તા. ૧૪/૧૧/૨૦૨૨ સુધી સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી ભરી શકાશે ૯૨-કોડીનાર વિધાનસભા બેઠકના નામાંકન પત્રો

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨

૯૨-કોડીનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવા અંગે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

૯૨-કોડીનાર ચૂંટણી અધિકારી, ૯૨-કોડીનાર (અ.જા) વિધાનસભા મતદાર વિભાગ અને જિલ્લા પુરવઠા અધિકારીગીર સોમનાથ દ્વારા ૦૫/૧૧/૨૦૨૨ના રોજ આ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ચૂંટણી અધિકારી, ૯૨-કોડીનાર (અ.જા) વિધાનસભા મતદાર વિભાગ અને જિલ્લા પુરવઠા અધિકારીગીર સોમનાથ, પ્રથમ માળ, રૂમ નંબર ૨૪૪કલેક્ટર કચેરીજિલ્લા સેવા સદન, ઈણાજ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૯૨-કોડીનાર (અ.જા) મતદાર વિભાગ અને મામલતદારશ્રી, કોડીનારમામલતદાર કચેરીકોડીનાર સમક્ષ તા.૦૫/૧૧/૨૦૨૨થી ૧૪/૧૧/૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. જે માટે નિયમોનુસાર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી, ૯૨-કોડીનાર (અ.જા) વિધાનસભા મતદાર વિભાગ અને જિલ્લા પુરવઠા અધિકારીગીર સોમનાથ, પ્રથમ માળ, રૂમ નંબર ૨૪૪કલેક્ટર કચેરીજિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે હાથ ધરવામાં આવશે અને તા.૧૭/૧૧/૨૦૨૨ના બપોરના ૩:૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોક્ત કોઈપણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે. મતદાન કરવાનું થશે તો તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૮:૦૦થી સાંજના ૦૫.૦૦ વાગ્યા વચ્ચે થશે તેવું ચૂંટણી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે

Related posts

Leave a Comment