હિન્દ ન્યૂઝ, માણાવદર
માણાવદરમાં શ્રી ધર્મકુળ આશ્રિત, સ્વામિનારાય સત્સંગ સમાજ તેમજ શ્રી લક્ષ્મીનારાયનદેવ યુવક મંડળ માણાવદર દ્રારા આજે હનુમાનજીના સાંનિધ્યમાં હળમતાળી મંદિર ખાતે ભવ્ય શાકોત્સવ ઉજવાયો હતો. આ ભવ્ય શાકોત્સવ વિશે સ્વામિનારાયણ મંદિર બગસરા ના વિવેકસ્વરૂપ સ્વામી એ જણાવ્યું હતું કે, માણાવદર ધામ ખાતે 200 વર્ષ પહેલાં શાકોત્સવનું આયોજન કરેલું હતું. જેની જાંખી કરતા ભવ્ય શાકોત્સવનું આયોજન આજે કરેલું છે. જેનો હજારો હરીભક્તોએ લાભ લીધો છે.
સવારથી જ સ્વામિનારાયણ ની કથા, ધૂન, પૂજા અર્ચના, સત્સંગથી ભક્તો પોતાના આત્માને પરમાત્મા બનાવી શકે, હિંદુ સસ્ક્રુતિનું ગૌરવ વધે, લોકોને પોતાના કર્તવ્યનો ખ્યાલ આવે અને સમજે તેમજ અહીંના ભક્તોએ પોતાના તન-મન-ધનથી સેવા આપી છે.
આ સત્સંગથી ભક્તોને પ્રેરણા મળશે કે આપણે આપણા માતા પિતાની સેવા કરવી, સમાજની સેવા કરવી…
રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર