જસદણ બાર એસોસીએશનમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, જસદણ

     જસદણ બાર એસોસિયેશનમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને લાઈબ્રેરીયનની નિમણૂક કરવામાં આવેલ. આમ જસદણ બારમાં ઈલેકશનની જગ્યાએ સિલેક્શન કરવામાં આવેલ. જેમાં સૌરાષ્ટ્રના વરિષ્ઠ ધારાશાસ્ત્રી તેમજ ચુસ્ત જનસંઘી અને ૪૦ માં વર્ષ સુધી પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થતાં હોય તેવા પ્રમુખપદે જગદીશભાઈ કે.આચાર્ય તેમજ ઉપપ્રમુખપદે વિવિધ સામાજીક સંસ્થાઓ સાથે જોડાય હોય તેવા વરિષ્ઠ ધારાશાસ્ત્રી યાકુબભાઈ એલ. દલાલ તેમજ સેક્રેટરીપદે વર્ષોથી બિનહરીફ તરીકે ચૂંટાતા હોય એવા વરિષ્ઠ ધારાશાસ્ત્રી ભરતભાઈ પી.અંબાણી તેમજ લાઈબ્રેરિયનપદે વરિષ્ઠ ધારાશાસ્ત્રી રશ્મિનભાઈ એન.શેઠની નિમણૂક થતા હર્ષ અને ખુશીનો માહોલ જોવામાં આવેલ તેમજ નિમણુક હોદેદારોની યાદી વિવિધ વિભાગોમાં મોકલી આપવામાં આવેલ તેવું એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ તેમની યાદીમાં જણાવેલ છે.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment