દિવાળી તથા નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને હંગામી ધોરણે ફટાકડા વેચાણનું લાયસન્સ મેળવવા અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, જામનગર

     જામનગર શહેર, જામનગર તાલુકા તથા કાલાવડ તાલુકા વિસ્તારમાં આગામી દિવાળી – નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને મર્યાદિત જથ્થામાં ફટાકડા સંગ્રહ કે વેચાણ માટે પરવાનાની જરૂરીયાત હોય તેવી વ્યક્તિઓએ નિયત નમુનાઓમાં જરૂરી આધાર – પુરાવાઓ સાથેની અરજી જામનગર શહેરી વિસ્તાર માટે મામલતદાર, જામનગર (શહેર)ની કચેરી ખાતે તેમજ જામનગર તાલુકા માટે મામલતદાર કચેરી (ગ્રામ્ય) મહેસુલ સેવા સદન, પ્રથમ માળે, શરૂ સેકશન રોડ, જામનગર તથા કાલાવડ તાલુકા માટે મામલતદાર કચેરી કાલાવડ ખાતે તા.૧૧/૧૦/૨૦૨૪ સુધીમાં રજૂ કર્યેથી નિયમોનુસાર તપાસનીશ અધિકારીનો અભિપ્રાય મેળવી પરવાનો આપવાની કાર્યવાહી હાથ ધરી શકાશે.

   આ અંગેના અરજી ફોર્મ સંબધિત મામલતદારની કચેરીમાંથી મળી શકશે. તા.૧૧/૧૦/૨૦૨૪ બાદ રજુ થયેલ ફટાકડા સંગ્રહ વેચાણ માટેના પરવાના બાબતની અરજીઓ કોઈ પણ સંજોગોમાં વિચારણમાં લેવામાં આવશે નહી. જેની પણ સંબંધકર્તાઓએ નોંધ લેવી. દિવાળી તહેવારની ઉજવણી અંગે સરકાર દ્વારા અન્ય કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે તો તે આખરી ગણાશે તે બાબત ધ્યાને લેવા પણ મામલતદાર ની યાદીમાં જણાવાયુ છે.

 

Related posts

Leave a Comment