ્લાના મહત્તમ નાગરિકોને સાંકળી લઈ વિશાળ જનભાગીદારી નોંધાવવા જિલ્લા કલેક્ટરએ અનુરોધ કર્યો હતો. સુરત જિલ્લામાં તિરંગાના માન સન્માન સાથે ભારે ઉત્સાહભેર તમામ કાર્યક્રમો યોજાય…

Read More

માલાબાર રિવર ઇન્ટરનેશનલ કાયકિંગ કોમ્પિટિશન-૨૦૨૬માં ગુજરાતનો ઐતિહાસિક વિજય: જામનગરના નચિકેતા ગુપ્તા બન્યા ગોલ્ડન ચેમ્પિયન

હિન્દ ન્યુઝ, જામનગર    એશિયાની સૌથી પ્રતિષ્ઠિત અને પડકારજનક સાહસિક રમત સ્પર્ધાઓ પૈકીની એક એવી ‘માલાબાર રિવર ઇન્ટરનેશનલ કાયકિંગ કોમ્પિટિશન-૨૦૨૬’માં ગુજરાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જામનગરના યુવા એડવેન્ચર એથ્લીટ અને સિંચાઈ વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ-૨ તરીકે ફરજ બજાવતા નચિકેતા ગુપ્તાએ કેરળ ખાતે યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવીને ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ ભવ્ય વિજય સાથે તેઓએ આંતરરાષ્ટ્રીય વ્હાઇટ વોટર કાયકિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનારા સમગ્ર ગુજરાતના પ્રથમ કયાકર બનવાનું બહૂમાન મેળવ્યું છે. કેરળના કોઝિકોડ જિલ્લાના ચાલીપુઝા અને ઇરુવાઝિંજી નદીઓના અતિ તીવ્ર અને ખતરનાક રેપિડ્સ પર…

Read More

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માલેગામ ખાતે પારંપારિક ભોજનનો સ્વાદ માણ્યો

હિન્દ ન્યુઝ, ડાંગ    ગિરિમથક સાપુતારાના મોન્સુન ફેસ્ટિવલના ઉદ્ઘાટન માટે પધારેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ, ગિરિમથકની તળેટીમાં આવેલા માલેગામ ખાતે સરપંચના ઘરે પારંપારિક ભોજનનો સ્વાદ માણ્યો હતો. ખૂબ જ સાદગી અને સરળતા સાથે ગ્રામીણ પરિવારના ઘરે એક આમ આદમીની જેમ શુદ્ધ અને સાત્વિક ભોજન ગ્રહણ કરીને નાયબ મુખ્યમંત્રીશ્રી એ તેમની સાદગીનો પરિચય આપ્યો હતો. નાયબ મુખ્યમંત્રીની આ મુલાકાત વેળા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ડૉ.જયરામ ગામીત, ધારાસભ્ય સ્થાનિક પદાધિકારીઓ સહિત કલેક્ટર એન.ડી.પરમાર, જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા, પોલીસ અધિક્ષક સુ પૂજા યાદવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read More

કાલાવડના બોડી ગામની મુલાકાત લઈ કલેક્ટર પી.બી.પંડ્યાએ દફતર તપાસણી, વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા

હિન્દ ન્યુઝ, કાલાવડ     કાલાવડ તાલુકાના બોડી ગામે વિવિધ પ્રશાસનિક અને વિકાસલક્ષી કામગીરીનું નિરીક્ષણ કરવા અંગેની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા દ્વારા ગામની શાળા, આંગણવાડી, સરકારી રેકર્ડ તેમજ ગ્રામીણ સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરએ ગામની આંગણવાડી તથા પ્રાથમિક શાળાના વર્ગખંડોમાં રૂબરૂ જઈને બાળકો સાથે સહજતાથી વાતચીત કરી હતી અને તેમના શૈક્ષણિક સ્તર તથા જ્ઞાનની ચકાસણી કરી હતી. આ તકે તેમણે શિક્ષકો સાથે વિગતવાર ચર્ચા કરતા જણાવ્યું હતું કે, બાળકોના સર્વાંગી વિકાસ માટે માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતું સીમિત ન રહેતા શિક્ષણની સાથે-સાથે રમત-ગમત, સાંસ્કૃતિક અને અન્ય…

Read More

જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં રૂ.૨.૯૯ કરોડના ખર્ચે નવનિર્મિત છોટાઉદેપુર તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ‘કન્સ્ટ્રક્શન ઓફ તાલુકા પંચાયત ઓફિસ બિલ્ડીંગ (સી.ડી.પી.૩)’ યોજના હેઠળ રૂ. ૨.૯૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત છોટાઉદેપુર તાલુકા પંચાયત ભવનને જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા અને સાંસદશ્રી જશુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં જનતાની સેવામાં સમર્પિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા એ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી, સરળ, પારદર્શક અને નાગરિક કેન્દ્રી બને તે દિશામાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. છોટાઉદેપુર તાલુકા પંચાયત ભવન રૂ.૨.૯૯ કરોડના ખર્ચે તૈયાર કરવામાં…

Read More