જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ સપ્ટેમ્બરના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ            જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૩/૦૯/૨૦૨૬ના રોજ બપોરે ૦૩:૩૦ કલાકે મીટીંગ હોલ. કલેકટર કચેરી, જીલ્લા સેવા સદન, ખસ રોડ બોટાદ ખાતે યોજાશે.             આ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણીત રહેલ હોય કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો અરજદાર આધાર પુરાવા સાથે વ્યક્તિગત પ્રશ્નની રજુઆત કરી શકશે. તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૯/૨૦૨૬…

Read More

સભા-સરઘસ- ઉપવાસ-રેલી વગર પરવાનગીએ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ           બોટાદ જિલ્લામાં જુદી-જુદી સંસ્થાઓ, રાજકીય પાર્ટીઓ, અરજદારઓ દ્વારા વિવિધ માંગણીઓ તથા રજુઆતો કરવા સભા-સરઘસ-રેલી-ઉપવાસ જેવાં કાર્યક્રમ કરતાં હોય છે. જેનાં કારણે તંગદીલી જેવું વાતાવરણ સર્જાય છે, અને આવાં કિસ્સામાં મોટી સંખ્યામાં લોકો દ્વારા તેમની રજુઆત કરતાં વર્ગવિગ્રહ જેવાં બનાવો પણ જિલ્લામાં બનવાની શકયતા રહે છે. તેમજ ભુતકાળના બનાવો ધ્યાને લેતાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતાં હોય છે અને માલ મિલકતને નુકસાન થાય છે.           તેને ધ્યાને રાખીને બોટાદ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર…

Read More

ખેતીમાં વરસાદ ખેચાય તે સમયે ખેડૂતો માટે અગત્યની માર્ગદર્શિકા

હિન્દ ન્યુઝ, બોટાદ               ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વરસાદ ખેચાયાની સ્થિતિમાં ઉભા પાકને રક્ષણ આપવા તેમજ જમીનમાં ભેજ જળવાઈ રહે તે માટે ખેડૂતો માટે ખાસ ખેતી સલાહ અને કાળજીના પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. વરસાદના અભાવે જમીનમાં ભેજની ખોટ સર્જાતી હોય ત્યારે પાકની વૃદ્ધિ અને ઉત્પાદન પર પ્રતિકૂળ અસર ન થાય તે માટે ખેડૂતોએ સમયસર જરૂરી તકેદારી રાખવી અત્યંત જરૂરી છે.              જ્યારે ઉભા પાકમાં વરસાદના અભાવે જમીનમાં ભેજની ખેંચ ઊભી થાય, ત્યારે ખેડૂતોને…

Read More

શ્રાવણ કૃષ્ણ દ્વાદશીના પવિત્ર દિને સોમનાથ મહાદેવને કરાયો અદભુત ‘દ્વાદશ જ્યોતિર્લિંગ’ શૃંગાર, દર્શન કરી ભક્તો ધન્ય થયા

હિન્દ ન્યુઝ, સોમનાથ     પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે ભક્તો માટે દરરોજ નિતનવા અને આકર્ષક શૃંગાર કરવામાં આવે છે. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની દ્વાદશીના પવિત્ર અવસરે દેવાધિદેવ શિવ સોમનાથ મહાદેવને એક વિશેષ અને દિવ્ય ‘દ્વાદશ જ્યોતિર્લિંગ’ શૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો. આ અલૌકિક શૃંગાર અંતર્ગત મંદિરના પવિત્ર ગર્ભગૃહને સુંદર અને સુગંધિત પુષ્પોથી કલાત્મક રીતે અલંકૃત કરવામાં આવ્યું હતું. ગર્ભગૃહમાં સોમનાથ મહાદેવની સાથે અન્ય ૧૧ શિવલિંગોને પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. આ તમામ શિવલિંગોને સુંદર રીતે અલંકૃત કરી બાર જ્યોતિર્લિંગનું સ્વરૂપ આપી વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. ગર્ભગૃહમાં…

Read More