હિન્દ ન્યુઝ, અમદાવાદ ભારતના ઉપરાષ્ટ્રપતિ અને હોદ્દાની રૂએ પંજાબ યુનિવર્સિટીના ચાન્સેલર, સી. પી. રાધાકૃષ્ણને આજે ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિએ સોફિસ્ટિકેટેડ એનાલિટિકલ ઈન્સ્ટ્રુમેન્ટ ફેસિલિટી/સેન્ટ્રલ ઈન્સ્ટ્રુમેન્ટેશન લેબોરેટરીઝ (SAIF/CIL) ખાતે એડવાન્સ્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે પંજાબ યુનિવર્સિટી ટેક ઈનોવેશન ફોરમ (PU-TIF) નું પણ ઉદ્ઘાટન કર્યું હતું. SAIF/CIL અને PU-TIF સંશોધકો, ઇનોવેટર્સ અને ઉદ્યોગોને અદ્યતન એનાલિટિકલ, ઇન્ક્યુબેશન અને આંત્રપ્રિન્યોરિયલ સપોર્ટ પૂરો પાડીને શૈક્ષણિક, વ્યવહારુ અને ટ્રાન્સલેશનલ સંશોધન માટે યુનિવર્સિટીની ઇકોસિસ્ટમના મહત્વપૂર્ણ ઘટકોનું પ્રતિનિધિત્વ કરે છે. સભાને સંબોધતા સી. પી. રાધાકૃષ્ણને 1882 માં તેની સ્થાપના…
Read MoreDay: September 4, 2026
सीएसआईआर-एसईआरसी एवं सीएमसी में हिंदी पखवाड़ा-2026 का आरम्भ
हिन्द न्यूज़, दिल्ली सीएसआईआर-संरचनात्मक अभियांत्रिकी अनुसंधान केन्द्र (सीएसआईआर-एसईआरसी), चेन्नै एवं सीएसआईआर मद्रास कॉम्प्लेक्स (सीएमसी) , चेन्नै द्वारा संयुक्त रूप से हिंदी पखवाड़ा-2026 का आरम्भ 1 सितंबर 2026 को समारोहपूर्वक किया गया जो आगामी एक पखवाड़े तक संचालित होगा। इस अवसर पर दोनों संस्थानों के वैज्ञानिकों, अधिकारियों एवं कर्मचारियों ने उत्साहपूर्वक भाग लिया। कार्यक्रम का आरम्भ राष्ट्रीय गीत एवं कुत्तुविलक्कु प्रज्वलन के साथ हुआ। डॉ. अमर प्रकाश, वैज्ञानिक-जी एवं उपाध्यक्ष, राजभाषा कार्यान्वयन समिति (राभाकास), सीएसआईआर-एसईआरसी ने स्वागत भाषण दिया। उन्होंने हिंदी पखवाड़े के आयोजन के उद्देश्य तथा कार्यालयीन कार्यों…
Read Moreદસલા ગામ ખાતે PM-JAY મેગા ડ્રાઇવનું સફળ આયોજન
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ દાહોદ તાલુકાના PHC આગાવાડા અંતર્ગત દસલા ગામ ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) અંતર્ગત મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ અભિયાન દરમિયાન ગ્રામજનોને આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગે માર્ગદર્શન આપી, પાત્ર લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ સ્થળ પર જ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મેગા ડ્રાઇવમાં કુલ ૫ ટીમો દ્વારા એક જ દિવસમાં ૬૫૯ PM-JAY કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા. આ અભિયાનને સફળ બનાવવા માટે ડૉ. રઘુ સંગાડીયા, ગામના સરપંચશ્રી, તાલુકા સભ્યો,…
Read Moreવડાપ્રધાનના વડોદરા આગમનને જનસેવાના મહાપર્વ સાથે જોડતું જિલ્લા પ્રશાસનનું અનોખું અભિયાન
હિન્દ ન્યુઝ, વડોદરા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. ૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ વડોદરાના આંગણે પધારી રહ્યા છે, ત્યારે વડોદરા જિલ્લાવાસીઓમાં ગૌરવ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. આ ગૌરવપૂર્ણ અવસરને માત્ર સ્વાગત પૂરતો સીમિત ન રાખી, તેને સેવા, સુશાસન અને જનકલ્યાણ સાથે જોડીને ઉજવવાના ઉદ્દેશથી વડોદરા જિલ્લા પ્રશાસન દ્વારા વિશેષ સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા સાત દિવસથી વિવિધ સ્થળોએ વિશેષ સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કેમ્પોનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સરકારી કચેરીઓના વારંવાર ધક્કા ન ખાવા…
Read Moreકચ્છના અખાતમાં ડોલ્ફિન્સની ધમાકેદાર મોજ!
હિન્દ ન્યુઝ, કચ્છ / દ્વારકા ગીર ફાઉન્ડેશનના સર્વેમાં ખુલાસો – કચ્છના અખાતમાં ૧૯૩ ડોલ્ફિન, દરિયાઈ વારસો સમૃદ્ધ ગીર ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલા તાજેતરના દરિયાઈ સર્વેમાં ખુશીના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ કચ્છના અખાતમાં સૌથી વધુ જોવા મળતા દરિયાઈ પ્રાણીઓમાં ડોલ્ફિન મોખરે રહી છે. સંશોધકોને સર્વે દરમિયાન કુલ ૧૯૩ જેટલી ડોલ્ફિન જોવા મળી હતી, જે દર્શાવે છે કે આપણો દરિયાઈ વારસો કેટલો સમૃદ્ધ અને તંદુરસ્ત છે. આ આંકડો કચ્છના અખાતની જૈવવિવિધતાની સમૃદ્ધિનો મજબૂત પુરાવો છે. નિષ્ણાતોના મતે, ડોલ્ફિનની હાજરી એ સ્વચ્છ અને સમતોલ દરિયાઈ પર્યાવરણનું પ્રતીક છે. આ સર્વેના તારણો…
Read Moreસરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે 7મા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે ફિનિશિંગ સ્કૂલ તાલીમ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે સાતમા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે 4 દિવસ માટે ‘ફિનિશિંગ સ્કૂલ’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલના માર્ગદર્શન અને પરવાનગી હેઠળ યોજાયેલા આ તાલીમ વર્ગનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓનો સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ, સંવાદ કૌશલ્ય (ક્રોસ-કમ્યુનિકેશન સ્કિલ્સ) સુધારવો અને તેમની રોજગારક્ષમતા (એમ્પ્લોયેબિલિટી) વધારવાનો હતો. ચાર દિવસીય આ તાલીમ કાર્યક્રમમાં નિષ્ણાત ટ્રેનર્સ સંદીપ શાહ અને પરેશ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને જીવનઉપયોગી માર્ગદર્શન તેમજ વ્યવસાયિક કૌશલ્યો અંગે સઘન તાલીમ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંકલન કોલેજના પ્રો. એસ.એ.શાહ તથા પ્રો. એસ.પી.ચંદ્રેશા દ્વારા કરવામાં આવ્યું…
Read Moreદાહોદ DRDA નિયામકની લીમખેડા RSETI સેન્ટરની મુલાકાત: તાલીમાર્થી બહેનોને સ્વરોજગાર માટે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA)ના નિયામક દ્વારા લીમખેડા સ્થિત રૂ૨લ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ (RSETI) સેન્ટરની સઘન મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર ખાતે તાલીમ મેળવી રહેલી મહિલાઓની કામગીરીનું મૂલ્યાંકન કરવાનો અને તેમને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહિત કરવાનો હતો. મુલાકાત દરમિયાન DRDA નિયામકે બ્યુટી પાર્લર અને સીવણ વર્ગની તાલીમાર્થી બહેનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. બ્યુટી પાર્લર ક્ષેત્રે ગ્રાહક વ્યવહાર, સ્વચ્છતા અને હાઇજીન, આધુનિક સાધનોનો ઉપયોગ તેમજ વિવિધ સર્વિસની ગુણવત્તા જાળવવા બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નિયામકશ્રીએ મહિલાઓને ગ્રામીણ અને સ્થાનિક…
Read Moreવડાપ્રધાનનાં વડોદરા પ્રવાસ પૂર્વે મહાપાલિકા દ્વારા ઘનિષ્ઠ સફાઈ અભિયાન
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા ખાતે આગામી તા. ૮ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અનુલક્ષીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અને સૌંદર્યવર્ધનના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં ઘનિષ્ઠ સફાઈ અભિયાન યોજવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આજે ગોત્રી તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તળાવ પરિસર તથા આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોને સ્વચ્છ તથા સુઘડ પર્યાવરણ મળી રહે તે માટે મહાનગરપાલિકાની ટીમો દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાનની સાથે…
Read Moreવડોદરા જિલ્લામાં આરોગ્ય વિભાગની વિવિધ યોજનામાં સંતૃપ્તિકરણ માટેવિશેષ ઝુંબેશ
હિન્દ ન્યુઝ, વડોદરા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી તા. ૦૮ સપ્ટેમ્બરના વડોદરા પ્રવાસને ધ્યાને રાખીને વડોદરા જિલ્લામાં તા. ૦૧ સપ્ટેમ્બરથી તા. ૦૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ‘PM Program Saturation of Flagship Scheme’ અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાનશ્રી સાથે સંકળાયેલી વિવિધ ફ્લેગશિપ યોજનાઓનો વ્યાપ સંપૂર્ણ સ્તરે પહોંચાડી જિલ્લાના છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો સુલભ બનાવવાનો છે. મુખ્ય જિલ્લા શિક્ષણાધિકારી ડો. મીનાક્ષી ચૌહાણે જણાવ્યું કે, આ વિશેષ ઝુંબેશ અંતર્ગત વડોદરા જિલ્લાના તમામ તાલુકાઓમાં સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય કેન્દ્રો ખાતે વિવિધ…
Read Moreકાલાવડ તાલુકાના નિકાવા ગામે શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા
હિન્દ ન્યુઝ, કાલાવડ ભારતભરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની અનેરી ઉજવણી થઈ રહી છે ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામે પણ ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીકૃષ્ણ જન્મોત્સવ સમિતિ-નિકાવા અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકાવા ગામના હૃદય સમાન નંદીગ્રામ ચોક ખાતે સવારે ગ્રામજનો એકત્ર થયા હતા. ભગવાન શ્રીકૃષ્ણના ગુણગાન, રાસ અને જયઘોષના નારા સાથે શોભાયાત્રાએ ગામની મેઈન બજારમાં નગરચર્યા માટે પ્રસ્થાન કર્યું હતું. શોભાયાત્રામાં અલગ-અલગ સુશોભિત…
Read More