હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ પાસે ગામમાંથી એક ત્રાહિત વ્યક્તિએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવ્યું હતું કે એક ૭૫ વર્ષના વૃદ્ધા એકલાં છે અને તેમની માનસીક સ્થિતિ સારી નથી. તેઓ અવાર નવાર ઘરેથી નિકળી જાય છે. તેથી તેમને મદદ કરવા અનુરોધ કરતા અભયમ ટીમ વલસાડે તેમના સાવકા દિકરાને અસરકારક વાતચીત કરી વૃદ્ધ માજીની કાળજી લેવા સંમત કર્યાં હતાં જેથી સોસાયટીના રહીશોએ અભયમની કામગીરી બિરદાવી હતી. માહિતી મુજબ પતિના મૃત્યુ બાદ વૃદ્ધા એકલાં રહેતાં હતાં અને પતિનું જે પેન્શન આવે તેમાંથી જીવન ગુજારતા હતાં. પરતું વધતી ઉંમરની સાથે…
Read MoreDay: January 15, 2026
ભાવનગર જિલ્લાના હણોલ ગામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખેડૂતોની મુલાકાતે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના હણોલ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ખેડૂત કેન્દ્રિત પ્રેરક મુલાકાત, સરકારી શાળામાં સાદગીપૂર્ણ રાત્રિ રોકાણથી લઈ પ્રભાત ફેરી, સ્વચ્છતા અભિયાન અને ગૌ સેવા દ્વારા જીવંત સંદેશ આપવાની સાથે-સાથે ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધ્યો. રાજ્યપાલએ હણોલ ગામે ગાય દોહી તેમજ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનું મહત્ત્વ જણાવ્યું, સાથે જ ફિટ ઈન્ડિયા અભિયાન અંતર્ગત સાઈકલ રેલીનું પ્રસ્થાન કરાવી આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો. તાલુકા કક્ષાએ પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના વેચાણ માટે અલગ બજાર ઊભું કરવા રાજ્યપાલનો અનુરોધ કર્યો.
Read Moreઉત્તરાયણ પર્વે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે નવી સિવિલ હોસ્પિટલ ખાતેની હેલ્પલાઇન સેવાની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, સુરત પતંગની ઘાતક દોરીથી ઇજાગ્રસ્ત થયેલા અબોલ પક્ષીઓ અને નાગરિકોની નર્સિંગ એસો. અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ-ગોપીપુરા દ્વારા કરાયેલ વિશેષ સેવા ઉત્તરાયણ પર્વ નિમિત્તે શહેરમાં દોરીથી ઘવાયેલા પક્ષીઓ અને ઇજાગ્રસ્ત નાગરિકોની વહારે આવવા માટે નર્સિંગ એસોસિએશન અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ-ગોપીપુરા દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવેલી વિશેષ હેલ્પલાઇન સેવાની તા.૧૪ જાન્યુ.ના રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે મુલાકાત લઈ સેવાકીય પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત…
Read Moreપોલીસ કમિશ્નર જી.એસ.મલિકનાઓએ, અમદાવાદ શહેર પોલીસ મુખ્ય મથક ની મુલાકાતે
હિન્દ ન્યુઝ, અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ.મલિકનાઓએ, અમદાવાદ શહેર પોલીસ મુખ્ય મથક (ગોમતીપુર ) ની મુલાકાત લીધી. પોલીસ મુખ્ય મથક – ગોમતીપુર ખાતે અમદાવાદ શહેર TRB (ટ્રાફિક બ્રિગેડ) માનદ સેવકોની પસંદગી પ્રક્રિયામાં , 650 જેટલા સફળ રહેલ ઉમેદવારની તાલીમ શરૂ કરવામા આવેલ છે. પોલીસ કમિશ્નરએ આજે, ઉમેદવારોને અપાઇ રહેલ શારીરિક , કાયદાકીય તેમજ ફિલ્ડ તાલીમ પ્રક્રિયાની સમીક્ષા કરી. મુખ્ય મથક ગોમતીપુર ખાતેની પોલીસ મેસની પણ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપી.
Read Moreજૂનાગઢ ખાતે વિસ્તૃત ફલક પર યોજવા જઈ રહ્યો છે મહાશિવરાત્રીનો મેળો
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો રાજ્ય સરકારના પ્રયાસોથી વિસ્તૃત ફલક પર યોજવા જઈ રહ્યો છે, ત્યારે જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્રએ મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સંદર્ભમાં આજે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાની ઉપસ્થિતિમાં ઉતારા મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ખાસ મહાશિવરાત્રીના મેળા દરમિયાન ઉતારા મંડળ સાથે જોડાયેલી સેવાભાવી સંસ્થાઓ સાથે સંકલનથી કામગીરી થઈ શકે, ઉપરાંત મેળા દરમિયાન આ સેવાભાવી સંસ્થાઓની જરૂરિયાતો માટે યોગ્ય વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પરામર્શ…
Read More