કોંગ્રેસ દ્વારા અપાયેલ ગુજરાત બંધના એલાન ને વંથલીમાં મળી સફળતા

હિન્દ ન્યુઝ, વંથલી

વધતી જતી મોંઘવારી બેરોજગારી અને બેફામ બનેલા ભ્રષ્ટાચારના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન અપાયું હતું.તે સંદર્ભે ભાજપ સરકારની નીતિ રીતિ અને શાસનના વિરોધમાં વંથલીના વેપારીઓએ સજ્જડ બંધ પાડી રોષ વ્યક્ત કર્યો હતો.

 

        ગત સવાર થી જ વંથલી કોંગ્રેસના અગ્રણીઓ ઇરફાન શાહ,મનસુખભાઈ પાડલીયા, હરિભાઈ કણસાગરા, મુકેશભાઈ ચૌહાણ, લક્ષ્મણ ભાઈ કારેથા, સિરાજ વાજા, અજય વાણવી હાશમભાઈ શાંધ, રમેશભાઈ વાણવી, રફીકશા સહિતના કાર્યકરો હોદેદારોએ વેપારીઓને અપીલ કરતા કોંગ્રેસ બંધ ના સમર્થન માં વંથલી ના વેપારીઓએ સંપૂર્ણ સહકાર આપેલ હતો. સહકાર બદલ કોંગ્રેસના અગ્રણીઓ આભારની લાગણી વ્યક્ત કરી હતી.બંધ સમય દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે વંથલી પોલીસ ના જવાનોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવી રાખ્યો હતો.

રિપોર્ટર : સિરાજ વાજા, વંથલી

Related posts

Leave a Comment