કાંકરેજ તાલુકા ના તેરવાડા ગામે લાઈબ્રેરી નું ઉદ્ધઘાટન

હિન્દ ન્યુઝ, લાખણી  તેરવાડા ગામ ખાતે નીલકંઠ મહાદેવ લાઈબ્રેરી નું ઉદ્ધઘાટનવાવ ના ધારાસભ્ય ગેનીબેન તથા જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતજી ઠાકોર હસ્તે કરવામાં આવ્યું હતું. ગામ લોકો ના સાથ સહકાર થી લાઈબ્રેરી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગામ ના વિદ્યાર્થી ઓ ભવિષ્ય માં અલગ અલગ પોસ્ટ ઉપર નોકરી કરતા થાય ગામ નો વિકાસ થાય એ હેતુ થી લાઈબ્રેરી ઉદ્ધઘાટનકરવામાં આવ્યું. આ લાઈબ્રેરી માં ગેનીબેન ઠાકોર(ધારાસભ્ય), ભૂપતજી ઠાકોર(ઉપ જિલ્લા પંચાયત બનાસકાંઠા), હરજીભાઈ ચૌધરી (સદસ્ય જીલા પંચાયત), ભાવાજી ઠાકોર(જીલા પંચાયત) તેમજ ગામ ના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર,…

Read More

યોગાચાર્ય ગોપાલજી દ્વારા લેખિત ‘યોગા’ પુસ્તકનું વિમોચન કરતાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

હિન્દ ન્યુઝ, ભાવનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી આપણી પુરાતન ધરોહર એવી યોગ વિદ્યાની વિરાસત જન-જન સુધી પ્રસરી ચૂકી છે. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી આપણી પુરાતન ધરોહર એવી યોગ વિદ્યાની વિરાસત આજે જન-જન સુધી પ્રસરી ચૂકી છે. તેમણે વધુમાં જણાવ્યું કે,વડાપ્રધાનશ્રીના પ્રયત્નોને કારણે આજે યોગને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે. ભાવનગર ખાતે યોગાચાર્ય ગોપાલજી દ્વારા લેખિત ‘યોગા’ પુસ્તકનું વિમોચન કરતા તેમણે જણાવ્યું કે, ભૂતકાળમાં ભારત અનેક વિદ્યાઓમાં પારંગતતા ધરાવતો હતો અને સમગ્ર વિશ્વ તેનું અનુકરણ કરતુ હતું તેનું ઉત્તમ ઉદાહરણ યોગ વિદ્યા છે. કોરોના સમયે…

Read More

ભાવનગરના જૈફ વયના રજનીબેન મોદીએ માતૃભૂમિનું ઋણ ચૂકવતાં પોતાની બચત મૂડીમાંથી મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૧.૫૦ લાખ તથા પી.એમ. કેર્સ ફંડમાં રૂ.૩ લાખનું દાન કર્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના ૮૫ વર્ષની જૈફ ઉંમર ધરાવતાં રજનીબેન જમનાદાસ મોદીએ પોતાની માતૃભુમિનુ ઋણ ચૂકવતાં તથા તેમના ભાઇ સ્વ.હેમેન્દ્રભાઇ જમનાદાસ મોદીની સ્મૃતિ રૂપે પોતાની બચત મૂડીમાંથી મુખ્યમંત્રી રાહત ફંડ માં ૧,૫૦,૦૦૦/- તથા પી.એમ. કેર્સ ફંડ માં ૩,૦૦,૦૦૦/- જેવી માતબર રકમનું સ્વૈચ્છિક અનુદાન આપી વિક્રમ સંવત- ૨૦૭૮ ના નૂતન વર્ષના પ્રારંભે સમાજ પ્રેરણાદાયી ઉમદા ઉદાહરણ પુરું પાડ્યું છે.  નૂતન વર્ષના પ્રારંભે આજે કલેકટર કચેરી ખાતે આવીને તેમણે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેને હાથોહાથ આ બંને ચેક સુપ્રત કર્યા હતાં. કલેકટરએ તેમના આ ઉમદા કાર્યની સરાહના કરી જણાવ્યું કે, સમાજજીવનમાંથી ઉદ્દાત ભાવથી…

Read More

પાલીતાણા ખાતે સૌ પ્રથમવાર ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું, ચિત્ર પ્રદર્શનમાં સહભાગી થનાર ચિત્રકારોનું યથોચિત સન્માન કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર પાલીતાણા તળેટી ખાતે શેત્રુંજય યુવક મંડળ દ્વારા આદિ જિન ચિત્ર ખંડમાં ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિત્ર પ્રદર્શન દ્વારા પાલીતાણામાં સૌપ્રથમવાર ચિત્ર સ્પર્ધા યોજી પાલીતાણા તાલુકાના લોકોમાં રહેલ હુન્નરને બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાલીતાણા તળેટી ખાતે આયોજિત ચિત્ર પ્રદર્શનને સારો આવકાર મળ્યો હતો અને બે દિવસીય પ્રદર્શનને અંદાજિત છ હજાર જેટલા લોકોએ નિહાળ્યું હતું. આ ચિત્ર પ્રદર્શનમાં પાલીતાણા તાલુકાના ચિત્રકારોએ બનાવેલ પેઇન્ટિંગ નિદર્શિત કરવામાં આવ્યાં હતાં.આજે તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને ચિત્રકારોનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર પ્રદર્શનમાં સહભાગી થયેલા ચિત્રકારોને પાલીતાણા…

Read More

અરવલ્લી મોડાસા જીલ્લા અદાલત ખાતે મહિલા અધિકારોનો મેગા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, મોડાસા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના નેતૃત્વ હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લી દ્વારા ઉજવવામાં આવી રહેલ આઝાદી ના અમૃત મહોત્સવના ભાગરૂપે અરવલ્લી મોડાસા જીલ્લા અદાલત ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગના સહયોગથી મહિલા અધિકારોના જાગૃતિના ભાગ રૂપે મેગા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. જેમાં ૪૮ મહિલાઓ એ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મહિલાઓને મહિલા અધિકરો વિશે જાગૃત કરવામાં આવી હતી. આ ઉપરાંત આ કાર્યક્રમમાં તેમણે નાલ્સા દ્વારા પ્રકાશીત કરવામાં આવેલ મહિલા અધિકારીઓ વિશેની પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર : મોહસીન ચૌહાણ, મોડાસા

Read More

ગીર સોમનાથ જિલ્લાનાં ૦૬ ગામોમાં સામૂહિક સ્વચ્છતા સંકુલના નિર્માણ માટે રૂા.૧૭.૮૯ લાખ મંજૂર

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ  ગીર-સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત કચેરી, ઇણાજ ખાતે જિલ્લા સુખાકારી સમિતિની બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ૦૬ ગામોમાં એસ.બી.એમ. યોજના હેઠળ રૂા. ૧૭.૮૯ લાખના કામોની વહિવટી મંજુરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ તાલાળા તાલુકાના આકોલવાડી, સુરવા, ઘુસીયા, રમળેચી, ધ્રામળવા અને વિઠલપુર ગામોમાં સામુહિક સ્વચ્છતા સંકુલનું નિમાર્ણ કરવામાં આવશે. ગામ દીઠ રૂા. ૨.૯૮ લાખના ખર્ચે નિર્માણ પામનાર સ્વચ્છતા સંકુલમાં જિલ્લા વિકાસ અધિકારીએ પર્યાપ્ત માત્રમાં પાણીની સગવડ હોય તેવી જગ્યાએ તેમજ નિભાવણી અને જાળવણી સહિતની બાબતો ધ્યાનમાં રાખી જાહેર સ્થળો પર બાંધકામ થાય તેવી કાળજી રાખવા …

Read More

ગીર સોમનાથ જિલ્લામાં લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        ગીર સોમનાથ જિલ્લામાં લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવશે. આ માટે જિલ્લાના ૯ ખરીદ કેન્દ્ર પરથી પ્રતિમણ રૂ. ૧૧૨૦ના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. આગામી તા. ૯ થી તા.૦૬-૦૨-૨૦૨૧ સુધી, કુલ-૯૦ દિવસ ચાલનારી આ ખરીદી જિલ્લાના કાજલી અને પ્રાંસલી માર્કેટીંગ યાર્ડ અને કોડીનારના બિલેશ્વર સુગર ફેક્ટરી ખાતે બે-બે ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. ઉપરાંત તાલાલા માર્કેટીંગ યાર્ડ, ઉના તાલુકાના ખરીદ કેન્દ્ર અને ગીર ગઢડા તાલુકાના ખરીદ કેન્દ્ર ખાતે એક-એક મગફળી ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. આમ, કુલ-૯ કેન્દ્રો પર મગફળીની…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવશે. આ માટે જિલ્લાના ૯ ખરીદ કેન્દ્ર પરથી પ્રતિમણ રૂ. ૧૧૨૦ના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે.

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ આગામી તા. ૯ થી તા.૦૬-૦૨-૨૦૨૧ સુધી, કુલ-૯૦ દિવસ ચાલનારી આ ખરીદી જિલ્લાના કાજલી અને પ્રાંસલી માર્કેટીંગ યાર્ડ અને કોડીનારના બિલેશ્વર સુગર ફેક્ટરી ખાતે બે-બે ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. ઉપરાંત તાલાલા માર્કેટીંગ યાર્ડ, ઉના તાલુકાના ખરીદ કેન્દ્ર અને ગીર ગઢડા તાલુકાના ખરીદ કેન્દ્ર ખાતે એક-એક મગફળી ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. આમ, કુલ-૯ કેન્દ્રો પર મગફળીની ખરીદી કરવામા આવશે ટેકાના ભાવે મગફળીના વેંચાણ માટે નોંધણી કરાવેલ ખેડૂતોને મોબાઈલ પર એસએમએસથી વેચાણ માટે તારીખ અને સમયની જાણ કરવામાં આવશે. ત્યાર બાદ જ ખેડૂતોએ પોતાના મગફળી વેંચાણ કેન્દ્ર પર…

Read More

પ્રજાહિતલક્ષી સુવિધાઓ અને જનસુખાકારીના પ્રયાસોમાં જિલ્લા વહિવટીતંત્રને સાંપડેલી વધુ એક સફળતા

હિન્દ ન્યુઝ, રાજપીપલા નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ નર્મદા જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા પ્રજાલક્ષી અનેકવિધ લોક સુવિધાઓ ધ્વારા જનસુખાકારી વધારવાના પ્રયાસોને એક પછી એક સાંપડી રહેલી સફળતામાં CSR એક્ટીવીટી અંતર્ગત ગુજરાત ગેસ કંપની ધ્વારા “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ-સેન્ટ્રલ કિચન, સખી મંડળ કેન્ટીન અને સ્મશાનગૃહને નિ:શૂલ્ક ગેસ જોડાણની સુવિધા ઉપલબ્ધ કરાવવાની સફળતામાં વધુ એક પીંછુ ઉમેરાયું છે, જે નર્મદા જિલ્લા માટે ગૌરવરૂપ બિના ઘટના કહી શકાય.

Read More

વડોદરા-મુંબઈ ઍક્ષપ્રેસ હાઈવેના નિર્માણ માટે નવસારી જિલ્લાની સંપાદીત જમીનોના ખેડુત ખાતેદારોને વળતર અપાયું

હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લામાંથી પસાર થતા વડોદરા-મુંબઈ ઍક્સપ્રેસ-વેના નિર્માણ માટે સંપાદિત જમીન માટે ખેડુત ખાતેદારોને સાંસદ સી.આર.પાટીલ અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ, નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ, જલાલપોર ધારાસભ્ય આર.સી.પટેલ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના હસ્તે નવસારી તાલુકાના પાંચ ગામો કુરેલ, શાહુ, વચ્છરવાડ, અંબાડા અને કંબાડા ખેડુત ખાતેદારોને રૂ.૧૨૩ કરોડના વળતરના ચેકો ઍનાયત કરીને વળતર આપવાનો પ્રારંભ કરાયો હતો.

Read More