તાલાલા નગરપાલિકા દ્વારા માનવસાંકળના માધ્યમથી સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    ‘સ્વચ્છ ભારત મિશન’ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” થીમ અન્વયે સ્વચ્છતા અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં ગીર સોમનાથ જિલ્લો પણ પોતાની સહભાગીદારી નોંધાવી રહ્યો છે.

સ્વચ્છતા અભિયાન અન્વયે રોજ જૂદી-જૂદી થીમ અન્વયે જનજાગૃતિ અર્થે પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તાલાલા નગરપાલિકા દ્વારા નગરપાલિકા ગ્રાઉન્ડમાં નગરજનો દ્વારા માનવસાંકળ બનાવી સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment