અમરેલી શહેર ની સંસ્થા ડો. કલામ ઈનોવેટીવ વર્ક ના વિદ્યાર્થી અંશ ચૌધરી દિલ્હી ની નેશનલ ચિલ્ડ્રન કલાઈમેટ કોન્ફરન્સ માં ઝળક્યા

અમરેલી,         તા. ૧૨ જાન્યુઆરી યુવા દિવસ ના દિવસે ડો. કલામ ઇનોવેટીવ વર્ક ના વિદ્યાર્થી અંશ ચૌધરી એ દેશ ની રાજધાની દિલ્હી માં નેશનલ બાલભવન ખાતે આયોજિત રાષ્ટ્રીય ચિલ્ડ્રન કલાઇમેટ કોન્ફરન્સ માં આજના સમય માં પર્યાવરણ માં થઇ રહેલા ફેરફાર અને તેની અસરો ઉપર પેપર પ્રેઝન્ટેશન કર્યું હતું. આ કોન્ફરન્સ માં દિલ્હી ના શિક્ષા વિભાગ ના ડો. એલ.કે. સહની સાહેબ, ગુલ મકાઇ (મલાલા) ફિલ્મ ની અભિનેત્રી રીમ અને પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરતા મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સ માં સમગ્ર દેશ માંથી પધારેલ વિદ્યાર્થીઓ એ પર્યાવરણ વિષયે…

Read More

નર્મદા જીલ્લાના ડેડિયાપાડા ગામની મોડેલ સ્કૂલ માં શૈક્ષણિક પ્રવાસનું આયોજન

નર્મદા,                 વિદ્યાર્થી જીવનમાં પ્રવાસ પર્યટનનું પણ ખૂબ જ મહત્વ છે. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીને એક નવું વાતાવરણ મળે છે.અવનવી બાબતો તેને પ્રત્યક્ષ જોવા જાણવાની અને સમજવાની મળે છે. શાળામાં યોજાતા પ્રવાસથી વિદ્યાર્થીઓને પોતાના મિત્રો સાથે મુક્ત આનંદ માણવાની તક મળે છે. હળવું મનોરંજન મળે છે. સાથે નવા સ્થળને લીધે તેનું ઐતિહાસિક, ભૌગોલિક જાણકારી પણ વધે છે . બાળકમાં રહેલી જિજ્ઞાસાવૃત્તિ વધારે સતેજ બને છે. આ બધું શક્ય બને છે શાળામાં અવારનવાર યોજાતા પ્રવાસ-પર્યટન થી.     મોડેલ સ્કૂલ ના આચાર્યશ્રી ડેલીગરા સાજીદ હુસેન તૈબજી…

Read More

ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રિબા વાઘેલા દ્વારા કાજલબેન રાઠોડ ને શ્રદ્ધાંજલિ

રાજકોટ,       સમગ્ર ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા બેટી બચાવો બેટી ભણાવો અભિયાનમાં ગુજરાતની બેટી ઉપર નરાધમોએ અપહરણ કરી બેરહેમીથી સામુહિક બળાત્કાર કરી ક્રુરતાપૂર્વક હત્યા કરી. મોડલ ગુજરાત સરકારની પોલીસની નિષ્ક્રિયતા ને કારણે સમગ્ર ભારતમાં ગુજરાતને કલંકિત કરેલ છે. ગુજરાતના હોમ ડિપાટઁમેન્ટન ને કેન્સરની સાથે લકવો થઈ ગયો છે. જેથી ગુજરાત ની કાયદા વ્યવસ્થા કથળી ગઇ છે.         ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રિબા વાઘેલા તેમજ રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનિષાબા વાળા એ નિભઁયા હત્યાકાંડ ના આરોપીઓ જેમ ફાંસીની સજા પડેલ તેમ ગુજરાતની દિકરીના ગુનેગારોને ફાંસી…

Read More

ધોરાજી જેતપુર હાઈવે ઉપર કારમાં આગ લાગતા એકનું મોત

ધોરાજી,  ધોરાજી જેતપુર હાઈવે ઉપર સ્વીફ્ટ કાર નંબર GJ – 12 BR 3017 માં અચાનક આગ લાગી જવા પામી હતી. પ્રાથમિક માહિતી અનુસાર કારચાલકનું કારનો દરવાજો ન ખુલતા કારમાં ભૂંજાઈ જઈ મૃત્યુ નિપજયું છે. 

Read More

જુનાગઢ જિલ્લાના માંગરોળમાં કગરાણા પરિવારના નિવૃત કેળવણી નિરીક્ષકનું થયેલ ચક્ષુદાન

માંગરોળ, માંગરોળમાં તા.૧૧-૦૧-૨૦૨૦ પોષ વદ એકમના દિવસે કગરાણા પરિવારના સ્વ.પ્રવિણભાઈ દામોદરભાઈ કગરાણા(નિવૃત કે.નિ.)(ઉ.વર્ષ.૭૫) {રહે.છાપરા સોસાયટી.}કે જેઓ વિમલભાઈ કગરાણાના પિતાશ્રી થાય છે જેમનુ હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયેલ છે. આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા મૃતકના ચક્ષુનુ દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.આથી માંગરોળના પ્રફુલકાકા નાંદોલા દ્વારા “શિવમ્ ચક્ષુદાન સલાહકેંદ્ર આરેણા”ના સંચાલકને જાણ કરતાં આરેણા ગામના રાકેશબાપુ યોગાનંદીદ્વારા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યાં હતા. જેમને સહકાર આપવામાં વિશાલભાઈ જોટવા અને સહદેવભાઈ જોટવાહાજર રહ્યા હતા. આ બંન્ને ચક્ષુ કરશનભાઈ વાજાએ વેરાવળ સ્થિત મુનિ સંત બાલાજી આઈ બેંકને પહોંચાડયા હતા. સ્વર્ગસ્થ પ્રવિણભાઈ શિવમ્…

Read More

વડોદરા પાદરા નજીક એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ

વડોદરા, વડોદરા પાદરા નજીક ગવાસદ ગામ પાસે એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થતાં 5 કામદારોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં થતાં ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે દોડી ગઇ છે. મૃતદેહોને અને ઘાયલોને પાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, 3 કિમી સુધી ધરતી ધ્રુજતા ભૂંકપ જેવો અનુભવ થયો હતો. રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી છે. કંપનીમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઇ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગવાસદ ગામ પાસે આવેલી એમ્સ ઓક્સિજન કંપનીમાં હોસ્પિટલોમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર્સ ભરવામાં આવે છે. આ કંપનીમાં…

Read More

સુરત વસવારી મુકામે મદનેશ્વરી ધ્યાન મંદિરે ૧૧ કુંડી યજ્ઞ યોજાયો

સુરત, સુરતના વસવારી મુકામે મદનેશ્વરી ધ્યાન મંદિરે તા૮-૧ બુધવારે ભવ્ય તેમજ દિવ્ય ૧૧ કુંડી શ્રી હોમાત્મક મહા લઘુ રુદ્ર યજ્ઞ યોજાયો. યજ્ઞ પ્રારંભ સવારે સાત વાગે થયેલ યજ્ઞ પૂણાઁહુતી સાંજે પાંચ વાગે થયેલ, વસવારી, અમરોલી-સાયણ રોડ, તળાવની બાજુમાં, મદનેશ્વરી ધ્યાન મંદિરે આ મહાયજ્ઞ યોજાયેલ આ મહાયજ્ઞ મા ત્રિપાખ સાધુ સમાજ ના સંતો મહંતો ઉપસ્થિત રહેલ, યજ્ઞના આચાર્ય શાસ્ત્રી મયુરકુમાર પંડયા(સુર્યપુર પાઠશાળા-રાજાવદર)રહેલ, બપોરે ૧૨ વાગે મહાપરસાદનુ આયોજન રાખેલ જેમા વિશાળ સંખ્યામાં સંતો મહંતો ભાવિકોએ ભોજન લીધેલ, આશ્રમ ના મહંત પૂ.મદનગીરીબાપુ ગુરુશ્રી મહેશગીરી માતાજી દ્વારા તમામ સાધુ સંતોને આદર્શ સત્કાર કરેલ હતું.

Read More

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવેકાનંદજીની જન્મજયંતિ ની પૂર્વ સંધ્યાએ સંગીત કાર્યક્રમ અને પ્રેમના પટારાનું લોકાર્પણ

રાજકોટ, તા.11.1.2020 ને શનિવારના રોજ સાંજે 4:00 કલાકે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિવેકાનંદજીની પ્રતિમા પાસે સ્વામી વિવેકાનંદજીના જીવન-કવન સંગીત કાર્યક્રમ તથા “પ્રેમના પટારા” નું લોકાર્પણ જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના પૂર્વ કુલપતિશ્રી ડો.સંજીવભાઈ ઓઝાના વરદહસ્તે કુલપતિશ્રી ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિશ્રી ડો.વિજયભાઈ દેશાણીની ઉપસ્થિતિમાં યોજાનાર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતાના સામાજીક ઉત્તરદાયિત્વના ભાગરૂપે કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ “પ્રેમના પટારા” નું કેમ્પસ ખાતે નિર્માણ કરેલ છે. આ “પ્રેમના પટારા” નો મુખ્ય ઉદ્દેશ આપણા ઘરમાં રહેલ જુના કપડા.બુટ. જુની વસ્તુઓ પ્રેમના પટારામાં આપી સમાજના જરુરીયાતમંદને મદદરૂપ…

Read More

સુરત ખાતે સમસ્ત ઠુંમર પરિવાર નો ૧૮મો સ્નેહ મિલન

સુરત,         સુરતમા સમસ્ત ઠુમ્મર પરિવાર આયોજીત ૧૮ મો સ્નેહમીલન તેમજ વિધ્ધાથીઁઓનો સન્માન સમારોહ યોજાયેલ. સમારોહ હરભોલે પાટીઁ પ્લોટ, મોટા વરાછા, ઠુમર પરિવારના યુવાનો દ્વારા એકસરખા ગુલાબી ટીશટઁમા સ્વયસેવકોની વિશાળ ફોજ દ્વારા ભવ્ય મશાલ રેલી યોજેલ ત્યારબાદ દીપ પ્રાગટ્ય પછી કાયઁક્રમ ની શરુઆત થયેલ, તેમજ સમારોહ મા ગુજરાત ભરના ઠુમ્મર પરિવારના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહેલ જેમા જ્ઞાન સંપ્રદાયના અધ્યક્ષ મહંત શ્રી સુધમઁદાસજી ગુરુશ્રી વિઠલદાસજી (ઠુમર) (કાસોર ભાલેજ) પુ.ધીરુબાપા ઠુમ્મર-અમદાવાદ (ભેંસાણ મંદિર), મહંત શ્રી કાનજીબાપુ ઠુમ્મર (રામદેવજી આશ્રમ-ધાર)(ગુણુબાપુ) ઉપસ્થિત રહીને આશિવઁચન પાઠવેલ. ઠુમર પરિવારના મહાનુભાવોમા હરેશભાઈ ઠુમર જુનાગઢ, રવિભાઇ…

Read More

Pgvcl ની ભરતી મામલે કિસાન એકતા સમિતિ દ્વારા આપ્યું આવેદનપત્ર

મહુવા, પીજીવીસીએલ રાજકોટ ભરતી પ્રક્રિયા બાબતે ઓબીસી વર્ગના ઉમેદવાર ને થયેલા અન્યાય બાબતે મહુવા તાલુકા કલેક્ટરને આવેદનપત્ર આપીને સરકારને રજુઆત કરવામાં આવી હતી. તાજેતરમાં પીજીવીસીએલ રાજકોટ દ્વારા 881 વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા માં ઓબીસી ક્વોટા મુજબ ગણતરી નથી કરી અને આર્થિક 10% અનામત (ews) જે સ્વર્ણ સમાજને આપવામાં આવે છે. તેની કુલ જગ્યા 881મા થી 10% લેખે 88 થાય છે. તેની જગ્યાએ 340 ગણતરી કરી ઓબીસી , એસસી , એસટી ના ઉમેદવારો ને ગંભીર નુક્સાન કયું છે. તેની જગ્યાએ 340 ગણતરી કરી ઓબીસી, એસસી, એસટી જેમની વસ્તી 85% થવા જાય…

Read More