હિન્દ ન્યુઝ, મોરબી રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા સંચાલિત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત શ્રી એમ.એમ. સાયન્સ કોલેજ મોરબી ખાતે સાહસિક પ્રવૃતિઓની પાંચ દિવસીય શિબિર યોજાઈ હતી. આ શિબિરના પૂર્ણાહુતિ પ્રસંગે જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ ઉપસ્થિત રહી શિબિરાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ શિબિરનું ઉદ્ઘાટન જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી હિરલબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું. જિલ્લા પ્રોજેકટ ઓફિસર, ડિઝાસ્ટર શાખાના કૂ.અમરીનબેન ખાનની દેખરેખ હેઠળ ૧૦૮ એમ્બ્યુલન્સની તબીબી સેવા, અગ્નિશામકની…
Read MoreMonth: October 2021
ડભોઇ ગઢભવાની માતાના મંદિરે જતા ઉભરાતી ગટરોથી ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે
હિન્દ ન્યુઝ, ડભોઈ ડભોઇના સુપ્રસિદ્ધ ગઢભવાની માતાના મંદિરે નવરાત્રીના પાવન અવસરે ભક્તો ઉમટી પડતા હોય છે. આવા પવિત્ર તહેવાર માં ભક્તોની લાગણી દુભાય રહી છે.ભકતોને આવા ગટરના ગંદા પાણી માંથી પસાર થઈને માતાજી ના દર્શન કરવા જવાની ફરજ પડી રહી છે.આ અંગે રહીશો એ પાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં તેઓનું પેટનું પાણી પણ હાલતું નથી.આજ માગૅ ઉપર દશામાનું પણ મંદિર આવેલું છે.હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ બંને મંદિરે દર્શનાર્થે આવતા હોય છે. ગટરના પાણીમાં પગ મૂકીને અપવિત્ર થઈ દર્શનાર્થે જતા હોય છે કેટલાંક અંશે વ્યાજબી ગણાય ? ડભોઇ નગર અને…
Read Moreવડાલી માર્કેટયાર્ડ ના ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટાયા
હિન્દ ન્યુઝ, વડાલી વડાલી માર્કેટયાર્ડ માં આજે ચેરમેન અને વાઇસ ચેરમેન ની બિનહરીફ વરણી જિલ્લા રજીસ્ટર ની હાજરી માં સમપ્પન થઈ. વડાલી માર્કેટયાર્ડ માં એક માસ પહેલા 15 ડિરેક્ટરો ની ચૂંટણી થઈ હતી ત્યારે આજે જિલ્લા રજીસ્ટર ની હાજરી માં ચેરમેન તરીકે વિજયભાઈ પટેલ ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી જ્યારે વાઇસ ચેરમેન તરીકે ચંદુભાઈ પટેલ ની સત્તાવાર જાહેરાત કરાઈ હતી. આજે બરાબર 12 વાગે માર્કેટયાર્ડ ના હોલ માં તમામ ડિરેક્ટરો ની હાજરી માં વિજય પટેલ ને ચેરમેન તરીકે જાહેર કરાયા હતા ત્યારે તે સમયે ઉપસ્થિત તમામ લોકો એ વિજયભાઈ…
Read Moreકાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર, પેટા વન વિભાગ, ભાવનગર દ્વારા વિવિધ જગ્યાએ તા.૦૮/૧૦/૨૦૨૧ ના રોજ વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીની પૂર્ણાહુતીરૂપે તા.૦૮/૧૦/૨૦૨૧ નાં રોજ ગુજરાત રાજ્યમાં અંદાજે ૫૮૩ થી વધુ જગ્યા પર એકસાથે કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં જામનગર ખાતેથી વનમંત્રી કિરીટસિંહ રાણા જોડાયેલ હતા. તેમનાં દ્વારા વન્યપ્રાણી સંરક્ષણમાં ગુજરાત રાજ્યની કામગીરીની સિદ્ધિઓને બિરદાવવામાં આવેલ હતી. ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જોડાયાં હતાં અને તેમના દ્વારા આપણા પ્રાકૃતિક વારસાને સાચવવા દરેક નાગરિકને કટીબધ્ધ બનવા આહવાન આપવામાં આવેલ હતું. મુખ્યમંત્રી દ્વારા વેળાવદર ખાતે કરવામાં આવી રહેલ ખડમોર (લેસર ફલોરીકન) ની સંરક્ષણની કામગીરીને ખાસ નોંધ લેવા જણાવ્યું હતું. વેળાવદર ખાતે આ અનુસંધાને યોજાયેલા કાર્યક્રમમાં વન્યપ્રાણી સંરક્ષણમાં મદદરૂપ…
Read Moreરોડ રીપેરીંગ મહાઅભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં અનેક કામો પ્રગતિ હેઠળ ડામર પેચ વર્ક અને પેવરપટ્ટાની કામગીરી હાથ ધરાઇ
હિન્દ ન્યુઝ, મોરબી મોરબી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હસ્તક કુલ ૪૮૪.૪૭ કિ.મી. રસ્તાઓ આવેલ છે. જે પૈકી ૧૪૭.૬૦ કિ.મી. રસ્તાઓ હાલ ગેરંટી પીરીયડમાં છે તેના પેચવર્કની કામગીરી કરવા જે તે કોન્ટ્રાકટરોને જણાવેલ છે તથા ૩૧૫.૩૭ કિ.મી. રસ્તા ગેરંટી પીરીયડ સિવાયના હાલ ખાતા હસ્તક છે, જે રસ્તાઓ પૈકી ૧૨૭.૧૫ કિ.મી. નવા રીસરફેસ કરવાના મંજૂર થયેલ છે. જે ચોમાસાની સિઝન બાદ ટૂંક સમયમાં ચાલુ થશે. તેમજ બાકીની લંબાઈ ૧૮૮.૨૨ કિ.મી. પૈકીના રસ્તા પર ૨૧.૫૦ કિ.મી. ખરાબ સપાટી માંથી ૧૩.૩૫ કિ.મી. લંબાઈ પર ડામર પેચની કામગીરી થઈ ગયેલ છે તથા બાકીની…
Read Moreશહેરી વિસ્તારના કોઇપણ નાગરિક પ્રાથમિક સવલતોથી વંચિત ન રહે તે માટે રાજય સરકાર ચિંતત છે : મંત્રી બ્રિજેશભાઇ મેરજા
હિન્દ ન્યુઝ, મોરબી મોરબી ખાતે મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી નગરપાલિકા વિસ્તારના પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજાઇ મોરબી કલેકટર કચેરી મીટીંગ હોલ ખાતે શ્રમ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી નગરપાલિકા વિસ્તારના પ્રશ્નો અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે શહેરી વિસ્તારનો કાઇપણ નાગરિકો પ્રાથમિક સવલતોથી વંચિત ન રહે તે માટે રાજય સરકાર ચિંતિત છે. મંત્રીએ શહેરી વિસ્તારમાં લોકોને પીવા માટેનું શુધ્ધ પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા સબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. તેમણે નગરપાલિકા…
Read Moreશિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીની જિલ્લાનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક
હિન્દ ન્યુઝ, ભાવનગર શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ ભાવનગર શહેરનાં સર્કિટ હાઉસના કોન્ફરન્સ હોલમાં જિલ્લાનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. શિક્ષણ મંત્રી આ બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલ રોડ, મકાન, પાણી પુરવઠા, અન્ન, વીજળી, સરકારી યોજનાઓ, શિક્ષણ, આરોગ્ય, એસ.ટી.બસો, જુના બિલ્ડીંગોનું નવીનીકરણ સહિતના વિષય અંગેની જાણકારી ઉપસ્થિત અધિકારીઓ પાસેથી જાણી હતી. તેમણે જિલ્લામાં ચાલી રહેલ વિકાસનાં કામો અંગેની તલસ્પર્શી વિગતો જાણી જિલ્લાની સ્થિતિનો તાગ મેળવી ઉપસ્થિત અધિકારીઓને જે તે પેન્ડિંગ કામો તેની સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. તેમણે આ તકે ઉપસ્થિત જિલ્લાનાં સ્કાઉટ ગાઈડનાં…
Read Moreજિલ્લાના ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી સરળતાથી મળી રહે તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે : મંત્રી બ્રિજેશભાઇ મેરજા
હિન્દ ન્યુઝ, મોરબી મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મીટીંગ હોલ ખાતે શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી અને માળીયા વિસ્તારના સિંચાઇ માટેના પાણીના પ્રશ્નો અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે જિલ્લાના ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી સરળતાથી મળી રહે તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે. જિલ્લાના ખેડૂતોને રવિપાકના સમયે નિયમિત અને પુરતા પ્રમાણમાં નર્મદા કેનાલ મારફત સિંચાઇ માટેનું પાણી મળી રહે તેવા પ્રકારનું આયોજન છે. જે ગામો સિંચાઇ માટે નર્મદાના પાણીથી વંચિત છે તેવા…
Read Moreથરાદ તાલુકા કક્ષાનો કબડી રમતોત્સવ ગાયત્રી વિદ્યાલય ખાતે યોજાયો
હિન્દ ન્યુઝ, થરાદ થરાદ તાલુકા કક્ષાનો અંડર 19 કબડ્ડી શાળાકીય રમતોત્સવ ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતે યોજાયો. 19 વર્ષથી નીચેની વયના ભાઇઓ તથા બહેનો ની કુલ ૧૨ ટીમો આ સ્પર્ધામાં ભાગ લીધો. ગાયત્રી વિદ્યાલય ના યજમાન પદે યોજાયેલ સ્પર્ધામાં શાળા ના આચાર્ય ડોક્ટર આર.વી.પટેલ એ ઉદ્બોધન કરી અને સ્પર્ધા ખુલ્લી મૂકી. આ સ્પર્ધામાં ગાયત્રી વિદ્યાલય થરાદ ની ભાઈઓ અને બહેનો ની ટીમો વિજેતા બની. જ્યારે વાઘાસણ અને નારોલી ની ટીમ રનર્સ અપ બની. રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ
Read Moreરાજકોટ માં તા.૧૦-૧૦-૨૦૨૧ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિનેશન અભિયાન યોજાશે
હિન્દ ન્યુઝ, રાજકોટ આ અનુસંધાને આજે તા.૦૯-૧૦-૨૦૨૧ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ એક બેઠક યોજી હતી, જેમાં આવતીકાલે વધુ ને વધુ લોકો વેક્સીન લઈ લ્યે તે અંગે આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વેક્સીનેશનમાં બાકી રહેલા લોકોને આ વેક્સીનેશન અભિયાનમાં લાભ લેવા ખાસ અપીલ કરી છે. વેક્સિન લેવામાં સાવ બાકી હોય તેઓને આ અભિયાનમાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ અપાશે. જ્યારે પ્રથમ ડોઝ લઈ લીધો હોય અને ૮૪ દિવસ થઇ ગયાં હોય તેઓને બીજો ડોઝ આપવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ૨૧ આરોગ્ય કેન્દ્રો, દરેક મેઈન વોર્ડ ઓફિસ, બસ…
Read More