હિન્દ ન્યુઝ, નવસારી
નવસારી જિલ્લામાંથી પસાર થતા વડોદરા-મુંબઈ ઍક્સપ્રેસ-વેના નિર્માણ માટે સંપાદિત જમીન માટે ખેડુત ખાતેદારોને સાંસદ સી.આર.પાટીલ અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ, નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ, જલાલપોર ધારાસભ્ય આર.સી.પટેલ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના હસ્તે નવસારી તાલુકાના પાંચ ગામો કુરેલ, શાહુ, વચ્છરવાડ, અંબાડા અને કંબાડા ખેડુત ખાતેદારોને રૂ.૧૨૩ કરોડના વળતરના ચેકો ઍનાયત કરીને વળતર આપવાનો પ્રારંભ કરાયો હતો.