ધ્રોલ તાલુકાના વાંકીયા ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, ધ્રોલ

   પશુપાલન શાખા, જિલ્લા પંચાયત- જામનગર દ્વારા સંચાલિત પશુ દવાખાના- ધ્રોલ દ્વારા વાંકીયા ગામે પશુ આરોગ્ય મેળા (PAM) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકીયા ગામના 72 પશુપાલક લાભાર્થીઓના 1063 પશુઓને મેડીસીન, ગાયનેક, સર્જરીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. તેમજ પશુપાલકોના પશુઓ માટે કૃમિનાશક દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

વધુમાં પશુચિકિત્સા અધિકારી ડો.ધ્રુપલ પટેલ દ્વારા ગામના પશુપાલક લાભાર્થીઓને પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્યની વિવિધ સહાયકારી યોજનાઓ અને 21 મી પશુધન વસ્તી ગણતરીના આયોજન વિશે માહિતીગાર કરવામાં આવ્યા હતા. તેમજ જામનગર જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની કામગીરી અને પ્રાણીઓ વિરુદ્ધ ક્રૂરતા રોકવા અંગેના કાયદા વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમ નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લ, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે.


Related posts

Leave a Comment