હિન્દ ન્યુઝ, ઉમરગામ
1500થી વધુ જરૂરિયાતમંદો સુધી પહોંચાડી રાહત સામગ્રી
વલસાડના ઉમરગામ તાલુકાના પૂરગ્રસ્ત અંકલાસ, નગવાસ અને ઝરોલી ગામોમાં જિલ્લા માહિતી કચેરીની ટીમ, સ્થાનિક તંત્ર અને સેવાભાવી લોકોના પ્રયાસોથી 13 જેટલા ફળિયાઓમાં રહેતા 1500થી વધુ પૂર પીડિતોને અનાજની કિટ, વસ્ત્રો, નાસ્તો, શુદ્ધ પીવાનું પાણી અને 850થી વધુ નવા સ્કૂલ યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું
સહાય બદલ પૂર અસરગ્રસ્તોએ ગુજરાત સરકાર અને સેવાભાવી સંસ્થાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
