હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ ખાતે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ નોટરી એક્ટ અંગે ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ કરતા નોટરી વકીલોનું રજીસ્ટ્રેશન હવે 15 વર્ષે જ રહેશે અને ત્યારબાદ રીન્યુ પણ નહિ થાય તેવા સુધારા કરતા તેમજ વય મર્યાદાનો પણ આ ડ્રાફ્ટ એમેન્ડમેન્ટમાં ઉલ્લેખ ના હોય જેથી વકીલ આલમમાં રોષ છવાયો છે તેમજ નોટરીના હક્કો ઉપર કોઈને તરાપ મારવાનો અધિકાર નથી જેથી સરકારનો આ ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ પરત ખેંચવા ગુજરાત રાજ્યમાં વિરોધ શરુ થઇ ગયેલ છે જેથી ગીર સોમનાથ જિલ્લા એડવોકેટ એન્ડ નોટરી એસોસિએશન દ્વારા ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ પરત ખેંચવા આવેદન પત્ર પાઠવેલ.
Read MoreMonth: December 2021
સાયલા હાઈવે પર 12 ટ્રક ચાલકો નો GST વિભાગ અધિકારી પર રોષ
હિન્દ ન્યુઝ, સાયલા સાયલા – ચોટીલા હાઈવે પર સુરેન્દ્રનગર GST વિભાગ દ્વારા બે દિવસ પહેલા કરાયેલા વાહન ચેકીંગ દરમિયાન ૧૨ ટ્રકને એક સ્થળે રોકાવી દેવામાં આવી હતી. લાઇટ, પાણીની વ્યવસ્થા વગરની બંધ હોટલના સ્થળે તમામ ટ્રકોને રખાવી દેવાતા ચાલકો, કલીનરોને, ખોરાક માટે ટળવળવું પડી રહ્યું છે. તંત્રના અણઘડ વહીવટને લીધે અવાવરુ જગ્યા ચોરીના ડર સાથે કાતિલ ઠંડીનો સામનો કરી રહેલા તમામની હાલત કફોડી બનવા પામી છે. સાયલા ચોટીલા હાઇ-વે પર આવેલ જિલ્લા જીએસટી કચેરીની ટીમ દ્વારા બે દિવસ અગાઉ મોરબી સિરામીક ઉદ્યોગની ટાઇલ્સો તેમજ અન્ય સામાન ભરેલા ટ્રકોનું ચેકીંગ કરતા…
Read Moreઓખા નગરપાલિકા માં સુરજકરાડી શીશુમંદિર ખાતે સેવાસેતુ નો કેમ્પ યોજાયો
ઓખા નગરપાલિકા માં સુરજકરાડી શીશુમંદિર ખાતે સેવાસેતુ નો કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં રાજ્યસરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સેવા સેતુ નો સાતમા તબક્કાનો કાર્યક્રમ સમગ્ર રાજ્ય ની અંદર ચાલુ થયો છે ત્યારે ઓખા નગરપાલિકા માં સેવા સેતુ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં વૉર્ડ સુરજકરાડી અને આરંભડા વિસ્તાર ના નગરજનો એ લાભ લીધો હતો. જેમાં જુદા જુદા કેમ્પ રાખવામાં આવ્યા હતા. માં અમૃતમકાર્ડ, રેશનકાર્ડ, આવક ના દાખલા જન્મ મરણ ના દાખલા વિધવા સહાય જેવા કેમ્પ રાખવામાં આવ્યા હતા અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ…
Read Moreકડકડતી ઠંડીમાં જેની પાસે ફક્ત આભનું ઓઢણું જ છે તેવાં રોડસાઈડ સૂતેલાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ધાબળા ઓઢાડી માનવતાની હુંફ પૂરી પાડતો ભાવનગરનો નિજાનંદ પરિવાર
“માનવતા મહેકાવતું કાર્ય” હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં નાત-જાતના ભેદભાવ વગર વર્ષ -૨૦૧૫ થી નિરંતર કાર્યરત નિજાનંદ પરિવાર સંસ્થા દ્વારા સતત સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. અત્યારે કડકડતી ઠંડી પડી ગઈ છે. સાધન સંપન્ન લોકો તો ઘરમાં હીટર ચલાવી, ગરમ કપડાં પહેરી કે અન્ય વ્યવસ્થાઓ દ્વારા ગરમીનો સામનો કરી લે છે, પરંતુ જે લોકો પાસે ઉપર આભ અને નીચે જમીન છે એવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો આવી કડકડતી ઠંડીમાં ઠૂઠવાઈ જાય છે. ઘણાં બધાં લોકો તો ઠંડી ન સહન થવાને કારણે મોતને પણ ભેટે છે. ફક્ત આભનું ઓઢણું ધરાવતાં…
Read Moreભાવનગર ખાતે ડી.એમ. કપ ટેનિસ લીગ ટૂર્નામેન્ટની પુર્ણાહૂતિ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં ક્રિકેટ સિવાયની અન્ય રમતોને પણ પ્રોત્સાહન મળે તે હેતુથી ટેનિસ કપ ટૂર્નામેન્ટનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું તેમ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ ડી.એમ.કપ ટેનિસ ટૂર્નામેન્ટની પૂર્ણાહુતિ પ્રસંગે જણાવ્યું હતું. કલેકટરએ જણાવ્યું કે, રમત તમારા જીવનમાં સ્ફૂર્તિ લાવે છે. દરરોજ એક કલાક રમત માટે ફાળવવાથી દિવસભર સ્ફૂર્તિ રહે છે. રમતમાંથી જે આનંદ મળે છે તે બીજે ક્યાંયથી મળતો નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, દિવસની એક કલાકની રમત તમારા જીવનમાં દસ વર્ષનો વધારો કરશે. કોરોના જેવા સંક્રમણથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ જરૂરી છે. જે આવી…
Read Moreપોસ્ટ ઓફીસ-કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી.) મારફત ઇ-શ્રમ પોર્ટલ પર અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરી શકાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત સરકારના શ્રમ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા તા.૩૦/૦૭/૨૦૨૧ ના રોજ નેશનલ ડેટાબેઝ ઓફ અનઓર્ગેનાઇઝડ વર્કર્સ (NDUW) પ્રોજેકટ અંતર્ગત અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરવા માટે eshram.gov.in પોર્ટલને તા.૨૬/૦૮/૨૦૨૧ નાં રોજ લોન્ચ કરેલ છે. જેમાં રાજયને શ્રમ મંત્રાલય દ્વારા ૧.૭૯ કરોડ અસંગઠિત શ્રમયોગીની નોંધણીનો લક્ષ્યાંક આપેલ છે. હાલમાં ઇ-શ્રમ પોર્ટલ પર અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી માટે કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી.), સ્ટેટ સેવા કેન્દ્ર (ઇ-ગ્રામ) અને સ્વ નોંધણીની જોગવાઇ છે. જેમાં ઉમેરો કરીને રાજ્યમાં આવેલ તમામ મુખ્ય પોસ્ટ ઓફીસ તથા તેમની શાખાઓને પણ કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી.) તરીકે જાહેર કરવામાં આવેલ છે.…
Read Moreભાવનગરના જવાહર મેદાન ખાતે અમૃત આહાર ઉત્સવ-૨૦૨૧ નો પ્રારંભ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ખાતે અમૃત આહાર ઉત્સવ-૨૦૨૧ નો આજથી પ્રારંભ થયો છે. જવાહર મેદાન, રિલાયન્સ પેટ્રોલ પંપ સામે યોજાયેલ આ ત્રિ-દિવસીય અમૃત આહાર ઉત્સવમાં ભાવનગરવાસીઓને શુદ્ધ અને સાત્વિક ખાણીપીણીની જ્યાફતનો અવસર ઉપલબ્ધ બનશે. આજના ઝડપી અને દોડધામ પરિણામ જીવનમાં ભૌતિક જરૂરિયાતોની શોધમાં આપણે સુખ શોધીએ છીએ આ જરૂરિયાતો સંતોષવા આપણે પ્રકૃતિના નિયમોને નેવે મૂકીને પર્યાવરણ અસંતુલિત થાય તેવા બેફામ કાર્યો કરીએ છીએ. જંગલોનો સફાયો કરવાથી માંડીને ઉદ્યોગો અને વાહનોના વિવેકપૂર્ણ ઉપયોગથી આપણી પ્રાકૃતિક જરુરિયાત એવાં હવા, પાણી, પ્રદૂષિત થયાં છે. વધુ અને ઝડપી ઉત્પાદન મેળવવાની લ્હાયમાં બેફામ પ્રદૂષણ, રાસાયણીક…
Read Moreભાવનગરના બુઢાણા ગામની દીકરી બરછીફેકમાં રાજ્ય કક્ષાએ ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે હિન્દ ન્યુઝ, ભાવનગર શ્રી વિનય મંદિર ઉત્તર બુનિયાદી વિદ્યાલય બુઢાણાની વિદ્યાર્થીની કુ. ધરતી ભરતભાઈ માહી જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા જે ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિદસર ખાતે યોજાઇ હતી તેમાં બરછીફેકની રમતમાં તેઓએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. કુ. ધરતી હવે તા. ૨૦ થી ૨૨ ડિસેમ્બર સુધી રાજ્ય કક્ષાએ યોજાનાર એથ્લેટિક સ્પર્ધામાં બરછીફેકની રમતમાં ભાવનગરનું પ્રતિનિધિત્વ કરશે. શાળાનું નામ રોશન કરવા માટે શાળાના આચાર્યશ્રી હિતેશભાઈ તથા કોચ શ્રી પરેશભાઈ ત્રિવેદીએ જહેમત ઉઠાવી હતી. સંસ્થાના ટ્રસ્ટી અનુભાઈ તેજાણી તથા મંત્રી રામભાઈ ધામેલીયાએ કુ. ધરતીને ખૂબ – ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી
હિન્દ ન્યુઝ, ભાવનગર શ્રી વિનય મંદિર ઉત્તર બુનિયાદી વિદ્યાલય બુઢાણાની વિદ્યાર્થીની કુ. ધરતી ભરતભાઈ માહી જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા જે ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિદસર ખાતે યોજાઇ હતી તેમાં બરછીફેકની રમતમાં તેઓએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. કુ. ધરતી હવે તા. ૨૦ થી ૨૨ ડિસેમ્બર સુધી રાજ્ય કક્ષાએ યોજાનાર એથ્લેટિક સ્પર્ધામાં બરછીફેકની રમતમાં ભાવનગરનું પ્રતિનિધિત્વ કરશે. શાળાનું નામ રોશન કરવા માટે શાળાના આચાર્યશ્રી હિતેશભાઈ તથા કોચ શ્રી પરેશભાઈ ત્રિવેદીએ જહેમત ઉઠાવી હતી. સંસ્થાના ટ્રસ્ટી અનુભાઈ તેજાણી તથા મંત્રી રામભાઈ ધામેલીયાએ કુ. ધરતીને ખૂબ – ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. બ્યુરોચીફ (ભાવનગર) :…
Read Moreબનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા મુકામે અદ્વૈત આર્ટ્સ કોલેજમાં ગીતા જ્યંતિ ઉજવવામાં આવી
હિન્દ ન્યુઝ, લાખણી તારીખ ૧૬/૧૨/૨૦૨૧ને ગુરુવારે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા મુકામે અદ્વૈત આર્ટ્સ કોલેજમાં સંકુલના સંચાલક મનોજભાઈ દવેની અનુમતિથી અને કૉલેજના I/C પ્રિન્સીપાલ ભાવેશભાઇ વાણિયાના માર્ગદર્શન હેઠળ ગીતા જ્યંતિ ઉજવવામાં આવી. આ કાર્યક્રમમાં સૌ પ્રથમ શ્રીમદ્ ભાગવત ગીતા ગ્રંથનું પૂજન કરવામાં આવ્યું ત્યારે બાદ દીપ પ્રાગટય કરવામાં આવ્યું, સંસ્કૃત વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર વિપુલ વ્યાસ તથા નવીન જોશી દ્વારા શ્લોકોનું પઠન કરવામાં આવ્યું, વિદ્યાર્થીઓ ભજન, વક્તવ્ય તથા શ્લોકનુ ગાન કરી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો, કોલેજ IC પ્રિન્સિપાલ ભાવેશ વાણિયાએ પ્રસંગ ને અનુરૂપ વ્યાખ્યાન આપ્યું હતું અને સંકલના સંચાલક મનોજ…
Read Moreબોટાદ ખાતે એગ્રી પ્રી-વાઇબ્રન્ટસ ગુજરાત સમિટમાં નેચનલ ફાર્મીંગ અંગેનો નેશનલ કોંન્કેલવ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, બોટાદ એગ્રી પ્રી-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ-૨૦૨૧ અંતર્ગત માન. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચુયલ ઉપસ્થિતિમાં તાજેતરમાં બોટાદ નગરપાલીકા ટાઉનહોલ ખાતે નેચરલ ફાર્મીંગ અંગેના નેશનલ કોન્કેલવ કાર્યક્રમ ગુજરાત રાજ્ય બિનઅનામત આયોગનાં અધ્યક્ષ હંસરાજભાઇ ગજેરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકાયો હતો. આ કાર્યક્રમમાં અધ્યક્ષએ જણાવેલ કે નેચરલ ફાર્મીંગ એટલે કે પ્રાકૃતીક ખેતી એ આપણા વડદાદા કરતા હતા અને હવે આપણે આડેધડ રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરવાથી જમીનની તંદુરસ્તી તથા માણસની તંદુરસ્તી પર અસર પડેલ છે. જેથી ગુણવતા સભર કૃષિ પેદાશ ઉત્પન્ન કરવા તેમજ ખેતી ખર્ચ ઘટાડવા…
Read More