જસદણ ઘેલા સોમનાથ ખાતે શ્રાવણી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જસદણ 

    સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે દર વખતની જેમ આ વર્ષે પણ લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવેલ. જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જસદણ ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા તેમજ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, રાજકોટ જિલ્લા વહીવટી અધિકારી કલેકટર, ડીડીઓ તેમજ એસ.પી. સહિત રાજકીય મહાનુભવો પદ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેલ તે પ્રસંગે ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના પ્રસાદી રૂપે ઘેલા સોમનાથ મંદિરના પ્રિન્ટ વાળા ઘમસા ઓઢાડી સન્માન કરવામાં આવેલ.

 

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment