દેશના વિવિધ રાજ્યોના કલેકટરઓ અને મ્યુનિસિપલ કમિશનરો માટેના NAKSHA પ્રોગ્રામના બે દિવસીય તાલીમ અને વર્કશોપનો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રારંભ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભૂમિ સંસાધન વિભાગના આર્થિક સહયોગ અને બી.એન. યુગાન્ધર ગ્રામીણ અધ્યયન કેન્દ્ર(BNYCRS), લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી(LBSNAA) મસુરી અને ગુજરાતના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઈન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ (CoE)ના સંયુક્ત ઉપક્રમે આજથી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે, કલેક્ટરઓ અને મ્યુનિસિપલ કમિશનરઓ માટે NAKSHA (National geospatial Knowledge based Land Survey of Urban Habitations) પ્રોગ્રામના બે દિવસીય તાલીમ અને વર્કશોપનો પ્રારંભ થયો છે.       ગ્રામીણ વિકાસ મંત્રાલયના ભૂમિ સંસાધન સચિવશ્રી શૈલેષકુમાર સિંહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના…

Read More

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે સાયબર જાગૃતિ અને વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, ડાંગ     સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે CAWACH કેન્દ્ર અંતર્ગત સાયબર જાગૃતિ અને વ્યક્તિત્વ વિકાસ (Cyber Awareness & Personality Development Programme), (Expert Lecture & MoU Signing) નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે પ્રદિપ મુન (CBWE – Central Board for Workers’ Education, Ministry of Labour & Employment, Government of India) ઉપસ્થિત રહ્યા. તેમણે વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વ કુશળતા, સાયબર ક્રાઇમ જાગૃતિ, ઑનલાઇન ફ્રોડ, ડિજિટલ સુરક્ષા તથા કારકિર્દી અવસરો અંગે વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું. કોલેજના આચાર્ય ડૉ. યુ. કે. ગાંગુર્ડેએ પણ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું.…

Read More

મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના તબીબોને સ્વતંત્ર વ્યવસાય માટે આર્થિક સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ

હિન્દ ન્યુઝ, મોરબી    સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ડોક્ટરો માટે ‘ડો. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિ તબીબી લોન/સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત મોરબી જિલ્લાના પાત્રતા ધરાવતા ડોક્ટરોને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. આ યોજના હેઠળ MD અથવા MS ની અનુસ્નાતકની પદવી ધરાવતા તબીબોને રૂ. ૩,૦૦,૦૦૦/- ની લોન ૪% ના વ્યાજ દરે અને રૂ. ૧,૦૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર છે. ઉપરાંત MBBS, BAMS, BHMS, BDS જેવી ડિગ્રી કે ડિપ્લોમાની સ્નાતકની પદવી ધરાવતા…

Read More

મોરબી જિલ્લાના ઉદ્યોગકારોના પ્રશ્નોના નિરાકરણ માટે ૫ ફેબ્રુઆરીએ પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ‘ઓપન હાઉસ’ યોજાશે

હિન્દ ન્યુઝ, મોરબી     મોરબી જિલ્લાના વિવિધ વેપાર-ઉદ્યોગોને લગતા પ્રશ્નોની ચર્ચા અને નિકાલ માટે રાજ્યકક્ષાના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં તા. ૦૫/૦૨/૨૦૨૬, બપોરે ૧૨:૦૦ કલાકે, કોન્ફરન્સ રૂમ નં. ૧૩૬, કલેક્ટર કચેરી, મોરબી ખાતે ‘ઓપન હાઉસ’ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓપન હાઉસ અન્વયે જિલ્લાના ઔદ્યોગિક એસોસિએશનોએ ઉદ્યોગોને લગતા પ્રશ્નો કે સૂચનો સોફ્ટ કોપીમાં gm-dic-mor@gujarat.gov.in પર અથવા હાર્ડ કોપીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (રૂમ નં. ૨૩૩, ૨૩૪, જિલ્લા સેવા સદન, સો-ઓરડી) ખાતે તા. ૩૧/૦૧/૨૦૨૬ સુધીમાં મોકલી આપવા મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરની યાદીમાં જણાવાયું છે.

Read More

વજન ઘટાડવામાં ડાયેટ મહત્વપૂર્ણ

હિન્દ ન્યુઝ, દાહોદ  નિયમિત અને સંતુલિત ડાયેટથી વજન નિયંત્રણમાં રહે છે, શરીર અને મન પણ સ્વસ્થ રહે છે     ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ પ્રત્યેક વ્યક્તિ માટે પાયાની અને આવશ્યક બાબત બને, મેદસ્વિતા પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ આવે અને સ્વસ્થતાનો આ વિચાર અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકારે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત’ અભિયાન શરૂ કર્યું છે.   વર્તમાન સમયમાં મેદસ્વિતા ગંભીર સમસ્યા બની ગઈ છે. શરીરનું વજન વધારે હોય તો અનેક બીમારીનો ભોગ બનવાનો ખતરો રહે છે. પરિણામે શરીર અનેક બીમારીઓનું ઘર બને…

Read More

ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામે પોષણ કીટનું કરાયું વિતરણ

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લાનાં લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓ માટે પોષણક્ષમ આહાર કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચશ્રી રાવત દિપીકાબેન વિનેશભાઈ દ્વારા કુલ 15 ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સાથે IMPACT INDIA, પિરામલ સ્વાસ્થ્ય સંસ્થા, PSMRI તથા KHPTના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ ટીબી મુક્ત ભારત…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતા મહાનુભાવો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર     ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આજે જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના સ્વાગત અર્થે એરપોર્ટ પર રાજકીય આગેવાનો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીનું વિમાન ઉતરાણ થયા બાદ રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા દિવ્યેશભાઈ અકબરીએ તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મયબેન ગરસર અને ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા પણ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેક્ટર…

Read More

કલેકટર યોગેશ નિરગુડે ના અધ્યક્ષ સ્થાને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ખરેડી ખાતે ૧૧ મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં આવેલ ખરેડી ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત વર્ષ ૨૦૨૫-૨૬ નો ૧૧ મો જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ કલેકટર યોગેશ નિરગુડે ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કલેકટર યોગેશ નિરગુડે એ જણાવ્યું હતું કે, શિક્ષણની શરૂઆત જ આંગણવાડીથી થાય છે. નાનકડાં બાળકોમાં નાનપણ થી જ સારા સંસ્કારોનું સિંચન કરવાની જવાબદારી શિક્ષકોની છે. શિક્ષકો વિદ્યાર્થીઓને વાંચન-ગણન-લેખનની સાથે તેઓ આગળ વધી સક્ષમ બને એ માટેના પ્રયત્નો કરે એ જરુરી છે. બાળકોને બેઝિક જ્ઞાન આપવા સાથે માર્ગદર્શક તરીકેની મહત્વની જવાબદારી શિક્ષકોએ…

Read More

જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના હસ્તે જામનગરના ધુંવાવ ખાતે એસ.બી.આઈ. RSETI ના રૂ. 1.28 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર  જામનગર તાલુકાના ધુંવાવ સ્થિત એસ.બી.આઈ. ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI) ખાતે તારીખ 23 જાન્યુઆરી 2026 ના રોજ એક ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. એસ.બી.આઈ. તરફથી પ્રાપ્ત થયેલ રૂ. 1.28 કરોડના CSR ફંડ દ્વારા નવનિર્મિત ટ્રેનિંગ સેન્ટરની કમ્પાઉન્ડ વોલ, બિલ્ડીંગ બેઝ તથા એપ્રોચ રોડનું ઉદ્ઘાટન જામનગર કલેક્ટર કેતન ઠક્કરના હસ્તે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર બાલાજીકુમાર સિંઘસામંતાની ગરિમામય ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું. મહિલા સશક્તિકરણને વેગ આપતા આ કાર્યક્રમમાં ૧૮ સખીમંડળના બહેનોને ‘લખપતિ દીદી’ તરીકે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા, તેમજ ૧૦ સખીમંડળના બહેનોને કુલ રૂ. 33 લાખના…

Read More

મહુવા તાલુકાના વડીયાના પ્રાકૃતિક ફાર્મની ગણદેવીના ખેડુતોએ મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, મહુવા   નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખેડુતોએ આત્મા પ્રોજેક્ટ હેઠળ જિલ્લા બહાર પ્રેરણા પ્રવાસના ભાગરૂપે મહુવા તાલુકાના વડીયા ખાતે પ્રકાશભાઈ પટેલના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી. ૫૫ મહિલા ખેડૂતોએ તાલીમ નિદર્શન અને વેચાણ વ્યવસ્થા વિષય અંતર્ગત પંચસ્તરીય મોડલ ફાર્મનું નિરીક્ષણની સાથે વેલ્યુ એડમિશન કરી આવકમાં વધારો કઈ રીતે કરી શકાય એનું પ્રત્યક્ષ મોડલ નિહાળ્યું હતું. પ્રાકૃતિક ખેતીમાં કઈ રીતે આગળ વધી શકાય તે અંગે પ્રકાશભાઈએ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

Read More