રખડતા ઢોરના ત્રાસથી નાગરિકોને મુક્તિ અપાવવા આણંદ નગરપાલિકા એક્શનમાં

હિન્દ ન્યુઝ, આણંદ

     આણંદ નગરપાલિકા વિસ્તારમાં નાગરિકોને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે આણંદ નગરપાલિકા એક્શનમાં આવી છે.

                જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ આણંદ શહેરી વિસ્તારના રસ્તાઓ ઉપર રખડતા ઢોરો ને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવા જણાવ્યું છે.

                આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી એસ. કે. ગરવાલ અને તેમની ટીમ દ્વારા આણંદ શહેરી વિસ્તારના રસ્તાઓ ઉપર રખડતા ઢોરોને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

                આજે આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા વધુ ૧૭ જેટલી ગાયો પકડીને મહેળાવ ખાતેના પાંજરાપોળમાં મોકલી આપવામાં આવી છે.

                અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા ૨૩ ગાયો પકડવામાં આવી હતી જે ગૌશાળા ખાતે મોકલવામાં આવી હતી.


Related posts

Leave a Comment