હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાના શહેરી/ગ્રામ્ય તેમજ અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગેસ્ટ હાઉસ તથા હોટેલોમાં ત્રાસવાદી સંગઠનોના માણસો રોકાઇને પોતાની ત્રાસવાદી પ્રવૃતિને અંજામ આપે તેમ સંભાવનાઓ રહેલી છે. આવા તત્વો બાબતે સંપૂર્ણ માહિતી મેળવી શકાય તેમજ તેમના ઉપર અંકુશ લાવી શકાય તે હેતુથી હોટલ ગેસ્ટ હાઉસના માલિકો/સંચાલકોએ નિયમોનું પાલન કરવા તેમજ ગ્રાહકની રજિસ્ટર એન્ટ્રી સાથે દરેક હોટલે પોતાના રીસેપ્સન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથેનું એક કોમ્પ્યૂટર રાખી જેમાં અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા PATHIK (Prograin fur Analysis of Traveller & Hotel informatics) સોફ્ટવેરમાં ઓનલાઈન મુસાફરોની એન્ટ્રી કરવાની રહેશે તેમ…
Read MoreAuthor: Admin
સબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કચ્છમાં કોઈ વ્યક્તિને મકાન ભાડે આપી શકાશે નહીં
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસીયા, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડીને ફરમાવવામાં આવેલું છે કે, કચ્છ જિલ્લાની હદમાં આવેલા તમામ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઈ વ્યક્તિને મકાન ભાડે આપી શકાશે નહીં. મકાન ભાડે આપવામાં આવે ત્યારે મકાન માલિકનું નામ, ભાડે આપેલા મકાનની વિગત, વિસ્તારનું નામ, મકાનનું બાંધકામ ક્ષેત્રફળ, મકાન ભાડે આપવા અધિકૃતતા ધરાવતા વ્યક્તિનું નામ, સરનામું, સંપર્ક નંબર સહિત, મકાન ભાડે આપેલું છે તથા માસિક ભાડુ કેટલું, કઇ વ્યક્તિઓને ભાડે આપેલું છે તેમના પાકા નામ,…
Read Moreકચ્છના કેબલ ઓપરેટરોને પીજીવીસીએલ તથા બીએસએનએલ નેટવર્ક થાંભલાનો ઉપયોગ ન કરવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસીયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ જિલ્લામાં કોઇપણ ટી.વી. કેબલ ઓપરેટરે પી.જી.વી.સી.એલના ઇલેકટ્રીક નેટવર્ક તથા બી.એસ.એન.એલ.ના થાંભલા પર ટીવી કેબલ પ્રસ્થાપિત કરેલ હોય તો તે દૂર કરવા અને કોઇએ નવા પ્રસ્થાપિત કરવા નહીં, તેમજ પી.જી.વી.સી.એલ. દ્વારા દૂર કરાયેલ ટી.વી. કેબલ પી.જી.વી.સી.એલના નેટવર્ક પર પુનઃપ્રસ્થાપિત ન કરવા અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામાં હેઠળ તપાસ કરવાનાં,…
Read Moreવેપારીઓએ જુના-નવા વાહનોના વેચાણ અંગેનું રજિસ્ટર નિભાવી જરૂરી આધાર પુરાવા રાખવાના રહેશે
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસીયા, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે કે, કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા જુના/નવા સાયકલ/સ્કૂટર/મોપેડ/બાઈક/કાર વગેરે લે-વેચ કરતા વેપારીઓએ નવા જુના સાયકલ/સ્કૂટર/મોપેડ/બાઈક/કાર વગેરે ખરીદી સમયે ખરીદનાર વ્યક્તિની ઓળખ માટે વેપારીઓએ કોઈ માન્યતા પ્રાપ્ત દસ્તાવેજી પુરાવા રાખવાના રહેશે. વેપારીઓએ રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ વગેરે મેળવી તેની ખરાઈ કરી સાયકલ/સ્કૂટર/મોપેડ/બાઈક/કાર વગેરે વેચાણ સમયે બીલમાં સાયકલ/સ્કૂટર/મોપેડ/બાઈક/કાર વગેરેનો પ્રકાર, ચેસિસ નંબર, ગ્રાહકનું પૂરૂં નામ, સરનામું, ટેલિફોન નંબર વગેરે લખવાનું રહેશે. આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૨૮/૦૭/૨૦૨૬…
Read Moreવડાપ્રધાનના સુશાસનના ૧૨ વર્ષ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લામાં આયોજીત થનાર અનેકવિધ કાર્યક્રમો અંગે પ્રેસ વાર્તાલાપ યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વડાપ્રધાનના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોના જિલ્લામાં કાર્યાન્વયન અંગેની માહિતી નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે પ્રાંત કચેરી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં આપી હતી. નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ સંમેલન”, “જનકલ્યાણ શિબિર” તથા “પ્રગતિ પથ યાત્રા” જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો થકી જનસામાન્યને સ્પર્શતા વિવિધ વિકાસકાર્યોની માહિતી લોકો સુધી ‘વિકસિત ભારત સંકલ્પ…
Read Moreપ્રગતિના હબમાં હવે પ્રકૃતિનો રંગ
હિન્દ ન્યુઝ, અમદાવાદ ધોલેરાના ખારાપાટમાં ‘ડ્રમ પ્લાન્ટેશન’ના નવતર પ્રયોગને સફળતા! દેશના અગ્રણી સેમિકંડક્ટર હબ તરીકે ઉભરી રહેલા ધોલેરામાં ગુજરાત સરકારના વન વિભાગ અને DSIRDAના સંયુક્ત પ્રયાસોથી અત્યંત ખારાશવાળી જમીન પર ‘ડ્રમ પ્લાન્ટેશન’ ટેકનિકથી 3,200 વૃક્ષો ઉછેરવામાં સફળતા; માત્ર એક જ વર્ષમાં 12 ફૂટ જેટલા ઊંચા રોપાઓ થકી રણ સમાન ઉજ્જડ પ્રદેશમાં હરિયાળી લહેરાતા એક નવી ઈકોસિસ્ટમ જીવંત બની. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ગ્રીન અને સ્માર્ટ સિટી’ના વિઝનને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સાકાર કરતું ધોલેરા આજે ટકાઉ અને પર્યાવરણલક્ષી વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ બની રહ્યું છે.
Read Moreગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબીમાં આયોજિત ૧૫ દિવસીય નિઃશુલ્ક ‘સમર યોગ કેમ્પ’નું સમાપન
હિન્દ ન્યુઝ, મોરબી બાળકોમાં શારીરિક અને માનસિક ઉર્જા, ઉત્સાહ તેમજ સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા આશય સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી જિલ્લામાં આયોજિત ૧૫ દિવસીય નિઃશુલ્ક ‘સમર યોગ કેમ્પ’નું પ્રેરણાદાયી માહોલમાં ભવ્ય સમાપન થયું છે. ગત તારીખ ૧૬ મે થી ૩૦ મે દરમિયાન મોરબીની ગોકુળનગર પ્રાથમિક શાળા તેમજ રાજપર ગામ ખાતે આ વિશેષ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન બાળકોને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનનો સઘન અભ્યાસ કરાવીને દૈનિક જીવનમાં યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. યોગાભ્યાસની સાથે-સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ ઇન્ડોર…
Read Moreદિવ્યાંગજનો પ્રત્યેની સંવેદનશીલતા
હિન્દ ન્યુઝ, ગાંધીનગર 7 જૂનના રોજ યોજાનાર GPSCની સંયુક્ત પ્રાથમિક પરીક્ષામાં દિવ્યાંગ ઉમેદવારો માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પરીક્ષા કેન્દ્રો પર વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરાઈ; દિવ્યાંગો માટે લિફ્ટ, ભોંયતળિયે બેઠક, વ્હીલચેર અને ‘દિવ્યાંગ મિત્રો’ જેવી સુવિધાઓ. 826 દિવ્યાંગ પરીક્ષાર્થીઓ સહિત રાજ્યભરમાંથી 75,487 પરીક્ષાર્થીઓ GPSCની પરીક્ષા આપશે.
Read Moreદાહોદ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫ જુનના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા કક્ષાનો માહે જૂન-૨૦૨૬નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૫/૦૬/૨૦૨૬ ને ગુરૂવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલેકટર કચેરી, દાહોદ ખાતે યોજવામાં આવનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં કોર્ટ મેટર, નીતિ વિષયક તથા સેવા વિષયક કે સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે. આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૬/૨૦૨૬ સુધીમાં કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે.
Read Moreગીર સોમનાથ જિલ્લામાં ‘તમાકુ વ્યસન વિરોધી સેલ્ફ-એસેસમેન્ટ મિરર’ અભિયાનનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ તથા ઇન્ડિયન રેયોન જન સેવા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે જિલ્લામાં વ્યસનમુક્તિ અંગે નવી પહેલ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત પાનના ગલ્લા તથા જાહેર સ્થળો પર તેમજ સરકારી કચેરીઓ ખાતે “તમાકુ વ્યસન વિરોધી સેલ્ફ-એસેસમેન્ટ મિરર” લગાડવાનું અભિયાન શરૂ કરાયું છે. વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણીના ભાગરૂપે કલેકટર જીતેન્દ્રસિંહ વાઘેલા તથા જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન અંતર્ગત વેરાવળ શહેરી વિસ્તારમાં પાનના ગલ્લાઓ અને તમાકુ વેચાણ સ્થળોએ તથા જાહેર જગ્યાઓએ તેમજ સરકારી કચેરીઓ ખાતે “તમાકુ વ્યસન વિરોધી સેલ્ફ-એસેસમેન્ટ મિરર” લગાડવાનું…
Read More