હિન્દ ન્યુઝ, ભાવનગર
અવનીબેન ગોહિલ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સુરનગરના વતની છે. 3 વર્ષ પહેલાં જ્યારે તેઓ નોકરી કરતા ત્યારે તેમનું પગાર ધોરણ ઓછું હતું અને આવક ખૂબ ઓછી હતી. પરંતુ હવે જ્યારે તેઓ શિવશક્તિ સખી મંડળ સાથે સંકળાયેલા છે ત્યારે હવે તેમની અવાકમા વધારો થયો છે. અવનીબેન જણાવે છે કે સખી મંડળ સાથે સંકળાયા બાદ તેઓ વધુ સફળ અને આત્મનિર્ભર બન્યાં છે.
શિવશક્તિ સખી મંડળ દ્વારા અવનીબેન ગોહિલ બીજા બહેનોને પણ સખી મંડળ સાથે જોડાવવા પ્રોત્સાહન આપે છે. સખી મંડળ દ્વારા તેમની આવકનું સ્તર વધ્યું છે. આવી જ રીતે બીજા બહેનો પણ સ્વતંત્ર બને તેવી ઇચ્છા તેઓ વ્યક્ત કરે છે.